Sunday, April 14, 2019

માર્ગ અને મકાન વિભાગ વર્તુલ કચેરી સુરતના મુખ્ય અધીક્ષક ઈજનેર શ્રી ચૌધરીના હુકમની ઐસીકી તૈસી કરતો નવસારી માર્ગ અને મકાન (સ્ટેટ)ના કરાર આધારિત જાહેર માહિતી અધિકારી શ્રી ખૈર સાહેબ

માર્ગ અને મકાન વિભાગ વર્તુલ કચેરી સુરતના મુખ્ય અધીક્ષક ઈજનેર શ્રી ચૌધરીના હુકમની ઐસીકી તૈસી કરતો નવસારી માર્ગ અને મકાન (સ્ટેટ)ના કરાર આધારિત જાહેર મા.અ. શ્રી જગદીશ ભાઈ ખૈર  
નવસારી જિલ્લાના ચુંટણી માં વ્યસ્ત અધિકારીઓ શ્રી શ્રી ખૈરના કામોથી ત્રાહિમામ જેનો પુરાવા 
નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે ૫ કરોડ ૨૯ લાખના ઉદ્ઘાટન  ખર્ચનો હિસાબ કૌણ આપશે..? 
માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા માટે નવસારી જિલ્લાના મુખ્ય અધિકારીઓ ત્રાહિમામ..?
 ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...? 
                ગુજરાતની એતિહાસ સંસ્કારી નગરી નવસારી માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નમક સત્યાગ્રહ સ્મારક માટે રૂપિયા ૧૧૦ કરોડ ખર્ચે બનાવેલ ભારતના પ્રધાનમંત્રી શ્રી ગાંધી બાપુના નિર્વાણ દિવસે લોકાર્પણ કરી છે.  પરંતુ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનનો વેપાર માં પરિવર્તન કરવો એ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનસાથે વિદ્વાનોના મંતવ્ય મુજબ સારું ન કહેવાય. જાણકારો અને બાપુના ચાહકોના મંતવ્ય મુજબ એમના પ્રચાર પ્રસાર લોકો માં પહોંચાડવા જોઈએ. પરંતુ એ પણ સાદગીપૂર્ણ હોઉ જોઈએ. છતા કરોડો રૂપિયા ખર્ચ ફકત તંબુમાં કરવામાં આવ્યો . લોકો માં થતી ચર્ચાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ નવસારી જિલ્લાના માર્ગ અને મકાન રાજ્ય વિભાગમાં માહિતીઓ માગવામાં આવી છે. પરંતુ મળેલ માહિતી અને હકીકત સાથે કોઇ લેવા દેવા નથી. 








