Friday, February 28, 2020

નવસારી જિલ્લા માં ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીના તપાસ માટે કરેલ હુકમનો અપમાન..!

નવસારી જિલ્લા માં ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીના તપાસ માટે કરેલ હુકમનો અપમાન..! 
નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા સાથે નજીકના ગામોને ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને પારદર્શક સરકાર વિકાસ શીલ ગુજરાત માટે વર્ષ ૨૦૧૫ માં એક નવી કચેરી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. જેમા સૌથી મોટુ ભ્રષ્ટાચાર કરતી કચેરી નવસારી નગરપાલિકા ને ટુંક સમયમાં જ નુડા માંથી બાકાત કરવામાં આવી હતી. જેથી  વિદ્વાનો અને જાગ્રિત નાગરિકો દ્વારા કરવામા આવેલ સમીક્ષા મુજબ નુડા અને સરકારની પ્રાથમિકતા વિશે સવાલો ઉભા થયા હતા. આજે નુડા વિસ્તાર માં મળેલ માહિતી મુજબ હજારોની સંખ્યામાં બાંધકામો થયા છે. પરંતુ એક પણ કાયદેસર સદર કચેરીના કાયદા મુજબ બિલ્ડિંગ વાપરવા લાયક નથી.અને કાયદેસર  નથી.જેથી એક પણ બાધકામ માં એન.ઓ.સી કે બી.યુ.સી. આપવામાં આવેલ નથી. અને ખરેખર કાયદેસર નથી ત્યારે એ વધી બિલ્ડિંગો ઉપર કાયદેસર કાર્યવાહી કરી તોડવામાં કેમ નથી આવતી. પરંતુ જમીની હકીકત કઈ જુદુ જ છે. નુડા કચેરીમાં આજે સર્વોચ્ચ અધિકારીઓ જ કામ કરી રહ્યા છે. છતા આજે મોઘવારી મંદી માં બિલ્ડરો અને બાંધકામ કરેલ નાના મોટા નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. જેના અનુસંધાન માં પહેલા નવસારી જિલ્લા માં ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ માં અરજીઓ કરવામાં આવી અને મુખ્ય મંત્રી શ્રી ગુજરાત ને કાર્યવાહી કરવામાં આવી પરંતુ કોઈ નિકાલ ન થતા ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીને તપાસ કરી કાર્યવાહી કરવા જાણ કરતા તકેદારી કમિશ્નર શ્રી નવસારી જિલ્લા માં નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રીને તપાસ કરવા અને કાર્યવાહી કરવા જણાવેલ છે. અને નવસારી જિલ્લાના નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જે ખરેખર કાયદેસર સત્તા ધરાવે છે.મુખ્ય કારોબારી અધિકારી શ્રી નુડા કચેરી એ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સદર બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે. અને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ નવસારી જિલ્લાના નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રીને જણાવેલ છે. કે નુડા વિસ્તારમાં થયેલ તમામ કામગીરી આપશ્રીની કક્ષા એ કરવાની હોય છે. હવે ખરેખર જવાબદાર કોણ છે..? એ સમજવો અઘરૂ છે. જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એક બીજા ઉપર ધોણી શું સાબિત કરવા માગે છે. ખરેખર એ ગુજરાત તકેદારી આયોગ કમિશ્નરશ્રીના હુકમ નો અપમાન છે. ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રી નવસારી જિલ્લાના કોઈ પણ કચેરી પાસે સદર બાબતે કાર્યવાહી કરવા કે તપાસ કરવા સોપી શકે છે. ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ માં નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પોલિસ અધ્યક્ષશ્રી મેમ્બર અને એસીબી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. અને ચેરમેનશ્રી તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રી કાયદા મુજબ મેમ્બર શ્રી પાસે તપાસ કરવા આપી શકે છે. હવે સરકારશ્રીના કાયદા મુજબ ભ્રષ્ટાચાર બાબતે પુરાવા હોવા છતા કોઈ કામગીરી અને કાર્યવાહી ન થવો ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. 
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારના વિજલપોર નગરપાલિકા દ્વારા કરાર આધારિત ચિફ ઓફિસર શ્રીની કામગીરીથી આજે  વિજલપોર નગરપાલિકામાં નવો વિવાદ ..? 
                     નવસારી જિલ્લામાં સૌથી વિવાદિત નગરપાલિકા વિજલપોર આજે ભ્રષ્ટાચાર બાબતે ટોપટેન માં પહેલા ક્રમે આવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છે. વિજલપોર નગરપાલિકાની કચેરી પણ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં વર્ષ ૨૦૧૫થી સમાવેશ કરવામાં આવેલ છે.અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ની તાબા હેઠળ કાર્યરત છે. છતા કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર કરવો અહિં ગુનો સમજવામાં આવે છે. અને ખાસ કરીને અહિં દરેક કામો સરકારશ્રીના ધરાધોરણ મુજબ જ અને સરકારના સર્વોચ્ચ અધિકારીઓના નિયંત્રણ હેઠળ કરવામાં આવે છે. ગુજરાત અર્બન ડેવલોપમેંટ કર્પોરેશન દ્વારા ગટર માટે આશરે ૨૨ કરોડ ખર્ચ કરવામાં આવ્યુ અને જીયુડીસી ના કાબીલેતારીફ તજજ્ઞો ની કામગીરી થી આજે પણ ગટરની કામગીરી અધુરી છે. નાગરિકો માટે ચોખ્ખુ પાણી માટે પણ આજે એજ હાલત છે. ગંદુ વાસ મારતુ પાણી અહિં આપવાનો એક ચલણ માં આવી ગયુ છે.જેથી કરોડો રૂપિયાના ગેરકાયદેસર ધંધો અહિં મોઘવારી માં મંદી માં જોર માં ચાલી રહ્યુ છે. હાલ માં ટુંક સમય માટે ગણદેવી નગરપાલિકાના કરાર આધારિત એક નવી યોજના મુજબ કોઈ પણ પુરાવા વગર  નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ જાણ કે પરવાનગી વગર ફકત ૧૦ ટકા ગેરકાયદેસર નુડા કચેરીની એનઓસી કે બીયુસી વગર વીજ કનેકશન માટે એનઓસી આપી ગયા છે. જેથી બાકી ના નાગરિકો માં એક નવો વિવાદ ઉભા થયા છે.

