Thursday, January 31, 2019
ડીજીવીસીએલ. વલસાડ મુખ્ય કાર્યપાલક ઈજનેર ના હુકમની ઐસી કી તૈસી કરતો ના.કા.ઈ. જલાલપોર શ્રી ગાવીત
નવસારી જિલ્લામાં ગાંધી બાપુના નિર્વાણ દિવસે વિકાસ માં શૌચાલય રોજગારમાં ચાય સાથે રંગારંગ કાર્યક્રમ સંપન્ન ......?
Monday, January 28, 2019
સ્વદેશી થી સ્વાસ્થ્ય અને સ્વરોજગાર ....!
Sunday, January 27, 2019
મફતલાલ મીલના હજારો મજુરો હવે બેરોજગાર.. ! જવાબદાર અધિકારીઓ કયાં છે...?
નવસારી જીલ્લા માં કાયમી ધોરણે ભાજપ અને કોગ્રેસ એક બીજા ના વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ જમીની હકીકતમાં એ ફકત જનતા ને ગુમરાહ કરતા હોય છે. પોતાની કુર્સી અને ગાધી દર્શન માટે ખરેખર ભોળી જનતા નો દુરૂપયોગ કરે છે. આજે નવસારી જીલ્લા માં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. નવસારી જીલ્લામાં મોટા ભાગે યુવાનો પાસે સારા માં સારું લાયકાત છે. છતા બેરોજગારી ચરમસીમા ઊપર હોવાથી મજુરી કામ પણ મળતો નથી. આજે ટુક સમયમાં જ એક જ મીલ મફતલાલ મા હજારો મજુરો ની રોજગારી હિટલરશાહી થી ચંદ નેતાઓ ની મિલીભગત થી છીનવાઈ ગયું. અને પોતાને નેતા કહેવાતા રાજકીય હાલાકિ એવા નેતાઓ ના કોઇ અસ્તિત્વ નથી. આજે નવસારી જીલ્લામાં મફતલાલ મીલ માં હજારો મજુરો બેરોજગાર થઇ ગયા.અને નવસારી જીલ્લા ના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર સરકારી અધિકારીઓ ને ખબર જ નથી. રૂબરૂ મુલાકાત માં સરકારી શ્રમ અધિકારી અને કમિશનર શ્રી સાથે ગુજરાત રાજ્ય ના લેબર કમિશનર શ્રી ને ખબર નથી. સદર અધિકારીઓ પાડોશી દેશ ના હોય એવા જવાબો આપેલ છે. સદર અધિકારીઓ ને પુછપરછ કરતા જણાવ્યું છે કે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે એક માસ પછી એક નોટિસ પણ ન આપતા જાણકારો ના મંતવ્ય મુજબ કાર્યવાહી થયેલ હશે. પરંતુ શાસન ની જેવા કે દારુ બંધી . માનવ અધિકાર સંસ્થા દ્વારા મફતલાલ મીલ માં ગુજરાત ના સૌથી મોટો અને સૌથી જૂની યુનિયન ના નામે ગરીબ મજલુમ શોષિત નાગરિકો ને ન્યાય અપાવનાર મજુર મહાજન મંડળના પ્રમુખ શ્રી ને ટેલીફોનિક મુલાકાત માં જણાવ્યું છે કે અમને કઈ જ ખબર નથી. તપાસ કરતા ખબર પડી કે પ્રમૂખ શ્રી કોગ્રેસ માં હારી ગયા છે. હવે એ નાગરિકો કે આમ જનતા સાથે નથી. અને એ એક જમાનામાં ગરીબો ના મસીહા કહેવાતા હતા. હવે એ પોતે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં. અને કોગ્રેસ માં હાર થી પીડિત ગરીબો ના મસીહા પણ આજ સુધી યુનિયન તરફથી પણ એક નોટિસ આપેલ નથી. હવે આજે નવસારી ની ગરીબ મજદૂર જનતા જેને હિટલરશાહી દ્વારા ઘરે બેસવાનો છે.જેની રોજી છિનવાઈ છે. આજે એક અનાથ બેસહારા અપંગ અસહાય તરીકે ઘરે બેસવામાં લાચાર છે. હવે જાયે તો જાયે કહા ...જેવી પરિસ્થિતિ સર્જાયું છે. નવસારી જિલ્લા ના સમાહર્તા અને જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત શ્રી પાસે ગરીબો એક આસ લગાવી રાહ જોઇ રહ્યા છે.અને નવસારી લેબર કમિશનર મદદનીશ શ્રમ આયુક્ત શ્રી ફરિયાદની રાહ જોઈ રહ્યાં છે...ફરિયાદ કરવા અને વકીલ રોકવા માટે અહીં મજુરો પાસે આર્થિક હાલાત ખરાબ હોવાથી ફરિયાદ કરી શકતા નથી... હવે નવસારી જીલ્લાના મફતલાલ ના બેરોજગાર મજુરો રામ ભરોસે છે.
