Sunday, April 21, 2019

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે કરોડો રૂપિયાના ચુનો ..? જવાબદાર કૌણ..?

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે કરોડો રૂપિયાના ચુનો ..? જવાબદાર કૌણ..? 
ચંદન તળાવ માં વર્ષો થી બદબુદાર પાણી નો નિકાસ કરવા માટે
 સક્ષમ અધિકારીની જરૂર ..? 
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ગરીબ નાગરિકોને પીવા ચોખ્ખુ પાણી માટે એક વાર અવશ્ય વાંચો...! અને સ્થળ તપાસ કરાવે !
વિજલપોરના નાગરિકો આપની રાહ જોઈ રહ્યા છે....

આજે વર્ષો પહેલા ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી  વિજલપોર નગરપાલિકાના રહીશોને ચોખ્ખુ પાણી પીવા લાયક મળી રહે એવા સુન્દર હેતુ થી ચંદન તળાવનો નિર્માળ કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે વિજલપોર નગરપાલિકા જેની વસ્તી લાખો થી પણ વધુ છે. આજ સુધી એ તળાવ માં પીવા લાયક ચોખ્ખુ પાણી નથી. અને સંવિધાનના કાયદા મુજબ રાજનેતાઓ બદલાતા ગયા . એમની પાસે કોઈ શૈક્ષણિક લાયકાત જરૂરી ન હોવા થી કે કોઈ જાણકારી ન હોવા થી સરકારના લાખો કરોડો રૂપિયાનો ચુનો લાગી ગયો છે. અને વિજલપોર નગરપાલિકા માં આજ સુધી કાયદેસર શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીની સરકાર નિમણુંક કરેલ નથી. જેથી છેલ્લે ઢાક કે તીન પાત ..
નવસારી જિલ્લા અંબિકા વિભાગ નવસારી :- ચંદન તળાવ માં પાણી અંબિકા વિભાગ નવસારી દ્વારા આપવાનો હોય છે. પરંતુ આજે મોટા  ભાગના અધિકારીઓ આરક્ષણ થી નિમણુંક થયેલ હોય જેથી કાયદાકીય જોગવાઈ થી કામ કરવા બદલે અન્ય....? પોતાના કાયદાઓ થી કામ કરી રહ્યા છે. અને અંબિકા વિભાગ નવસારીમાં  આજે કાયદેસર વર્ષોથી ભ્રષ્ટાચાર વગર કામ કરવો અધિકારીઓ ગુનો સમજે છે. જેથી આજે વર્ષોથી સદર કચેરીના અધિકારીઓના કામોથી સામાન્ય ખેડુતો પણ ત્રાહિમામ થયેલ છે. અને વિજલપોર નગરપાલિકાના ચંદન તળાવ જેમા આજ સુધી અંબિકા વિભાગ દ્વારા પાણી કેમ નથી આપવામાં આવ્યો ? એ અહિં લખી શકાય નહિં. અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા એક માહિતી માં અંબિકા વિભાગના પર્દાફાસ પણ કરવામાં આવેલ છે. અને ટેલિફોનિક મુલાકાત માં અંબિકા વિભાગના મુખ્ય અધિકારી શ્રી છટકબારી કરતા જોવા મળેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અંબિકા વિભાગના અધિકારીઓ નબસારી જિલ્લા કલેક્ટરના હુકમને પણ માનતા નથી. અંબિકા વિભાગ માં આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા મા.અ.અ.૨૦૦૫ના કાયદોની અમલવારી થયેલ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદોને અધિકારીઓ કોઈ પણ સંજોગે માનવા માગતા નથી. એમની ઉપરી કચેરી સુરત માં હાલાત બદથી બદતર છે. જેથી આજે નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકાના નાગરિકો નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ને સદર બાબતે પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ કાર્યવાહી કરવા માટે રાહ જોવાઈ રહી છે. 
      વિજલપોર નગરપાલિકાના ચંદન તળાવ માં વર્ષોથી  ગંદુ પાણી ભરેલ છે. જેનો નિકાલ કરવા માટે જાણકાર અધિકારીઓની જરૂર છે. જેના અનુસંધાન માં મળેલ માહિતી મુજબ પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન સુરતને વિનંતી પત્ર પાઠવામાં આવેલ છે. વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કાયદેસર અધિકારીઓની અછત છે. અને સદર તળાવ માં વર્ષો થી વાસ મારતો ગંદુ પાણી જમા છે . જેનો નિકાલ કરવા બહાર કાઢવા માટે અહિં અધિકારીઓ એડી ચોટીના જોર લગાવ્યા છતા એમને ગંદુ પાણીના નિકાસ માટે કોઈ રસ્તો મળેલ નથી. અને આજે પણ સદર તળાવ માં કરોડો લીટર ગંદુ વાસ મારતો પાણી જમા છે. જેમાં  ટુંક સમય પહેલા એક નાગરિકની મૌત થયેલ હતી અને ત્રણ દિવસ પછી લાસ મળેલ હતી. એ પાણી માં ભવિષ્ય માં પાણી ઉમેરી નાગરિકોને આપવાથી ભયંકર બીમારી કે રોગચાણા થવાનો પુરેપૂરી સંભાવના છે. આજે જરૂર છે આધુનિક ટેક્નોલોજીના જાણકાર અધિકારીઓની. જે સંજોગ વસાત નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં નથી. હવે પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથઝોન સુરત જે નગરપાલિકાઓના નિયંત્રણ અધિકારી અને કાયદેસર જવાબદાર છે. વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે અત્યંત જરૂર હોવાથી તત્કાલ વહાર થી જ્યાં સુધી કાયદેસર પાણી નાગરિકો સુધી નિયમબદ્ધ ન થાય ઓછામાં ઓછુ ત્યાં સુધી તત્કાલ એક જાણકાર અધિકારીની નિમણુંક કરે જેની આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...