Wednesday, February 26, 2020

વર્ષ ર૦૨૦ નું ગુજરાતનું બજેટ



ર૦૨૦ નું ગુજરાતનું બજેટ
રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવનારૂં – ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ : મુખ્યમંત્રીશ્રી
ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રીશ્રીએ રજૂ કરેલા બજેટને આવકારતા શ્રી વિજયભાઇ રૂપાણી

 મુખ્યમંત્રીશ્રી
Ø છેવાડાના માનવીને સર્વગ્રાહી સુવિધા આપતુ બજેટ
Ø ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજીક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌના કલ્યાણના વિચાર વાળું બજેટ
Ø ખેડૂતને દિવસે લાઇટ મળે તે માટેની દિનકર યોજના - ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતને આવરી લેવાશે
Ø કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોચાડવાના આયોજન માટે રૂ. ૧૦૮૪ કરોડ ફાળવીને કચ્છ પાણી ક્ષેત્રે સેલ્ફ સફીસીયન્ટ બને તેવી નેમ
Ø ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરાશે
......
       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે.
       નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલું આ અંદાજપત્ર છેવાડાના માનવીને પણ સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત કરે સાથોસાથ ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજીક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌના કલ્યાણનો વિચાર પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે.
       આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. 
મુખ્યમંત્રીશ્રીએ આ બજેટ કિસાન હિતલક્ષી બજેટ ગણાવતા કહ્યું કે ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂ. ૩૦ હજાર સહાય આપશે.
ખેડૂતને દિવસે લાઇટ મળે તે માટેની દિનકર યોજના અંતર્ગત ખેડૂતને દિવસે લાઇટ મળી રહે તે આવનારા ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતના બધા ખેડૂતોને દિવસે લાઇટ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કુદરતી આપદામાં ધરતીપુત્રોને નૂકશાન ન સહન કરવું પડે એ માટે ખેડૂતોને ખેતરમાં જ નાના ગોડાઉન મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અન્વયે બનાવી આપવા એક યુનિટના રૂ. ૩૦ હજારની સહાય અપાશે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે પશુપાલન સેકટરની બજેટની જોગવાઇ અંગે કહ્યું કે મુખ્યમંત્રી પશુદાણ યોજના પણ સરકાર લાવી છે પશુના વિયાણ દરમિયાન એક માસ માટે પશુપાલકને કુલ ૧પ૦ કિ.ગ્રામ પશુદાણ ખરીદી પર પ૦ ટકાની સહાય અપાશે.
APMCમાં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડયા ન રહે, બગડી ન જાય તે માટે APMCને પ૦૦ મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે તેમજ પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે. પાંજરાપોળોને અપ્રગેડ કરવા એક વખતની સહાયરૂપે કુલ રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોચાડવાનું આયોજન માટે રૂ. ૧૦૮૪ કરોડ ફાળવીને કચ્છ પાણી ક્ષેત્રે સેલ્ફ સફીસીયન્ટ બને તેવી નેમ છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબ પરિવારોને અત્યાર સુધી રેશનકાર્ડ પર ચોખા, ઘઉ અને તહેવારોમાં ખાંડ મળતી હતી તેમાં એક નવી વ્યવસ્થા ઊભી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે તેમ જણાવ્યું હતું.
આ અંતર્ગત આશરે ૬૬ લાખ લાભાર્થીઓને, લાભાર્થીદીઠ વાર્ષિક ૧ર કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ માટે રૂ. ર૮૭ કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી ગરીબોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરીને આ અર્બન હેલ્થ  સેન્ટરમાં એમ.બી.બી.એસ. કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા આગામી બે વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને ખૂલ્લામાં શૌચમુકત રાજ્ય બનાવ્યા બાદ હવે ગરીબોને ઘરમાં જ સ્નાન ઘરની સુવિધા પણ મળી રહે તે માટે નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો રૂ. ૩૦૦૦ની સામે રાજ્ય સરકાર દ્વારા રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે જે માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
 અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારના અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ. ૧પ૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વધારો કરી હવે રૂ. ર૧૬૦ આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૩૩૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મહિલા ઉત્કર્ષ માટેની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખીમંડળોને શૂન્ય ટકા વ્યાજે લોન આપી પહેલા લોન પછી વ્યવસાયની વ્યવસ્થા વિકસાવવા માટે આ બજેટમાં જે જોગવાઇ છે તેને વધાવી હતી.
દેશ-વિદેશમાં વસતા સંપન્ન નાગરિકો પોતાના વતનના ગામમાં માદરે વતન યોજના હેઠળ શાળા, શાળાના રૂમ, સ્માર્ટ કલાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, વટર વ્યવસથા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓને વિકસાવવા દાતા તરીકે જે દાનની રકમ આપે તેટલી જ જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે, અને પબ્લીક પાર્ટીશીપેશનથી સુવિધાયુકત ગોકુલ ગામ બનાવવાની યોજનાની વિગતો પણ શ્રી વિજયભાઇ રૂપાણી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ફ્રાટ્રકચર ડેવલપમેન્ટમાં કઇ કચાશ ન રહે તે માટે સ્માર્ટ ટાઉન શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટેની યોજનાની પણ સરાહના કરી હતી.
તેમણે સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુકત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. પ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તે સાથે મહાનગરોના અંદાજે ૧,ર૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય માટે રૂ. પ૦ કરોડની જોગવાઇથી સમાજના અંતિમ વર્ગના માનવીના હિતનો વિચાર કરવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે તેમજ બાંધકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ. ૭પ૦૦ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે તેવી શ્રમિક કલ્યાણલક્ષી યોજનાને આવકારી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાર્પેટ ન થયા હોય તેવા બાકી રહેતા રસ્તાઓના રિસરફેસીંગ માટે તેમજ નબળા કે જર્જરિત પુલોનું મજબૂતીકરણ કે પુનઃબાંધકામ કરવા માટે બજેટમાં કરવામાં જે ફાળવણી કરવામાં આવી છે તે મહત્વપૂર્ણ ગણાવી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણા ખાતે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે કરવામાં આવેલી જોગવાઇથી આ સ્થળોનો વિકાસ વધશે તેમ જણાવ્યું હતું.
તેમણે દેશ-વિદેશમાં વસતી નવી પેઢી ગુજરાત વિશે સૂપેરે પરિચિત થાય તે માટે ‘‘ગુજરાતને જાણો’’ નામની નવી યોજના અંતર્ગત વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવાની પહેલને આવકારી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ટુરિઝમ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ બજેટમાં ભાર આપવામાં આવ્યો છે. ઉપરકોટ, બાલાસિનોરનો ડાયનાસૌર પાર્ક, શિવરાજપુર બ્રિજ અને અમરેલીમાં આંબરડી સફારી પણ ટુરિસ્ટ સેન્ટર બને તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આ બજેટને સર્વાંગીણ વિકાસ નેમ સાથે તમામ ક્ષેત્રોને આવરી લેતું બજેટ ગણાવ્યું હતું.
સી.એમ.પી.આર.ઓ.                    ......  ....... .......

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાધકામો માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નૂડાની કામગીરી કાબીલેતારીફ કે.....?

