Thursday, November 18, 2021

નવસારી જિલ્લામાં ચિખલી ખાતે આદિવાસી ખેડૂતોને ફરી થી સરકારી સહાય..! વારંવાર સહાય છતા કુપોષણ બેરોજગારી સૌથી વધુ ...!




ચીખલી ખાતે આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને
મંજૂરીપત્ર અને ચેક વિતરણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ



નવસારી જિલ્લામાં રૂ.૮૨૩.૯૯ લાખના ખર્ચે કુલ ૧૬૩૯૯ લાભાર્થીઓને કિટ વિતરણ ઃ

નવસારી- ગુજરાત સરકારશ્રીની આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાની કીટ, દુધાળા પશુ સહાય, મંજૂરીપત્ર અને ચેક વિતરણ કાર્યક્રમ રાજયના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી સુરખાઇ, ચીખલી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ લોકોની ચિંતા કરી વ્યકિતગત લાભો તેના ઘર સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ છે. જેમાં ખાસ કરીને આદિજાતિના લોકોને માળખાકીય સુવિધા, સારા રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપી રહી છે. આદિજાતિના દરેક લાભાર્થીઓને લાભ મળવો જ જોઇઍ. મંત્રીશ્રીઍ આદિજાતિ વિભાગ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ યોજનાઓ વિશે સવિસ્તાર જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.
મંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વાસ્થ્યલક્ષી અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં સ્કિનીંગ લઇને સારવાર સુધીની સેવા આપવામાં આવશે. જેમાં ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ થશે. રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામને જણાવ્યું હતું.
નવસારી જિલ્લામાં રૂ.૮૨૩.૯૯ લાખના ખર્ચે કુલ ૧૬૩૯૯ લાભાર્થીઓને કિટ વિતરણ, રૂ.૪૭૨.૩૨ લાખના ખર્ચે ૯૫૦૩ વ્યકિતગત લાભાર્થીઓને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અન્વયે કિટ વિતરણ કરવામાં આવશે. આદિમજૂથ જાતિના લોકોના વિકાસ યોજના અન્વયે ૧૦૦ આવાસ માટે ૧૨૦-૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પીવાના પાણી માટે ઘેર ઘેર નળ કનેકશન યોજના માટે રૂ.૪૦-૦૦ લાખની જોગવાઇ મંજૂર કરાઇ છે. બેરોજગાર આદિજાતિના ભાઇઓ-બહેનોને રોજગારી માટે ગુજરાત સરકારશ્રીની ૪ ટકા તેમજ ભારત સરકારશ્રીની ૬ ટકા વ્યાજે લોન આપવામાં આવે છે.


 મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૧૬ જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય મંજૂરી પત્ર અને ચેક વિતરણ ઍનાયત કરાયા હતાં.
   નવસારી જિલ્લામાં આજે ગુજરાત રાજ્ય સરકાર મોટા ભાગના લોકો ને તમામ પ્રકારની મદદરૂપ થઈ રહી છે.પરંતુ જમીની હકીકત માં આજે પણ સૌથી વધુ પ્રમાણમાં બેરોજગારી અને કુપોષણ જોવા મળે છે. ખરેખર સરકાર દ્વારા આપેલ સહાય યોજના મુજબ આપવામાં આવતી મદદ મળતી જ નથી. અને એની તપાસ કરવા માટે સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય આજે સૌથી ઉતરતી કક્ષાએ પહોંચી ગઈ છે.ખેડુતોને શાની જરૂર છે એ ખેતીવાડી અધિકારી હોવા છતાં ગાંધીનગર થી આવતા અને બિન જરૂરી ટ્રસ્ટ ના મંત્રીઓ નક્કી કરે છે. રોજગાર માટે હોય કે મહિલાઓ માટે રોજગારીની તકો એ સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓ નક્કી કરવા જોઈએ.સ્વાસ્થય માટે જિલ્લા આરોગ્ય અધિકારી ના બદલે ટ્રસ્ટી મંડળ ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે નકકી કરે છે. દરેકે દરેક માટે માર્કેટ આપવા ફરજીયાત છે. પરંતુ શિક્ષણ પછી માર્કેટ ન આપવા થી ફક્ત સરકાર ની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં એક માહિતી મુજબ ૭૦ લાખ રૂપિયા માં ફક્ત એક લાખ રૂપિયા ખર્ચ કરી નવસારી કૃષિ યુનિવર્સિટી ના પ્રોફેસરો અન્ય ખર્ચ બતાવી બેરોજગારી ની સંખ્યા માં વૃદ્ધિ કરવા પોતાના નોલેજ લગાવી નાણાં માં ડકૈતી જેવી કૃત્ય કર્યું છે. એવા પુરાવા આપવા છતાં ગુજરાત તકેદારી આયોગ અને સહકાર વિભાગ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. એવી રીતે સિલાઇ મશીન બદલે સહીઓ કરાવી છે. 




No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...