Wednesday, May 29, 2019

આઇટીઆઇ બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના પર્દાફાશ ...? આરટીઆઈ

 આઇટીઆઇ બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના પર્દાફાશ ...? - આરટીઆઈ 
પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા આપવામાં આવેલ લાખો રૂપિયાના પાકુ બિલ અદૃશ્ય ...! 
જાહેર માહિતી અધિકારીશ્રી માહિતી અધિકાર અધિનિયમના કાયદાથી અજાણ ..!
ગરીબો, દલિતો, ખેડુતો, બેરોજગારોની આર્થિક હાલત બદથી બદતર .?
જવાબદાર કૌણ..?
          નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઇટીઆઈ માં પ્રાયોજના વહીવટદાર કચેરી વાસદા દ્વારા કરોડો રૂપિયા ગરીબો આદિવાસી ખેડૂતો મહિલાઓના સ્વરોજગાર વિકાસ ઉત્થાન સમૃદ્ધિ માટે આપવામાં આવ્યુ. પરંતુ જમીની હકીકત માં લાભાર્થીઓના હાલત બદથી બદતર  જોવા મળી રહી છે. ખરેખર લાભાર્થીઓને જ લાભો મળેલ છે કે કેમ..? કાયમી ભ્રષ્ટાચાર બેરોજગારી મોઘવારી ની ફરિયાદની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા એક આરટીઆઈ  RTI AGAINST CORRUPTION કલમ ૨૪ મુજબ જેના કાયદા મુજબ કોઈ ને પણ બાકાત રાખવામાં આવતો નથી. એ કાયદા મુખ્ય ટ્રાઈબલ સબ પ્લાન વાસદા માં તારીખ 3/12/218 ના રોજ એક આરટીઆઈ કરવામાં આવી હતી.અને સદર કચેરી આજે છેલ્લા ૬માસ થી જેમની સંપૂર્ણ જવાબદારી છે. માહિતી આપવા બદલે ગુમરાહ કરવા છટકબારી કરી નાગરિકો દ્વારા થતી ફરિયાદ ને મજબુત કરી હતી.પરંતુ કાયમી ધોરણે અરજદારો ને ગુમરાહ કરતા અધિકારી શ્રી માહિતી નિરીક્ષણ કરવા થી સરકારી સેવાલયમા સેવા આપવા થી છુટકારો મેળવવા માહિતી આપી ન હતી.અને કાયદા મુજબ પ્રથમ અપીલ કરવામાં આવી .પ્રાયોજના વહીવટદાર વાસદાનો સર્વોચ્ચ અધિકારી શ્રી પ્રથમ અપીલ માં સુનવણી કરી હુકમ કર્યો છતાં કાયદેસર માગેલ માહિતી અપાવી શકેલ નથી. કાયદા મુજબ માગેલ માહિતી કરેલ હુકમ મુજબ અરજદાર ને ન મળે ત્યારે પોતે મગાવી પોતાની કચેરી માં પુરી પાડે અને સક્ષમ અધિકારી ને સદર બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરવો ફરજિયાત હોવા છતા પરિપત્ર અપીલ દરમિયાન આપવા છતા માહિતી અપાવવા બદલે ફરી એક આરટીઆઈ કરવા ફરજ પાડી . જેથી પોતે સદર ભ્રષ્ટાચાર માં સહભાગિતાનો સબૂત ગણી શકાય. અને રૂબરૂ મુલાકાત માં સવાલોના  જવાબ માં સદર કચેરી દ્વારા જાણ કરવામાં આવ્યો કે પ્રાયોજના વહીવટદાર કચેરીની એકલી જવાબદારી નથી.અને અમલીકરણ અધિકારીઓ પણ ભાગીદાર છે. અરજદાર એ  અમલીકરણ અધિકારીઓને તબદીલ કરવા જણાવ્યુ અને અમલીકરણ અધિકારીઓને આરપીએડીના બદલે સાધારણ ટપાલ દ્વારા તબ્દીલ કરી જેમાં મોટા ભાગ ના અમલીકરણ અધિકારીઓ ટપાલ જ નથી મળી એવો દાવો આજે પણ કરી રહ્યો છે.. જેમાં વસુધારા ડેરીના મેનેજર શ્રી જણાવ્યું છે કે દરેકને ખબર છે એની  મુખ્ય જવાબદારી  પ્રાયોજના વહીવટદાર વાસદાની છે. અને લેખિત માં જવાબ પણ આપેલ છે. ભ્રષ્ટાચાર માં જવાબદારી માં થી મુક્તિ મેળવી પોતે આરટીઆઈ જેમાં આજે દેશના સૌથી મોટુ ધુરંધરો સરકારી સેવાલયનો લાભ લઈ રહ્યા છે.વસુધારા ડેરીના સંચાલક નવો કાયદાઓ ઘડી રહ્યા છે.એવી રીતે મોટા ભાગના અમલીકરણ અધિકારીઓ જેમાં જિલ્લા પંચાયતના વાસદા ચિખલી નવસારી ગણદેવી જલાલપોર નવસારીના વર્ગ એક બે ના તાલુકા વિકાસ અધિકારીઓ પણ સામેલ છે. 