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાધકામો માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નૂડાની કામગીરી કાબીલેતારીફ કે.....? 
                                                               નવસારી જીલ્લામાં આજે છેલ્લા ૪ વર્ષ થી નૂડાની કચેરી નો જન્મ થયા છે. સરકાર નો હેતુ વિકાસ માટે અને ભ્રષ્ટાચાર બંધ થસે. પાર્દરશિતા આવશે.પરંતુ આજે નૂડાની તાબા હેઠણ બાધકામો માટે પરવાનગી માટે તમામ પુરાવો હોવા છતા અરજદારો ત્રાહિમામ થઈ રહ્યા છે. જેમાં પહેલા થી જે તે કચેરીઓ જેમાં વિજલપોર નગરપાલિકા તેમજ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓ જેની પાસે થી તમામ સત્તાઓ નાબૂદ કરવામાં આવેલ છે. એમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી કામગીરી થી મળતો નાણાં બંધ કરવામાં આવે ત્યારે દરેકે દરેકને આર્થિક નુકસાન થાય છે. જેથી એક પણ કચેરી નૂડાનો કાયદો ને અમલવારી કરતા નથી. અને લોક ચર્ચા દ્વારા મળેલ માહિતી મુજબ સદરકાયદાની અમલીકરણ કરાવવા માટે નવસારી જિલ્લામાં સક્ષમ અધિકારી નથી. અને કાયદેસર કામગીરી કરવા તપાસ કરાવી કાર્યવાહી કરવા ગુજરાત તકેદારી આયોગ માં ફરિયાદ કરતા નવસારી જિલ્લાના અધિકારીઓ માં હળકંપ જોવા મળી રહ્યો છે. તકેદારી આયોગ કચેરી નવસારી કલેકટર ને તપાસ કરવા જણાવ્યું છે. નવસારી કલેકટર કચેરી જિલ્લા પંચાયત ને કાર્યવાહી કરવા અને નવસારી જિલ્લા પંચાયત એ નવસારી કલેકટર કચેરી ને કાર્યવાહી કરવા જણાવેલ છે. ખરેખર તપાસ અને કાર્યવાહી કરવા માટે જવાબદાર કોણ છે.? તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતુ કે નૂડાની કચેરીની જ જવાબદારી છે. છતા નવસારી જિલ્લા કલેકટર કચેરી જિલ્લા પંચાયત ઉપર કયા કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવે છે.? એક બીજા ઉપર કાર્યવાહી માટે જણાવતા આજે સદર વિસ્તારમાં નાગરિકો ત્રાહિમામ થઈ રહ્યા છે. જાણકારોના મંતવ્ય મુજબ પરવાનગી આપનાર કચેરીની સમગ્ર જવાબદારી છે. તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી એ ગેરકાયદેસર બાધકામો માં આકારણી ન કરવા હુકમ પણ કરેલ હતી. પરંતુ જમીની હકીકતમાં આજે નવસારી જિલ્લામાં કાયદા કાનૂન ની ઐસીકી તૈસી અધિકારીઓ જ કરી રહ્યાં છે.નવસારી જિલ્લા આજે અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર રીતે કાર્યરત છે. મોટા ભાગના મામલતદારો પ્રાન્ત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ કે સર્વોચ્ચ અધિકારીઓ આજે એમના તદ્દન નિચલી કક્ષાના અધિકારીઓ પાસે સલાહ લેતાં નજરે પડે છે. જે સાબિત કરે છે કે ગુજરાત વિકાસ કેમ અટકી ગયો છે. આજે સરકાર કાયમી ધોરણે અધિકારીઓ ને લાખો રુપિયા વેતન પણ આપે છે અને તાલીમ વેતન અને હોદ્દો સાથે આપી રહી છે. જેના પરિણામે આજે દરેક વિભાગમાં અધિકારીઓ કર્મચારીઓ ફકત વેતન વધારવા માટે હળતાલની ધમકીઓ સરકાર ને આપી રહ્યા છે. સરકાર હવે ફરીથી વિચાર કરવા મજબૂર થઈ રહી છે. કોઈ પણ હોદ્દો પહેલા જ જરૂરી તમામ તાલીમ આપી ફરજીયાત પરીક્ષા પાસ થવા પછી રાખવા માટે જાણકારોના મંત્વયો મળી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે સદર બાબતે નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતાના મળેલ સત્તા અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ જનહિત સાથે ગુજરાત ના વિકાસ અને પારદર્શક સરકાર માટે કાયદેસર કાર્યવાહી કરશે એની આજે રાહ જોવાઈ રહી છે.

