Friday, July 12, 2019

નવસારી જિલ્લામાં આયુર્વેદ વિભાગના બિલ્ડિગો લકવાગ્રસ્ત...

નવસારી જિલ્લામાં સરકારી આયુર્વેદ દવાખાનાઓની હાલત જર્જરિત..! 
વિકાસ સમૃદ્ધિના અધિકારીઓ નેતાઓ અદૃશ્ય..? દર્દીઓ તબીબોના અકસ્માત માં ......ની રાહ જોઈ રહ્યા છે...? 

         આજે સૌથી જુની સૌથી સરળ રૂષિ મુનિઓ દ્વારા રચિત માનવ જીવન માટે અતિ ઉત્તમ અસાધ્ય માં અસાધ્ય બીમારીઓની જળ મૂળથી નાબૂદ કરનાર, અસરકારક, ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, સોને રોજગારી આપનાર દેશની આર્થિક વ્યવસ્થાને સુધારો કરનાર , ભારતને વિશ્વ ગુરૂ સુધી પહોચનાર દરેકે દરેકને પોષણ આપનાર , એક માત્ર આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ જેનો વર્ણન દરેક ધર્મ શાસ્ત્રોમા  મળે છે. એ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ભારત દેશથી લુપ્ત થવાને હાલતમાં છે. જેનો પુરાવો દેશના તમામ જિલ્લાઓ માં ચાલતો આયુર્વેદ દવાખાનાઓને જોઈ કહી શકાય છે. એક સર્વે રિપોર્ટ મુજબ સોથી વધૂ ખર્ચ એક નાગરિકને આશરે ૩૦ ટકા બીમારીઓ ઉપર કરવા પડે છે. અને દેશથી સૌથી વધુ રકમ વિદેશો માં એલોપૈથી દવાઓના માધ્યમ થી જઈ રહી છે.જેને રોકવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી. કારણ એક જ છે આપણે સૌ પોતાના ઊપર પોતાની ચિકિત્સા પદ્ધતિ ઉપર વિશ્વાસ નથી કરતા. આજે આયુર્વેદ પદ્ધતિનો તબીબ પણ એલોપૈથી દવાઓ ઉપર જ પ્રેક્ટિસ કરી રહ્યો છે. 
                        નવસારી જિલ્લામાં મોટા ભાગના આયુર્વેદિક દવાખાનાઓની બિલ્ડિગોની હાલત તદ્દન જર્જરિત હાલતમાં છે. આપણી સરકાર ડિઝિટલ ઈન્ડિયા, આધુનિક ભારત, સમૃદ્ધ ભારત, વિકસિત ભારત જેમાં ગુજરાત મોડલના નામે ઠેર ઠેર ગીતો ગાઈ રહી છે. પરંતુ જમીની હકીકત માં સ્વાસ્થ્ય માટે તબીબી સારવાર માટે આજે પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે આધુનિક રીતે કે દર્દીઓ તબીબો બેસી શકે એવી બિલ્ડિગો પણ ઉપલબ્ધ નથી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા આયુર્વેદના દવાખાનાઓની રૂબરૂ મુલાકાત લેતા જે દૃશ્યો જોવા મળ્યું છે એના માટે લખી શકાય એવા શબ્દાવલી માં શબ્દો જ નથી. સૌથી મોઘી પરીક્ષા આપનાર એક એક ચિકિત્સક જર્જરિત જુના જમાનાના મકાનો માં પોતે મોતને પહેલા થી સ્વીકાર કરી ભગવાન ભરોસે અર્પણ કરી દર્દીઓને સારવાર કરતા દૃશ્યમાન છે. મોટા ભાગના મકાનોની સીસી પણ અજુ સુધી આપવામાં આવેલ નથી. અને એ બધુ ભ્રષ્ટાચાર કરી અધિકારીઓ બાપુ દર્શન દ્વારા બનાવવામાં આવેલ છે. અને એ બધુ દેખ રેખ કરવા માટે કોઈ અધિકારી વર્ષો થી નથી.ગુજરાત માં આયુર્વેદ વિભાગના વિકાસ માટે કોઈ યોજના કે ફંડ છે ખરૂ..? મોટા ભાગના અધિકારીઓને ખબર નથી.સદર બાબતે તબીબો પણ અસહાય, અનાથ, મજબૂર નજરે પડી રહ્યા છે.ગુજરાત સરકારના અધિકારીઓ નેતાઓ કયાં છે..? વિકાસ સમૃદ્ધિ જેવા શબ્દો આયુર્વેદ પદ્ધતિ થી વર્ષો પહેલા તલાક લીધેલ હોય જેથી શોધવો મુશ્કેલ છે. જિલ્લા આયુર્વેદ અધિકારીની જગ્યા વર્ષો થી ભરવા માં આવી નથી. તપાસ કરતા જાગૃત નાગરિકો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ શાસન માં ભણતરની જરૂર નથી. અને પ્રશાસન માં બાપુની ધરતી હોવાથી બાપુની તસવીરો થી કામ સરળ રીતે થતો હોય અને એવી જૂની પદ્ધતિનો વિકાસ કરવામાં ગરીબોથી માડી દેશનો વિકાસ માં કોઈ વળતર પર્સનલી થતો નથી. ગરીબોને ખેડૂતોને બેરોજગારોને વિકાસ થસે શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષાનો વિકાસ થસે ત્યારે એવા નેતાઓ અધિકારીઓને પોતાનો સ્થાન કયાં હશે.દરેકને ખબર જ છે. જેથી આયુર્વેદ પદ્ધતિનો વિકાસ માં એવા અધિકારીઓ નેતાઓ કોઈ પણ સંજોગોમાં આગળ આવી શકે નહીં. છતાં સમય પરિવર્તન શીલ છે. આજે દેશ પોતે પરિવર્તન તરફ જઈ રહ્યો છે.દેશ પહેલી વાર એક યોગી પુરુષ ને પસંદ કર્યુ છે. અને આજે યોગ વિશ્વપટલ પર છે. યોગ આયુર્વેદનો એક ભાગ છે. યોગ પોતે સર્વગુણ સંપન્ન છે. યોગનો વિકાસની શરૂઆત થઈ ચુક્યો છે એ પોતે પોતાની જળ એટલે આયુર્વેદ સુધી લઈ જશે.. 
ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લઈ ગુજરાત સરકારના તમામ સંબધિત નેતાઓ અધિકારીઓ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં પોત પોતાના ભાગ ભજવશે.અને દરેકે દરેક નાગરિકો ખેડુતો,મહિલાઓ,બેરોજગારોના વિકાસ આયુર્વેદિક ચિકિત્સાપદ્ધતિની વિકાસ થી થઈ શકે છે.પોતાનો જરૂરી યોગદાન આપી દેશની આર્થિક હાલાતમાં સુધારો આવશે. એની આજે  સમયની  માંગ  સાથે  અત્યંત  જરૂર  છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...