Tuesday, January 22, 2019
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સત્તા પક્ષ સામે નતમસ્તક...!
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ સત્તા પક્ષ સામે નતમસ્તક ....!
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના પછી હદ વિસ્તારમાં બાધકામની તમામ પરવાનગીઓ કે અન્ય તમામ વિકાસના કામો કચેરી મારફતે કરવામાં આવશે. પરંતુ શાસક પક્ષમાં સભ્યો નેતાઓ આગેવાનો પોતાની સરકારના નિયમો પોતે જ નથી માનતા. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેકટર શ્રીની કચેરી માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં ગૈરકાયદેસર શહેરી વિકાસ સત્તા મંડળની પરવાનગી વગર એક ફરિયાદ પુરાવા સાથે કાયદેસર કાર્યવાહી કરવા શરતભંગના કેસો કરવા માટે અરજીઓ કરી. અને કલેકટર કચેરી માનવ અધિકાર સંસ્થાને ગુમરાહ કરવા માટે નવસારી તાલુકાના વિકાસ અધિકારી શ્રીને નોટિસ આપી રહી છે. આજે વર્ષ પણ બદલાઈ ગયા. ત્રણ ત્રણ નોટિસો મોકલવામાં આવેલ છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ખબર નથી કે અરજદાર ને ગુમરાહ કરવા કે શો પુર્તુ નોટિસ મોકલવા થી સરકારના પારદર્શિતા વિકાસ અને અધિકારીઓ સામે નાગરિકોમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓની મિલીભગત અને સરકાર ના સંવિધાનના નિયમો મુજબ કાયદેસર કામો ન કરવા બદલે સરકાર ની મહેનત મસકકત ની ધજાગરા ઉડાવવા માં કદાચ મોટો નુકશાન પણ થઈ શકે. આજે ભાજપ સરકાર વિશ્વની સૌ થી મોટી પાર્ટી છે. પરંતુ એક મછલી પૂરે તલાવ કો ગંદા કરતી હૈ. એજ હાલત આજે નવસારી જીલ્લાની છે. હાલ મા એક અરજદારની એક આરટીઆઇ થી નવસારી જીલ્લાના મોટા ભાગના ઈમાનદાર નેતાઓ પાર્ટીના આગેવાનો માહિતી ન લેવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. .નવસારી જીલ્લામાં કલેકટર કચેરી અને શહેરી વિકાસ સત્તા મંડળમા પુરાવો રજુ કરવા આજે છ માસ પૂર્ણ થતા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ પંચાયતના આગેવાનો સભ્યોને ગૈરકાયદેસર સુરક્ષા શા માટે આપી રહ્યા છે. એ સમજવું અઘરું નથી. ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી ફકત શો પુરતો કામ કરે છે.એની પાસે કોઈ વિશેષ સત્તા નથી. પરંતુ નવસારી જિલા કલેકટર પાસેની સત્તા સામે સવાલો ઉભા થાય . એ દૂર્ભાગ્યપૂર્ણ છે.
નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે આજે એમની બુદ્ધિ વિવેકનો સવાલ ઉભા થયા છે. એક તાલુકા વિકાસ અધિકારી ત્રણ ત્રણ નોટિસ આપવા છતા એક જવાબ નહિ આપે ત્યારે નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને કાયદેસર કાર્યવાહી કરવા માટે કયા કાયદો નડે છે. એ સમજવું અધરુ છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા સમાહર્તા અને નવસારી જિલ્લાના જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી તત્કાલ કાર્યવાહી કરશે કે ચૌથી નોટિસ અપાવશે કે કાર્યવાહી કરવા માટે હુકમ કરશે એ જોવાનું બાકી રહ્યુ.