Monday, February 24, 2020

નવસારી:- પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર નો અધિકાર....? ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 

નવસારી:- પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર નો અધિકાર....? ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 
    
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે. સરકાર ઠેર ઠેર પ્રચાર પ્રસાર ભ્રષ્ટાચાર રોકવા માટે કરોડો રૂપિયા ફકત બેનરો માટે ખર્ચે છે.એ ખર્ચ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યો છે. સરકાર બેકફુટ ઉપર ભલે આવી જાય પરંતુ એના જ પ્રશાસનિક અધિકારીઓ ભ્રષ્ટાચારનો અધિકાર માટે રાત - દિવસ મહેનત કરી રહ્યા છે. ધોણા દિવસે ડકૈતી કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયા બેનરો પાછળ ખર્ચ કરશે પરંતુ તપાસ કરવા માટે જિલ્લા દીઠ એક તટસ્થ અધિકારીની નિમણૂંક કેમ ન કરી શકે ?અહીં સ્થાનિક સમાચાર પત્રો માં અહેવાલ ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લા માં સમાચાર પત્રોમા પ્રસિદ્ધ થતા અહેવાલને જેતે જિલ્લા ની કચેરી અને ગાધીનગર સુધી પહોચાડવા માટે મીડિયા ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસર કાર્યરત છે. પરંતુ ભ્રષ્ટાચાર એવા અધિકારીઓને પોતાના કદમપોસી કરાવી ચુકેલ છે. પુરવઠા સંબંધિત કચેરીના મુખ્ય અધિકારીઓની નોકરી એમના અધિકાર છે. સરકારની ફરજમાં આવે છે એમનો ભરણપોષણ કરવા સરકારના બંધારણ માં છે. ત્યારે એ કાયદેસર કામ કરવા બંધાયેલ નથી. દર વર્ષે દેશ માં આશરે ૭૫૦ અરબ રૂપિયા ફકત સરકારી રાશન પાછળ ખર્ચે છે.કરોડો અરબો રૂપિયા એલપીજી ઘરેલુ ગેસની સબસિડી પાછળ આપે છે.
 જીડીપીનો એક થી બે  ટકો ખર્ચ કરતી સરકારને આજે અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે. હાલમાં એક અરજદારે સરકારી રાશનની દુકાનોમા બિલ આપવા માટે જોરદાર  ફરિયાદ થઈ હતી. પરંતુ અહીં અધિકારીઓ એ અરજીને તપાસ કરવા બદલે સ્વચ્છ ભારતની ટોકરી માં મુકીને સંતોષ વ્યક્ત કરી છે.
નવસારી જિલ્લામાં મામલતદારો પાસે સરકારના પરિપત્ર મુજબ સરકારી રાશનની દુકાનો માં કરવામાં આવતી લઘુતમ તપાસ માટે દર માસે ૧૮ પરવાનેદારોની તપાસ અને  દર ત્રણ માસે ફરજિયાત દરેક દુકાનોની તપાસ કરવાની હોય છે. એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મા એક પણ મામલતદાર કચેરી કાયદેસર તપાસ કરેલ નથી. દર માસે એક મામલતદારની કચેરી દ્વારા ૧૮ દુકાનોની તપાસ કરવો જોઈએ. વર્ષે ૨૧૬ના બદલે મોટા ભાગની કચેરી થી છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલીક દુકાનોની તપાસ કરેલ નથી. એલપીજી ગેસ એજન્સીઓની તપાસ કરવો એ અધિકારીઓ ગુનો સમજી તપાસ જ નથી કરી શકતા. લાભાર્થીઓને બિલ આપેલ છે કે કેમ.? પરવાનેદારો પાસે બિલો આપવા માટે પ્રિન્ટર મશીન  છે કે કેમ .? અને વધુ જ કાયદેસર છે ત્યારે જેતે કચેરી માં મગાવી આરટીઆ માં  અરજદારને કેમ નિરીક્ષણ કરવા મા સંકોચ કરી રહ્યા છે. એ આજે દરેકે દરેક સમજી શકે છે.
     નવસારી જિલ્લા માં પુરવઠાવિભાગની તપાસ માટે નાયબ મામલતદાર પુરવઠા ,મામલતદાર , પ્રાન્ત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી અને એની કચેરીના મોટા ભાગના અધિકારીઓ સાથે ગાધીનગર અમદાવાદ સુધીના અધિકારીઓ સામેલ છે. છતા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે ફરિયાદ કોણે કરવી? અને કયાં કરવી ? એ એક સળગતો પ્રશ્ન છે. ? આજે સવાલ કરનાર ઉપર જ કાયદાકીય તપાસ કરવો, દેશ દ્રોહ જેવો ગુનો અથવા એન કેન પ્રકારેણ કેસ દાખલ કરવાની એક પ્રથા પ્રચલિત છે. જેથી નાગરિકો હોય કે સમાજસેવી સંસ્થાઓ, જાગૃત નાગરિક હોય કે મીડિયા કર્મીઓ , આરટીઆઈ એક્ટીવિસ્ટો હોય કે અન્ય . સરકાર ગમે એ સારી યોજનાઓ કે ખર્ચ કરે. અમલવારી કૌણ કરશે ? 
