નવસારી જિલ્લામાં બેરોજગારી આજે ચરમ સીમા ઉપર છે. જેથી આજે આમ નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. અને અસમાજિક કામો તરફ જવા મજબૂર છે. કોઈ પણ નાગરિક જ્યાં સુધી કાયદેસર ઈમાનદારી અને ઈજ્જત થી મહેનત મસક્કત થી જીવન ની સમસ્યાઓ ના સમાધાન મળતો હોય ત્યાં સુધી ખોટી રીતે અસમાજિક કે ગેરકાયદેસર કામો કરી શકે નહિ. પરંતુ આજે આપણી સંપૂર્ણ વ્યવસ્થા રોજગારી આપવામા નિષ્ફળ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો પણ આજે રોજગાર માટે દર દર ની ઠોકર ખાવા મજબૂર છે. સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકે નહીં. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારી ની તકો ઉભી કરવા બદલે આજે સરકાર ના અધિકારીઓ પદાધિકારીઓ ફકત અને ફકત પોતાના સ્વાર્થ જ સાધવામાં સરકાર નો કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.છતાં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહી છે. એવા સમયે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા નવસારી થી વિના મૂલ્યે રોજગાર તાલીમ ની ભવ્ય શરૂઆત કરી છે. જેમાં સરકારી સંસ્થા ઓ સાથે તમામ નાગરિકો ને ભાગ લેવા વિશેષ આમંત્રણ છે.
▼
No comments:
Post a Comment