Sunday, June 28, 2020

નવસારી જિલ્લામાં કોરોના મરીજોની ભરમાર ..!આરોગ્ય વિભાગ ગેરકાયદેસર એસી માં થી વહાર આવશે ખરા..!ગરીબ દર્દીઓ રાહ જોવી રહ્યા છે...

   
નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે વર્ષો થી લકવાગ્રસ્ત છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે ભ્રષ્ટા ચાર માં વ્યસ્ત છે. કોરોના દર્દીઓના ઘરે કોરોન્ટાઇન કરવા ફકત એક પ્રાન્ત અધિકારી કાયમી ધોરણે જોવા મળે છે. બાકી વિભાગોના ફકત ખાનાપુર્તિ ફકત એક સામાન્ય કર્મચારીઓ જ આવે છે. લાખો રૂપિયા દર માસે વેતન સાથે બિન જરૂરી ગેરકાયદેસર એસી અને રાજાશાહી જેવી સુવિધાઓ લઈ રહ્યા જિલ્લા આરોગ્ય અધિકારી અને એમની ટીમના તબીબો કે એક ડોક્ટર આવી શકતો નથી. લોકચર્ચા મુજબ શું એવા અધિકારીઓને વેતન પાડોશી દેશની સરકાર ચુકવે છે. કોરોના જેવી મહામારી માં પાડોશી દેશ વાળી ટીમને ગુજરાત સરકાર કેમ પોશી રહી છે. એ સમજવો અઘરુ છે. પરંતુ આરોન્ગ વિભાગને આજે જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર કે ભારત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. એમને મળતો વેતન રાજાશાહી જેવી સુવિધા સાથે ગેરકાયદેસર કચેરી માં એરકંડીશનના બિલ ગુજરાતના ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો, દલિતો, રાત-દિવસ ખૂન પસીના એક કરનાર મજુરો , શોષિતો, આર્થિક રીતે પછાત સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોની મહેનતના છે. નવસારી જિલ્લા માં આ રોગ્ય વિભાગની કચેરી ઓ ગુજરાત વિકાસ કમિશનર દ્વારા નોટિસ પાઠવ્યા છતા એક પણ એસી અજુ સુધી કાઢવામાં નથી આવી.નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ધર્મશાળા ની જેમ ફકત એમની મરજી મુજબ જ કચેરીમાં એમની ઇચ્છા થી જ આવે છે. કચેરી સમયે હાજર રહેવો પણ ગુનો સમજે છે.તપાસ કરતા એના કચેરી થી જણાવ્યા મુજબ એ મોટો અધિકારી છે કોઈ ને પૂછવાનો હક નથી. અને એવા અધિકારીઓ ટેલિફોન ઉપાડવા માં પણ ગુનો સમજે છે. મળેલ માહિતી મુજબ વર્ષોથી એ બધા રાજાશાહી ભોગવી રહ્યા છે.એ બધા ની બદલી કરવાની ગાધીનગર સુધી ની કોઈની હિમ્મત નથી.કોઈ એનો પર્દાફાશ કરે કે ફરિયાદ કે અરજી પણ કરે ત્યારે પોલીસ વિભાગ કે અન્ય દ્વારા ખોટા કેશો કરાવે છે.કચેરી માં સમયસર હાજર રહેવો ગુનો સમજતા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કોણ કરશે.? એની આજે જાહેર જનતા પણ રાહ જોઈ રહી છે.