નવસારી જિલ્લામાં આશરે ૧૫ જેટલી એલપીજી ગેસ એજન્સીઓ છે. અને સદર ગેસ એજન્સીઓના પરવાનેદારો ફકત એક પરવાનેદાર કે કમીશન એજન્ટ છે. એ કોઈ માલિક નથી. સરકાર ગેસ વિતરણ કરવા માટે દરેક કામ માટે મજુરી પેટે કે જેતે નાગરિકોના ઘરે અને ગોડાઉન ડિલવરી કરવા માટે અલગ અલગ રીતે કમીશન આપે છે. સરકારની નવી નવી યોજના દીઠ  કમીશન આપવામાં આવે છે. અને એ એજન્સીઓ આજે કેટલાક લર્ષોથી એક ન એક પરવાનેદારો પાસે છે. અને એક જ પરવાનેદાર પાસે એક એજન્સી વર્ષો સુધી રહે ત્યારે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થવો એક સામાન્ય વાત છે. અને આજે મળતી માહિતી મુજબ પરવાનેદારો પોતે માલિક સમજી ગયા છે. અને ભ્રષ્ટાચાર જ નહિ નાગરિકો સાથે અસભ્ય વર્તન કરતા પણ જોવા મળે છે. ટુક સમય માં કરોડપતિ કેવી રીતે થઈ શકે છે..? સરકાર પાસે આજે એમની સંપત્તિની તપાસ માટે અરજીઓ કરવાની ચર્ચા ચાલી રહી છે. દરેક પરવાનેદારની ફરજ છે કે એકસપાયર ડેટના એલપીજી ગેસના બાટલાઓ પરત કરે. પરંતુ પરવાનેદારો ભ્રષ્ટાચાર કરવામાં જ ઉપર નથી આવતા.સદર એલપીજી ગેસ એજન્સી ઓ માં મજુરોને કે કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ વેતન અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં નથી આવતો. જેની તપાસ માટે નવસારી શ્રમ આયુક્તની કચેરી દ્વારા આજે વર્ષે પણ તપાસ કરવામાં નથી આવ્યો. શ્રમ આયુક્ત કચેરી છે કે આશ્રમ છે એ સમજવો મુશ્કેલ છે.સરકાર એવા ખાનાપૂર્તિ કરવા માટે વર્ષે કરોડો રૂપિયા કેમ ખર્ચે છે.ગેસ એજન્સીઓ માં તપાસ કરનાર અધિકારીઓ પણ આજે વર્ષો સુધી તપાસ કેમ નથી કરી શકતા ? એ અહીં લખી શકાય નહીં. પરંતુ એ જગ જાહેર છે.આજે એલપીજી ગેસનો ભાવ ડબલ થયા છે. એના ઉપર એજન્સીના પરવાનેદારોના ભ્રષ્ટાચાર ..હવે મોઘવારી મંદી અને ભ્રષ્ટાચાર દિવસે  દિવસે બધી રહ્યો છે. અને પરવાનેદારો જેની પાસે ટુક સમયમાં જ કરોડો અરબોની સંપત્તિ ભેગી થતી છે. એની તપાસ આજે કોણ કરશે.?
નવસારી જીલ્લામાં નવસારી પ્રાન્ત કચેરી માં નવસારી શહેર ,ગ્રામ્ય અને જલાલપોર તાલુકા મામલતદાર શ્રી ઓ સામે પુરવઠા માં થતો ભ્રષ્ટાચાર અને સરકારી કાયદા મુજબ તપાસ વગેરે કાયદાઓ માં કરેલ આરટીઆઈ ની પ્રથમ અપીલની સુનવણી આજે થવાની છે. આજે સરકારી કાયદાઓ અને કરેલ કામગીરી સાથે ખાસ કરીને પરવાનેદારો દ્વારા લાભાર્થીઓને આપેલ બિલો માટે  માહિતી અધિકાર માં શું ન્યાય મળશે ? એના ઉપર સૌની નજર છે..? અગાઉ ના અપીલ અધિકારીઓ અને જાહેર માહિતી અધિકારીઓ એ અરજદાર ને દરેક પરવાનેદારો દ્વારા તમામ બિલો અને રજી. મામલતદાર શ્રીઓની કચેરી માં માહિતી નિરીક્ષણ કરાવેલ હતા. આજે ભ્રષ્ટાચાર વધ્યુ છે એ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી પોતે જણાવી રહ્યા છે.
 આજે પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોના હિત માટે સરકાર દ્વારા નવસારી જિલ્લામાં થતો ખર્ચના હિસાબ થસે ? તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિહ મુજબ આરટીઆઈ સે ભ્રષ્ટાચાર કમ હુઆ.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી કે મુતાબિક આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર...
નવસારી જીલ્લામાં આજે રાશન અને ગેસ એજન્સી બન્ને સરકારી પરવાનેદારો ની તપાસ સરકાર ક્યારે કરાવશે .? એ જોવાનુ બાકી રહ્યો.  

