Wednesday, February 3, 2021

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત ..! જવાબદાર કોણ..?




નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત ..! 
જવાબદાર કોણ..?

આજે નવસારી જિલ્લા પંચાયત માં આશરે ૯૦ ટકા નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ સાથે સરકારની તમામ યોજનાઓની જવાબદારી છે. જેમાં શિક્ષા, સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે ચોખ્ખું પાણી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, રોજગારી, ખેડૂતો માટે તમામ યોજનાઓ દીઠ સહાય જાહેર રસ્તાઓ વગેરે તમામનો સમાવેશ થાય છે.દરેક કામો માટે નવસારી જિલ્લા પંચાયત માં સરકાર એક મોટી ફોજ ઉભી કરી છે.અને આર્થિક તંગી હોવા છતા દર માસે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. છતા નવસારી જિલ્લા પંચાયત માં અધિકારીઓ કાયદેસર જવાબદારી પૂર્વક કામ કરવા બદલે ભ્રષ્ટાચાર માં વધુ રસ ધરાવે છે.નવસારી જિલ્લા પંચાયત માં થતી ફરિયાદોની સત્યતા જાણવા માટે માં.અ.અધિનિયમ ૨૦૦૫ના નિયમ મુજબ એક માહિતી માંગવામાં આવેલ હતી. જેમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ૪ખ મુજબ દરેક કચેરીઓ માં ૧૫મે સુધી પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ કરાવી રાખવો ફરજિયાત છે. જેમાં નવસારી જિલ્લા પંચાયત માં મોટા ભાગના અધિકારીઓને ખબર જ નથી.અને નવસારી જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નો કાયદો આજુ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી.અને ઓડિટ કરાવવા એ અધિકારીઓની શાનનો ખિલાફ છે. કોરોના જેવી મહામારી માં ગુજરાત સરકાર દરેક કામો માં મજુરો અને કર્મચારીઓનો બીમો કરાવવા ફરજિયાત કરી છે. પરંતુ અહિં નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીને આ બાબતે અજુ ખબર ન હોય એવુ ન બને.પરંતુ ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ વગેરે માટે સરકાર ના કાયદા ની અમલવારી કરાવવી એ અહીં નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ ગુનો સમજે છે. 
સરકારના નિયમ મુજબ કોઈ પણ માર્ગ કે મકાનનો કામ જે વિભાગના વિસ્તારમાં થતો હોય ત્યારે એ કાયદેસર થતો છે કે કેમ..? એ વિભાગના સંબંધિત અધિકારી એ જાતે જઈને તપાસ કરવાનો હોય અને પ્રોગ્રેસ રિપોર્ટ કાયદેસર આપવાનો હોય છે. પરંતુ અહિં એ કાયદો નવસારી જિલ્લા પંચાયત માં માર્ગ અને મકાનના અધિકારીઓ ને પણ  લાગુ થતો નહિ. ગુજરાત સરકાર આજે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર ઉપર અંકૂશ લગાડવા માટે સરકાર દ્વારા નિમણૂંક તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી ત્રણ થી પાંચ વર્ષ માં કરવા હુકમ કર્યો છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન હોય કે અન્ય વિભાગો માં પાલન કરવામાં નથી આવતો. નવસારી જિલ્લા પંચાયત માં મોટા ભાગે વર્ગ એક કે બે ના અધિકારીઓની બદલી થતી હોય છે.
નવસારી જિલ્લા પંચાયત માં સરકારની એક સૌથી સફળ યોજના ઈએસઆઈસી જે આજે ગરીબો મજુરો આઉટ શોર્ષ કે કરાર આધારિત કર્મચારીઓ માટે અમૃત તુલ્ય છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયત માં ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ ખેડૂતો દલિત શોષિત વંચિત ફક્ત શબ્દાવલી માં કે ફાઈલો માં જ દરેક સુવિધાઓ નજરે પડે છે. જમીની હકીકત માં નવસારી જિલ્લા પંચાયત માં કાયદા કાનૂન કે ગરીબો માટે સંવેદનશીલતાનો કોઈ સ્થાન નથી. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ ગુજરાત વિકાસ કમિશ્નર શ્રી પોતાના હુકમ સાથે સરકારની તમામ યોજનાઓ નવસારી જિલ્લા પંચાયત માં અમલવારી કરાવશે કે સરકાર ની આર્થિક તંગીને વધારવા મા સહભાગી થશે એ જોવાનું બાકી રહ્યુ

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...