 નવસારી જિલ્લા માં આજે કોરોના માં મોટા ભાગે સૂરત માં નોકરીયાત મજુરોની સંખ્યા વધુ છે. નવસારી માં બેરોજગારી આજે ચરમ સીમાએ રાજ કરી રહ્યો છે. જેથી રોજી રોટી માટે પેટના ખાડો પૂરવા આજે સૂરત માં કોરોનાના અતિ સંક્રમણ જેવા સુરત શહેર માં જવો એક મજબૂરી છે. જે ખરેખર નવસારીના ઉદ્યોગ પતિઓ અને પોતાના રાજનેતા માનતા નેતાઓ માટે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક છે. કરોડો રૂપિયા દર વર્ષે સરકાર ફકત રોજગારી માટે ખર્ચ કરી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આજે વર્ષો થી વિકાસ માટે કેટલીક યોજનાઓ અમલમાં લાવી છે. પરંતુ જમીની હકીકતના કોરોના આજે તમામના પર્દાફાશ કરી રહ્યો છે. આજે સરકારી બાબુઓ પોતાની જાન બચાવવા માટે બહાર આવી શકતા નથી. સામાજિક સંસ્થાઓ પણ શાંત છે.અગાઉ બે માસમાં છ દર્દીઓ હતો ત્યારે બધા જ ધમપછાડા કરતા હતા. હવે એક દિવસ માં દસ દસ દર્દીઓ કોરોના પોજીટિવ છતા નજરે નથી પડતા.હવે જ્યારે ખરી જરૂર છે ત્યારે ફોટો પડાવવા માટે શાસન અને પ્રશાસનિક અધિકારી ઓ જેની ખરેખર જરૂર છે જેનો વિભાગ છે એવા આરોગ્ય વિભાગના અધિ કારીઓ અદ્રશ્ય છે. કોરોના કાલ માં આરોગ્ય વિભાગના અધિ કારીઓ જેની આજે વર્ષો થી જવાબદારી છે એ નજરે નથી પડતા. પ્રાન્ત અધિકારી હોય કે મામલતદાર ,નગરપાલિકા હોય કે પોલીસ વિભાગ એમાં એક પણ તબીબ ડોક્ટર કે કોરોના સંબંધિત કોઈ જાણકાર કે જવાબદાર નથી . અને એવા દરેક વિભાગ સાથે તબીબી કે ચિકિત્સા સાથે કાયદા મુજબ કોઈ લેવા દેવા નથી.કોરોના થી બચવા માટે માર્ગદર્શન આપવો એના પરિવાર કે આજુ બાજુના રહીશોને માર્ગદર્શન આપવો તપાસ કરવો રોગ પ્રતિકારક શક્તિ માટે દવાઓ આપવો એ ખરેખર આરોગ્ય વિભાગના જ કામો છે. આરોગ્ય વિભાગ સિવાય તમામ વિભાગના અધિકારી ઓ એ રાત દિવસ નોકરી કરી રહ્યા છે. અને જાગૃત નાગરિકો વિદ્વાનોના મંતવ્યો કોરોના માટે આરોગ્ય અધિકારીઓ માટેના વપ રાતા શબ્દો લખી શકાય નહીં. નવસારી જિલ્લાના જિલ્લા કલેકટર શ્રી અને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જેવા અધિ કારીઓ જેને એવા મહા મારી જેવા સંકટ સમયે પોતાની સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જરૂર છે.નવસારી જિલ્લાના તમામ નાગરિકો આજે નવસારીના ગરીબ નાગરિકો રાહ જોઈ રહ્યા છે. કોરોના જેવી મહામારી માં ગરીબો ની મદદ સાથે એવા અધિ કારીઓ જે આજે આર ક્ષણ, બાપુ દર્શન , પરમો શન કે રાજકીય સત્તાની ઓળખ થી આવેલ છે એવાની ખરી જવાબદારી ફરીથી યાદ કરાવશે એની આજે સમયની માંગ સાથે ખાસ જરૂર છે.

