નવસારી જીલ્લા માં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરી (ફુડ એન્ડ ડ્રગ) લકવાગ્રસ્ત.... જવાબદાર કૌણ.....?
નવસારી જિલ્લામાં ખોરાક ઔષધ નિયંત્રણ કચેરી માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મિલાવટખોર અમાજીક તત્વો ની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અહીં અધિકારીઓ પોતે મિલીભગત કરી હોય એવી ચર્ચા ચાલી રહ્યું છે. નવસારી જિલ્લામાં સુપ્રીમ કોર્ટે ૩00થી વધુ દવાઓ પર બેન લગાવી છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓને ભારત સરકાર ના સર્વોચ્ચ અદાલત નો કાયદો લાગુ નથી થતો.જેથી તપાસ કે કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવતો. આજે એ જાણવુ જરૂરી છે કે સદર અધિકારીઓને લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપવા માટે સરકાર પાસે કોઇ નોટ છાપવાની મશીન નથી. ગરીબ દલિત વંચિત શોષિત મજલુમ થી લઈ સર્વોચ્ચ નાગરિકોની મહેનત અને ખૂન પસીનાની કમાણીના છે. સદર કચેરી માં મોટા ભાગના અધિકારીઓ એમની મર્જી મુજબ જ કચેરીમાં હાજર રહે છે. .સદર અધિકારીઓને મુખ્ય કચેરી થી 3થી 5 કિમી ની ત્રિજ્યા માં રહેવા માટેના કાયદો ખબર ન હોય એવો ન બને. મોટા ભાગે અધિકારીઓ જિલ્લા બહાર હોય છે.
સદર કચેરી આજે કાયદા કાનૂન મુજબ લકવા ગ્રસ્ત છે. એવા અધિકારીઓ સરકારની પારદર્શિતા અને વિકાસ માટે બાધા સ્વરૂપ છે.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સદર સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
▼
No comments:
Post a Comment