 ઉપરોક્ત માહિતી માં સંજોગવસાત આઈટીઆઈ બીલીમોરા પણ સામેલ છે. જેના અનુસંધાનમાં બીલીમોરા ના ઓદ્યોગિક તાલીમ સંસ્થા આઇટીઆઇના જાબાજ તજજ્ઞ અને અનુભવી આચાર્ય નિરીક્ષણ કરવા ટેલિફોનિક મુલાકાત માં જણાવ્યું હતુ. અને તારીખ ૨૭ મે ૨૦૧૯ના રોજ નિરીક્ષણ કરાવવા રાજી થયા. જેના અનુસંધાન માં તપાસ કરતા સરકાર દ્વારા મજુરો દલિતો આદિવાસીઓ સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોના ખૂન પસીનો અને રાત દિવસ મહેનત મસકકતના કમાણીનો નાણાંનો પાકુ બિલ કે પ્રગતિ પત્રક અદૃશ્ય છે. નિરીક્ષણ માં લાખો રૂપિયાની સેલૂન અને મહિલાઓને રોજગાર લક્ષી કિટો આપેલ છે.એવો કરોડો રૂપિયાના રોજગાર લક્ષી કિટો આપેલના ફાઈલો ટેન્ડરિગ પ્રક્રિયા અને સંસ્થાઓ પાસે સરકારના ધરા ધોરણ મુજબ પાકુ બિલો કે અન્ય તપાસ કરવાની પ્રક્રિયા કે તપાસનો રિપોર્ટ જરૂરી કાર્યવાહી કરવાના રિપોર્ટ ગાયબ છે. આદિજાતિ વિકાસ કે સરકારના પરિપત્ર મુજબ આદિવાસિયો દલિતો ખેડુતો કે સરકારશ્રી દ્વારા અપાતી ટ્રેનિંગ થી ઉત્પન્ન થતી તમામ માટે માર્કેટ ઉભી કરવાની જવાબદારી નિભાવવા અહિં આઈટીઆઈ બીલિમોરા સાથે પ્રાયોજના વહીવટદાર કે અન્યોને પણ ખબર જ નથી. આઇટીઆઈના આચાર્ય શ્રીને આરટીઆઈ વિશે કશુ ખબર નથી.એ પોતે કબુલ કરેલ છે.ગુજરાત માહિતી આયોગ કમિશ્નર સાથે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીઓ કે આઈટીઆઈ વિભાગના ગાંધીનગર ગુજરાત સુધીના સંબધિત તમામ ઉચ્ચ અધિકારીઓ આજે ૧૪ વર્ષે પૂર્ણ થતા આઈટીઆઈ બીલિમોરા મા આરટીઆઈની અમલવારી કરાવવા માં નિષ્ફળ ગયા છે. આજે પોતાની જવાબદારી માની અને સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવો જોઈએ. આઇટીઆઇ બીલીમોરા માં ગંદગીનો સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. સમાચારની ગંભીરતા થી નોધ લઈ વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ ગુજરાત તકેદારી આયોગ કાયદેસર તપાસ કરશે ત્યારે મોટો કોભાંડ વહાર આવશે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા આઇટીઆઈ બીલીમોરા માં થતુ ભ્રષ્ટાચારની ગંભીરતાથી નોધ લઈ ગુજરાતના વિકાસના તમામ શાસન અને પ્રશાસનિક અધિકારીઓને ટૂંક સમયમાં જાણ કરશે. સરકાર ગમે એટલી યોજનાઓ ઘડે અહી અધિકારીઓ સરકારને બદનામ કરવા કમર કશી હોય એવું નજરે પડી રહ્યા છે. સરકાર અધિકારીઓ ઉપર તપાસ કરવા માટે અધિકારી નિમણૂંક કરી રહી છે.છતા છેલ્લે ઢાક કે તીન પાત.. આઇટીઆઈ બીલીમોરા ખાતે મળેલ માહિતી મુજબ આજે 14 વર્ષે પણ આઇટીઆઈ ,આરસીપીએસ , લઘુતમ માસિક વેતન ધારો વગેરે સામાન્ય કાયદાઓની અજુ સુધી અલવારી થયેલ નથી.આચાર્ય શ્રી આઇટીઆઇ બીલીમોરા એ મુલાકાત માં જણાવ્યું છે કે એમને આરટીઆઈ માટે કોઈ તાલીમ આપવામાં આવેલ નથી. આરટીઆઈ ના કાયદા મુજબ પ્રો એક્ટિવ ડિસ્કલોઝર માટે મોખિક અને લેખિતમા પૂછતા જણાવ્યું છે કે એ શું છે.એના વિષય માં ખબર નથી. અને અરજી ઉપર સહિઓ પણ કરી નથી. આખા જિલ્લાને તાલીમ આપનાર પોતે કોઈ પણ કાયદોની તાલીમ લીધેલ નથી ત્યારે અન્યોને કેવી તાલીમ અપાતો હશે ? એ સમજવો અઘરૂ છે.  