Saturday, June 20, 2020

વલસાડ ફુડ એન્ડ ડ્રગ કંપની રામ ભરોસે...? સુપ્રીમ કોર્ટ દ્વારા જાન લેવા બેન દવાઓ સાથે ખોરાક માં ભેળસેળના તપાસ અધિકારી ....?


વલસાડ ફુડ એન્ડ ડ્રગ કંપની રામ ભરોસે...? 
સુપ્રીમ કોર્ટ દ્વારા જાન લેવા  બેન દવાઓ સાથે ખોરાક માં ભેળસેળના તપાસ અધિકારી ....? 
        
      વલસાડ જિલ્લામાં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરીની કામગીરી થી નાગરિકો ત્રાહિમામ થવા પામ્યો છે. મોઘવારી,મંદી,બેરોજગારી અને કમોસમી ચોમાસું ના મારથી પરેશાન છે. એના ઉપર માનવજીવન આજે પ્રદુષિત વાતાવરણ અને નકલી બેન દવાઓ ભેળસેળ યુક્ત ખોરાક થી કેવી રીતે જીવન ગુજરાન કરવો સમજવો અઘરું છે. વલસાડ માં સદર કચેરી તપાસ કરવા બદલે અરજદાર ને સમજાવવા આનાકાની છટકબારી ગુમરાહ કરવા પ્રયત્નો માં સારો નોલેજ ધરાવે છે. 
                                  આજે કોરોના જેવા મહામારી થી સંપૂર્ણ વિશ્વ માં મોટા ભાગના દેશો ત્રાહિમામ થયેલ છે. એમા ભારતદેશ ટોપટેન માં એક સારો સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ અને નવયુવાન દેશ છે. સરકાર રાત દિવસ મહેનત મસક્કત કરી રહી છે. આરોગ્ય વિભાગ ગુજરાત માં સોથી મોટો ભ્રષ્ટાચાર વિભાગ છે. આરોગ્ય વિભાગમાં અધિકારીઓ સામે આજે મીડિયા કે શાસન કોઈ સવાલ ઉભો કરી ન શકવો શિક્ષણનો અભાવ છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા વલસાડ જિલ્લાના ખોરાક અને ઓષધ નિયંત્રણ ફુડ એન્ડ ડ્રગ વિભાગ માં વારંવાર ભ્રષ્ટાચાર , અધિકારીઓ દ્વારા રિશ્વત ખોરીની ગંભીર ફરિયાદો અને સુપ્રીમ કોર્ટ દ્વારા 350થી વઘુ બેન દવાઓ સાથે જન હિત માટે  ફરજિયાત રાખવાનો વહીવટી કામગીરીની સત્યતા જાળવા માટે એક સામાન્ય માહિતી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત અભિયાન હેઠળ માગવામાં આવી. માહિતીનો જવાબ માં સ્પષ્ટ આરક્ષણ અને બાપુ દર્શન પરમોટેડ અધિકારીઓની અગત્યતા જાહેર થતો કચેરી માં નિરીક્ષણ માટે રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ. સદર કચેરી માં જ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ભરતી કરવામાં આવેલ નથી. મદદનીશ કમિશનર અને ડ્રગ ઈન્સપેકટરનો માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સામે  ભવ્ય પ્રદર્શન ગુજરાત માં દારૂ શરાબના બુટલેગરો સાથેની જેમ વર્તન થી સાબિત થયેલ છે કે ગુજરાત સરકાર માં વિકાસ ફકત ફાઇલો માં કેમ કેદી થયેલ છે. ગુજરાત સરકારની ગરીબો આદિવાસી, ખેડૂત ,દલિત, શોષિત, આર્થિક પછાત વગેરે માટે તમામ યોજનાઓ છતા એવા અધિકારીઓની કામગીરી થી જ બદનામ થઈ રહ્યો છે. આજે સરકારને સમજવો જરૂરી છે કે વિકાસ મીડિયા મેનેજમેન્ટના બદલે શૈક્ષણિક લાયકાત અનુભવી વહીવટની જરૂર છે. અને સદર કચેરીના સર્વોચ્ચ અધિકારી અને ડ્રગ ઈન્સપેકટર શ્રીને બેન દવાઓના નામ પણ ખબર નથી. જે કચેરીના અધિકારીઓને ડ્રગના નામ ખબર નથી એવા અધિકારીઓથી આજે ગુજરાત સરકાર વિકાસ અને સમૃદ્ધિની આશા રાખે છે. ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કચેરીના અધિકારીઓને આજે જાણવો જરૂરી છે કે સરકાર આજે દેવાદાર છે કરકસર માટે રોજ સરકાર ઠરાવો કરી રહી છે. છતા સદર કચેરીના અધિકારીઓ રાજાશાહી જેવી ગેરકાયદેસર સુવિધાઓ સાથે લાખો રૂપિયા વેતન સાથે રિશ્વત ખોરી કરી રહ્યા છે. સદર બાબતે તપાસ કરવા માટે સરકાર  અધિકૃત અધિકારીઓ દ્વારા તપાસ કરી કામગીરી અને કાર્યવાહી આજે અત્યંત જરૂરી છે.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...