Sunday, February 23, 2020

ज्योतिष एक ब्रह्मविज्ञान है । आइये जाने ज्योतिष पर एक विचार


ज्योतिष पर ओशो के विचार 
 

             ज्योतिष के नाम पर सौ में से निन्यानबे धोखाधड़ी है। और वह जो सौवां आदमी है, निन्यानबे को छोड़ कर उसे समझना बहुत मुश्किल है। क्योंकि वह कभी इतना डागमेटिक नहीं हो सकता कि कह दे कि ऐसा होगा ही। क्योंकि वह जानता है कि ज्योतिष बहुत बड़ी घटना है। इतनी बड़ी घटना है कि आदमी बहुत झिझक कर ही वहां पैर रख सकता है। जब मैं ज्योतिष के संबंध में कुछ कह रहा हूं तो मेरा प्रयोजन है कि मैं उस पूरे-पूरे विज्ञान को आपको बहुत तरफ से उसके दर्शन करा दूं उस महल के। मैं इस बात की चर्चा कर रहा हूं कि कुछ आपके जीवन में अनिवार्य है। और वह अनिवार्य आपके जीवन में और जगत के जीवन में संयुक्त और लयबद्ध है, अलग-अलग नहीं है। उसमें पूरा जगत भागीदार है। उसमें आप अकेले नहीं हैं।
         अस्तित्व में सब क्रिसक्रास प्वाइंट्स हैं, जहां जगत की अनंत शक्तियां आकर एक बिंदु को काटती हैं; वहां व्यक्ति निर्मित हो जाता है, इंडिविजुअल बन जाता है। तो वह जो सारभूत ज्योतिष है उसका अर्थ केवल इतना ही है कि हम अलग नहीं हैं। एक, उस एक ब्रह्म के साथ हैं, उस एक ब्रह्मांड के साथ हैं। और प्रत्येक घटना भागीदार है।
         जब एक बच्चा पैदा हो रहा है तो पृथ्वी के चारों तरफ क्षितिज को घेर कर खड़े हुए जो भी नक्षत्र हैंग्रह हैं, उपग्रह हैं, दूर आकाश में महातारे हैंवे सब के सब उस एक्सपोजर के क्षण में बच्चे के चित्त पर गहराइयों तक प्रवेश कर जाते हैं। फिर उसकी कमजोरियां, उसकी ताकतें, उसका सामर्थ्य, सब सदा के लिए प्रभावित हो जाता है।
           जन्म के समय, बच्चे के मन की दशा फोटो प्लेट जैसी बहुत ही संवेदनशील होती हैं। जब बच्चा गर्भ धारण करता है, यह पहला एक्सपोजर है। जब बच्चा पैदा होता है वह दूसरा एक्सपोजर है। ये दो एक्सपोजर बच्चे के संवेदनशील मन पर फिल्म की तरह छप जाते हैं। उस समय में जैसी दुनिया है वैसी की वैसी बच्चे पर छप जाती है। यह बच्चे के सारे जीवन की सहानुभूति और विद्वेष को तय करता है.
                     इस संबंध में यह भी आपको कह दूं कि ज्योतिष के तीन हिस्से हैं एकजिसे हम कहें अनिवार्य, एसेंशियल, जिसमें रत्ती भर फर्क नहीं होता। वही सर्वाधिक कठिन है उसे जानना। फिर उसके बाहर की परिधि हैनॉन एसेंशियल, जिसमें सब परिवर्तन हो सकते हैं। मगर हम उसी को जानने को उत्सुक होते हैं। और उन दोनों के बीच में एक परिधि हैसेमी एसेंशियल, अर्द्ध अनिवार्य, जिसमें जानने से परिवर्तन हो सकते हैं, न जानने से कभी परिवर्तन नहीं होंगे। तीन हिस्से कर लें। एसेंशियलजो बिलकुल गहरा है, अनिवार्य, जिसमें कोई अंतर नहीं हो सकता। उसे जानने के बाद उसके साथ सहयोग करने के सिवाय कोई उपाय नहीं है। धर्मों ने इस अनिवार्य तथ्य की खोज के लिए ही ज्योतिष की ईजाद की, उस तरफ गए। उसके बाद दूसरा हिस्सा हैसेमी एसेंशियल, अर्द्ध अनिवार्य। अगर जान लेंगे तो बदल सकते हैं, अगर नहीं जानेंगे तो नहीं बदल पाएंगे। अज्ञान रहेगा, तो जो होना है वही होगा। ज्ञान होगा, तो आल्टरनेटिव्स हैं, विकल्प हैं, बदलाहट हो सकती है। और तीसरा सबसे ऊपर का सरफेस, वह हैनॉन एसेंशियल। उसमें कुछ भी जरूरी नहीं है। सब सांयोगिक है।