તાલીમ લેનાર અને એમની કચેરી માં પણ કોઈ ને આરટીઆઈ કે અન્ય કાયદાઓની ખબર નથી. આઈટીઆઈ કચેરી દ્વારા જેટલી યોજનાઓ અને રોજગાર લક્ષી કિટો આપવામાં આવેલ છે એમા કરોડો રુપિયા ના સાધનો અને સામાન આપવામાં આવેલ છે. અને પાકુ બિલો લેવામાં આવેલ નથી. કે તપાસ રિપોર્ટ પણ નિરીક્ષણ દરમિયાન જોવામાં આવેલ નથી. સદર આઇટીઆઈ બીલીમોરા પ્રિન્સિપાલ સાહેબ નિરીક્ષણ દરમિયાન વિભિન્ન સંસ્થાઓ માં ટેલિફોન થી માહિતી કે જવાબ મેળવવા પ્રયાસો કરવા છતા કોઈ કાયદેસર સંવૈધાનિક જવાબો આપવા નિષ્ફળ રહ્યા હતા .એવા અધિકારીઓની કામગીરી થી ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી પણ બદનામ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય માં આરટીઆઈ અમલ કરાવવામાં નિષ્ફળ છે. આઈટીઆઈ ના મહામહિમ એક બોર્ડ કાયદેસર લગાડવો ગુનો સમજે છે. પીએડી કૌણે કહેવાય એ પણ ખબર નથી. પાકુ બિલ કૌણે કહેવાય ખબર નથી . એવા અધિકારીઓ જ સરકાર ને વિકાસ માં સહભાગિતા કરશે. ખરેખર એ ગુજરાતના વિકાસ માં દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જાણકારોના મંતવ્ય મુજબ ગુજરાત સરકાર દ્વારા જે રકમ અને રોજગાર માટે આદિવાસી કે આર્થિક રીતે પછાત ખેડૂતો ગરીબો દલિતો માટે જે યોજનાઓ ચલાવવામાં આવેલ છે. અને આજ સુધી જે રકમ કે સાધનો કિટો ભાઈયો બહેનો ખેડૂતોને આપવામાં આવી એ હકીકત માં ખરેખર આપેલ હોય અને કાયદેસર સરકારના ગાઈડલાઈન મુજબ માર્કેટ ઉભી કરી હોય અને જે આકડો ફાઈલો માં જ છે જમીની હકીકતમાં આપવામાં આવી હોત ત્યારે આજે ચીન જાપાનને પણ ગુજરાત પાસે ઈમ્પોર્ટ કરવા ફરજ પાડી શકાય. પરંતુ અહીં અધિકારીઓ જેના ઉપર કાયદેસર જવાબદારી છે એ જ ઈમાનદાર છે. ત્યારે બેરોજગારી મોઘવારી વિકાસ સમૃદ્ધિ ઉત્થાન જેવા શબ્દો એક જુમલો જેવા રહેશે. આજે ૨૧વીસદી માં દરેક પાસે મોબાઈલ છે. અને આઈટીઆઈ બીલીમોરા દ્વારા આપવામાં આવેલ કિટો સેલૂન વગેરે સાધનો કે નાના નાના લઘુ ઉદ્યોગ શરૂ કરનાર પાસે મોબાઇલ નં. લિસ્ટ માં નથી. સરકાર ના પરિપત્ર મુજબ દરેક ગરીબો આદિવાસીઓ ખેડૂતો દ્વારા ઉત્પન્ન સામાન ચીજ વસ્તુઓ માટે માર્કેટ ઉભો કરવા જેથી એમની મહેનત અને એમના દ્વારા ઉત્પાદન કરેલ વસ્તુઓની ખરી કીમત મળી શકે. અને એવા પરિપત્રોના સંદર્ભ માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ભોગનાર સંબંધિત તમામ અધિકારીઓને ખબર નથી એવુ નથી. મોટા ભાગના અધિકારીઓ પણ એજ વર્ગમાંથી જ આવેલ છે.દરેકને ખબર છે. પરંતુ અહીં જમીની હકીકતમાં જે બનાઓ ગરીબો દલિત ખેડૂતો આદિવાસીઓ આર્થિક રીતે પછાત ખાસ કરીને બહેનો સાથે બની રહ્યો છે. એ અહિ લખી શકાય નહીં. અધિકારીઓને ખબર નથી કે આજે છેલ્લા પાચ વર્ષ થી સતત દેશ પોતે ફકીરો સંન્યાસિઓ મહાત્માઓના રાજ સ્વીકારી છે.અને ફરી થી એમનો જ સાથે છે.જેમાં ભ્રષ્ટાચારનો કોઇ સ્થાન નથી. આજે ફરી ગરીબ આદિવાસી દલિત ભાઈ બહેનો ખેડૂતો બેરોજગાર ભાઈ બહેનોના હક જે સરકાર દિલથી આપી છે.પરંતુ એવા અધિકારીઓ જે પોતાના મહેનત કે લાયકાત થી નહીં સેટિંગ ડોટ કોમ થી આવેલ છે.એમની તટસ્થ તપાસ કરાવવા સરકારના સંબધિત અધિકારીઓ અત્યંત જરૂર અને સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...