Saturday, April 18, 2020

નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ રામભરોસે...! ભ્રષ્ટાચારની તપાસ માટે જવાબદારી અધિકારીઓ શોધવો મુશ્કેલ...?

નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ રામભરોસે...! જવાબદારી અધિકારીઓ શોધવો મુશ્કેલ...?

નવસારી જિલ્લામાં વર્ષો થી પુરવઠા વિભાગ રામભરોસે ચાલી રહ્યો છે. સરકારના સંબધિત અધિકારીઓ આજે કાયદેસર જવાબ આપવામાં આનાકાની કરતા જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓ માં કાયદેસર ભ્રષ્ટાચારના સમાચારો સમાચાર પત્રો માં પોતાના સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. પરંતુ અહીં તપાસ કરનાર અધિકારીઓનો પેટનો પાણી હલતો નથી. જેમાં આજે સંપૂર્ણ ભારતમાં કોરોના જેવી મહામારી થી સુરક્ષા માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે. અને આજે સરકાર દ્વારા તમામ નાગરિકોને સરકારી અનાજ પહોચાડવા માટે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાન સિવાય કોઈ અન્ય રસ્તો નથી. જેના અનુસંધાન માં આજે સરકારી પુરવઠા વિભાગની કાળાબાજારી ઠેર ઠેર ઉજાગર થઈ રહી છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ સરકારના ધરાધોરણ મુજબ લઘુતમ તપાસ પણ ન કરી બાપુ દર્શન કરતા અધિકારીઓ આજે કિંકર્તવ્યવિમૂઢ નજરે પડી રહ્યા છે. આજે પણ સરકારી રાશન માં હેરાફેરી થઈ રહ્યો છે. ખરેખર જે આજે લોકડાઉન દરમિયાન નાગરિકોને સરકારી રાશન આપવામાં આવેલ છે એનો કોઈ ઠોસ દસ્તાવેજી પુરાવા નથી.અને નવસારી શહેર, નવસારી ગ્રામ્ય કે જલાલપોર મામલતદારો ને રૂબરૂ મુલાકાત માં પૂછતા કોઈ કાયદેસર જવાબ મળેલ નથી. સરકાર શ્રી દ્વારા એપીએલ -૧ કાર્ડ દીઠ રાશન આપવાની જાહેરાત અહિં અધિકારીઓ અને પં.દી.દ.ગ્રાહક ભંડારના પરવાનેદારો ના મિલીભગત થી કાયદેસર હેરા ફેરી કરવામાં આવી રહ્યો છે.
નવસારી જિલ્લા માં હાલમાં એક વીડિયો સરકારી રાશનની હેરાફેરી માટે નવસારી શહેર મામલતદાર કચેરી માં તપાસ અધિકારીને તપાસ રિપોર્ટની માહિતી માં કોઈ જવાબ આપી શકાયુ નહીં. ખરેખર તપાસ કરવા પછી સાચી રિપોર્ટ આપવા અધિકારીઓ કેમ આનાકાની કરી રહ્યો છે. એની પાછળ શું રહષ્ય છે.? કાયદેસર ભ્રષ્ટાચાર કરી ગરીબોનો અનાજ હેરાફેરી કરવામાં આવેલ છે. ત્યારે એ રિપોર્ટની માહિતી શા માટે આપી શકાતુ નથી.? નવસારી જિલ્લા કલેકટર શ્રી સદર બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ સદર તપાસ એસીબી દ્વારા તપાસ કરાવશે ખરા..? તપાસ અધિકારીઓની કોઈ મિલીભગત છે કે કોઈ અન્ય દબાણ કરવામાં આવેલ છે..? જાણકારોના મંતવ્ય મુજબ એસીબી તપાસ કરાવવા માં આવે ત્યારે એક મોટો કોભાન્ડ બહાર આવશે એમાં કોઈ શંકા નથી. સદર બાબતે ગાધીનગરની સંબંધિત અધિકારી પાસે પણ ફરિયાદ કરવામાં આવેલ છે. હવે સદર બાબતે નવસારી જીલ્લામાં નાગરિકોને અપાતો અનાજ જેમાં કોઈ કાચો પાકો બિલ આપવાની અહીં પ્રથા નથી. અને ઉપરોકત કાળાબજારી માં કાયદેસર કાર્યવાહી ન થતા  અમુક સલામતી દંડ સાથે ૬માસ માટે 
મામલો શાંત કરવા દુકાન બંધ રાખવાનો હુકમ કરવામાં આવેલ છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સંબધિત તમામ અધિકારીઓ નાગરિકોને મળતો અનાજ માટે એમના રજી. મોબાઈલ ઉપર અગાઉની જેમ ફરીથી ચાલુ કરાવવા અને સરકારશ્રી દ્વારા લઘુત્તમ તપાસણી કાર્યક્ર્મ મુજબ તપાસ કરશે ખરા..?  એના ઉપર આજે નાગરિકો ની નજર રહેશે...

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...