મા.અ.અ. ૨૦૦૫ મુજબ ભારતના તમામ નાગરિકોને અધિકાર છે કે કયા સ્થળે કેટલા ખર્ચ અને કઈ તિજોરી માંથી કૌણ ખર્ચ કેટલુ કરેલ છે.? સરકારના છે કે પાર્ટીનો . ગુજરાત સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે કોઈ પક્ષના પ્રચાર પ્રસાર માટે.?   નવસારી જિલ્લામાં સદર માહિતી સંબંધિત વિભાગના કરાર આધારિત શ્રી જગદીશ ભાઈ ખેર જે સદર કચેરીમાં કાયદેસર એક પૂરી સર્વિસ પૂરી કરી છે. અને ઉપરી કચેરી દ્વારા મિલીભગત કરી ફરીથી કરાર આધારિત નો ડ્રામા કરી ફરી નિમણુંક પત્ર લઈ આજે પણ કામ કરી રહ્યા છે. ગાંધીનગર માં ભ્રષ્ટાચાર નહિ થઈ શકે એ સમજવો અઘરૂ છે. એમનો નિમણુંક કયા આધારે થયુ જ્યારે એમને એક સામાન્ય કાયદા નુ પણ ખબર નથી. અને મળેલ માહિતી મુજબ સદર કચેરીના વર્તુલ કચેરીમાં મુખ્ય અધિકારી તરીકે કાર્યરત શ્રી ચૌધરી ને દરેક કાયદાઓનો અમલ કરવા અને સરકારના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના હુકમો આપ્યા પછી કરાર આધારિત અધિકારી ના બચાવ કેમ કરી રહ્યા છે..?  સદર માહિતીમાં ભ્રષ્ટાચાર થયુ છે એ સાવિત થવા પછી એમની તપાસ કેમ કરાવી નથી શકતા..? મુખ્ય અધિકારી પાસે  એ વિષય માં ખરેખર કેમ ખબર નથી? અને સંપૂર્ણ માહિતી કયાં મળશે એ પણ કેમ ખબર નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬(૩) મુજબ જે માહિતી કચેરીમાં ઉપલબ્ધ નહિ હોય એમહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરી અરજદારને જાણ કરવો ફરજીયાત છે. આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા એક સામાન્ય કાયદાઓ સદર અધિકારી ને કેમ ખબર નથી. આજે ભારતના લોક લાડીલા યોગી પુરૂષ પ્રધાન મંત્રી શ્રી મોદી પોતાના વક્તવ્ય માં જણાવેલ છે કે આરટીઆઈ એટલે સવાલ પૂછને કા અધિકાર .  પ્રધાનમંત્રી મોદી ના નામે અહિં ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે કે કેમ..? હવે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ભોગનાર પાસે માહિતી અધિકાર અધિનિયમ વિશે આજ સુધી કેમ ખબર નથી.એક સામાન્ય જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાથી અનભિજ્ઞ હોવા છતાં એક વાર નોકરી પુરૂ કરી એજ જગ્યાએ કેવી રીતે નોકરી કરી રહ્યાં છે ? આજે ચુંટણી માં મોટા ભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એવા સમયે સદર માહિતી માં જેની સાથે કોઈ લેવા દેવા નથી એવા અધિકારીઓ પાસે ખર્ચનો હિસાબ સદર કરાર આધારિત અધિકારી શું કામ માહિતી આપવા માટે પત્રો અને હુકમ કરી રહ્યા છે. અરજદાર ને ગુમરાહ કરવા માટે શા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ સમજવા માટે અરજદાર દ્વારા  પ્રયાસો કરતા જાણવા મળેલ છે કે સદર અધિકારી શ્રી નવસારી માં જ નાયબ કાર્યપાલક ઈજનેર હતા. ગુજરાતના ઈતિહાસ માં દરેક અધિકારીઓ ને દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે.અને ખાસ કરી પરમોશન માં જિલ્લા બદલી કરવામાં આવે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) માં ગુજરાત સરકાર માં જુદી પોલસી છે કે અધિકારીઓની મિલીભગત ..? એના  માટે હાલમાં શોધ કરવામાં આવી રહી છે. કરાર આધારિત અધિકારીઓ મુકવા માટે આજે બેરોજગાર યુવાન દેશ માં ગુજરાત સરકારની પોલિસી કેટલી કારગર છે..? અને કરાર આધારિત અધિકારીઓની નિમણૂંક માટે ફકત એ જ અધિકારીની નિમણૂંક કેમ કરી ..? જ્યારે અન્ય વિભાગો માં એ જગ્યાએ કોઇ પણ સક્ષમ અધિકારી કે નવયુવાન એ કંડીશન સાથે કામ કરી શકે છે..? માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કરાર આધારિતને દરેક વિભાગો કરતા જુદુ પોલીસી પાછળ રહષ્ય શું છે.?  હાલ માં મોટા ભાગના વિભાગો માં કરાર આધારિત કામ કરનાર કર્મચારીઓ માટે એવી સુવિધાઓ અને વેતન ગુજરાત સરકાર આપશે ખરા.? આજે ગુજરાત માં રૂપિયા દસ હજારની નોકરી માટે જોઈએ એટલા નવયુવાન ઇજનેરો ઠેર ઠેર ગામે ગામે રખડી રહ્યા છે. અને નોકરી માટે લાઈન માં ઉભા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ એવી નીતિ કેમ અપનાવી છે..? એના જવાબ કોણ આપશે..? નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાના તંબુ અને અરબો રૂપિયાના નમક સત્યાગ્રહ નો હિસાબ કૌણ આપશે..? 
                             નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ મળેલ જવાબો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને ગુમરાહ સાથે માનસિકત્રાસ અને અશોભનીય  છે.જેથી એમની  વર્તુલ કચેરી  સુરતમાં અપીલ કરવામાં આવેલ હતા.અને વર્તુલ કચેરી  સુરતના અધિકારીશ્રી એ એક  જવાબદાર અધિકારી તરીકે કાયદેસર નિયમાનુસાર સુનવણી કરેલ છે. પરંતુ એમના હુકમ મુજબ આજ સુધી માહિતીઓ ન આપવો .ફરીથી એજ સવાલો જવાબદાર અધિકારી ઉપર લાગી રહ્યુ છે.મા.અ.અ.૨૦૦નાકાયદા મુજબ અપીલની સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે અરજદાર દ્વારા માગેલ તમામ માહિતી પોતાની કચેરીમાં મગાવી તપાસી પુરૂ પાડવી જોઈએ. અને જાહેર માહિતી અધિકારી ઉપર સક્ષમ અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરવી જોઈએ. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના કરાર આધારિત અધિકારીના મુખ્ય નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે કે સહભાગીદાર તરીકે પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોજાનામાં પોતાના નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...