આજે નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા ના નાગરિકો શાસન પ્રશાસનના કામગીરી થી ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. શાસન માં કોઈ નેતા નથી જે સમસ્યાઓ ના અંત લાવી શકે. પ્રશાસન માં એક અધિકારી શ્રી રાજીનામુ આપી છુટકારો લીધો ત્યારે નવા અધિકારીશ્રીને ચાર્જ આપવામાં આવ્યો. નવા જાબાજ કાયદા કાનૂનનો જાણકાર અનુભવી અધિકારીના નિમણૂંક થી નાગરિકો માં ખુશી ની લહેર જોવા મળી હતી જે ટુંક સમય માં જ ફેરવાઇ ગઇ. નવનિયુક્ત અધિકારીને વિજલપોર નગરપાલિકા માં કાયદેસર હાજર રહેવા માં તકલીફ લાગતી હોય જેથી એમની મર્જી મુજબ જ દર્શન આપી રહ્યા છે. આજે વિજલપોર નગરપાલિકાના માહોલ બદ થી બદતર થયા છે. ચોખ્ખું પાણી પણ નશીબ નથી . શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય પ્રાથમિક સુવિધાઓ માટે નાગરિકો સારા શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની રાહ જોઇ રહ્યા છે. ત્યારે સર્વગુણ સંપન્ન અધિકારી શ્રી પાસે ટાઈમ નથી. એક એક સહી લેવા માટે વિજલપોર ના કર્મચારીઓને એમની પાસે જવુ પડે છે. જે કાયદેસર નથી.નાગરિકો ને ચીફ ઓફિસરને મળવા માટે કોઇ સમય નથી. કયા ટાઈમ માં દર્શન આપસે એક બોર્ડ પણ નથી. આજે એ જાણવો જરૂરી છે કે સરકાર દેવાદાર છે જેમાં દરેકે દરેક ને સહભાગી થવો જરૂરી છે.
અગાઉના પણ ચીફ ઓફિસર શ્રી સંજય સોની શ્રી એક ટાઈમ જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર તરીકે રેગ્યુલર સાજે કલેકટર કચેરીમાં ફરજ બજાવતા હતાં. મોટા ભાગ ના અધિકારીઓ પાસે એક અલગ અધિકારીના ચાર્જ આપવામાં આવેલ છે. આજે પણ આમ નાગરિકો અને કાયદાના જાણકારો સંજય સોની સાહેબની કામગીરીની ચર્ચા કરતા જોવા મળે છે.અને સદર અધિકારી શ્રી પણ નવસારી નગરપાલિકા માં આજે પણ જાહેર માહિતી અધિકારી તરીકે શ્રી સંજય સોનીના નામના બોર્ડના સહારો થી કામ ચલાવી રહ્યા છે. આરસીપીએસના બોર્ડ પણ લગાવી શકતા નથી. સમજવુ અઘરુ છે.
આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ જિલ્લા સમાહર્તા અને પ્રાદેશિક કમિશનર શ્રી પોતાને મળેલ સત્તા મુજબ તત્કાલ કાર્યવાહી કરશે જેની આજે સમયની માગ અને અત્યંત જરૂર છે.
▼
No comments:
Post a Comment