                 मैं जिस ज्योतिष की बात कर रहा हूं, और आप जिसे ज्योतिष समझते रहे हैं, उससे गहरी है, उससे भिन्न है, उससे आयाम और है। मैं इस बात की चर्चा कर रहा हूं कि कुछ आपके जीवन में अनिवार्य है। और वह अनिवार्य आपके जीवन में और जगत के जीवन में संयुक्त और लयबद्ध है, अलग-अलग नहीं है। उसमें पूरा जगत भागीदार है। उसमें आप अकेले नहीं हैं .
               तीन बातें हुईं। ऐसा क्षेत्र है जहां सब सुनिश्चित है। उसे जानना सारभूत ज्योतिष को जानना है। ऐसा क्षेत्र है जहां सब अनिश्चित है। उसे जानना व्यावहारिक जगत को जानना है। और ऐसा क्षेत्र है जो दोनों के बीच में है। उसे जान कर आदमी, जो नहीं होना चाहिए उससे बच जाता है, जो होना चाहिए उसे कर लेता है। और अगर परिधि पर और परिधि और केंद्र के मध्य में आदमी इस भांति जीये कि केंद्र पर पहुंच पाए तो उसकी जीवन की यात्रा धार्मिक हो जाती है.
              जब तुम ज्योतिषी के पास जाते हो, उससे आवश्यक प्रश्न पूछो, जैसे कि मैं तृप्त मरूंगा या अप्रसन्न मरुंगा?’ ये पूछने जैसा प्रश्न है; यह एसेंसियल ज्योतिष से जुड़ा है। तुम सामान्यतया ज्योतिषी से पूछते हो कि कितना लंबा तुम जिओगे--जैसे कि जीना पर्याप्त है। तुम क्यों जिओगे? किसके लिए तुम जिओगे? ज्योतिष तुम्हारे हाथ में उपकरण हो सकता है यदि तुम एसेंसियल को नॉन एसेंसियल से अलग कर सको।
                गुलाब का फूल गुलाब का फूल है, वहां कुछ और होने का कोई प्रश्न ही नहीं है। और कमल कमल है। न तो कभी गुलाब कमल होेने की कोशिश करता है, न ही कमल कभी गुलाब होने का प्रयास करता है। इसी कारण वहां कोई विक्षिप्तता नहीं है। उन्हें मनोविश्लेषक की जरूरत नहीं होती, उन्हें किसी मनोवैज्ञानिक की जरूरत नहीं होती। गुलाब स्वस्थ है क्योंकि गुलाब अपनी वास्तविकता को जीता है । और यही सारे अस्तित्व के साथ है सिवाय मनुष्य के। सिर्फ मनुष्य के आदर्श और चाहिए होता है। तुम्हें यह या वह होना चाहिए’--और तब तुम अपने ही खिलाफ बंट जाते हो। चाहिए और है दुश्मन है। और जो तुम हो उसके अलावा कुछ और नहीं हो सकते। इसे अपने हृदय में गहरे उतरने दो: तुम वही हो सकते हो जो तुम हो, कभी भी कुछ और नहीं। एक बार यह सत्य गहरे उतर जाता है, ‘मैं सिर्फ मैं ही हो सकता हूंसभी आदर्श विदा हो जाते हैं। वे स्वतः गिर जाते हैं। और जब कोई आदर्श नहीं होता, वास्तविकता से सामना होता है। तब तुम्हारी आंखें यहां और अभी हो जाती हैं, तब तुम जो है उसके लिए उपलब्ध हो जाते हो। भेद, द्वंद्व, विदा हो जाते हैं। तुम एक हो। 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...