નવસારી જિલ્લામાં ઠેરઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો નો રાફડો આજે વર્ષોથી ચાલી રહ્યુ છે.વર્ષ ૨૦૧૫ માં ગુજરાત સરકાર એ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરી.અને એમાં ચેરમેન તરીકે નવસારી જિલ્લા કલેકટર શ્રી જેવા સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અધિકારીઓ ની નિમણુંક કરી. સરકાર ની નીતિ નિયમો ખરેખર કાબીલે તારીફ છે.પરંતુ નવસારી જિલ્લામાં એવા નિયમો ફક્ત મોટી મોટી ફાઈલો માં પણ નેતાઓ અને અધિકારીઓના મિલીભગત થી ચાલી શકે નહીં. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં થી નવસારી શહેર ને તત્કાલ અસરથી બાકાત કરવામાં આવ્યું છે. અને આજે છ વર્ષ માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ના હદ વિસ્તારમાં એક પણ બિલ્ડીંગ કાયદેસર સરકાર ના ધારાધોરણ મુજબ નથી. નવસારી કલેકટર શ્રી જેમાં ચેર પર્સન હોય અને એના હદ વિસ્તારમાં એક પણ બાંધકામો કાયદેસર ન થતો હોય ત્યારે ચીફ ઓફિસર શ્રી એની સામે ક્યા સત્તા ધરાવે છે? એ ખરેખર વિચારવા જેવું છે. નવસારી નગરપાલિકા હોય કે વિજલપોર નગરપાલિકા તાલુકા વિકાસ અધિકારી શ્રી હોય કે ગ્રામ પંચાયત આજ સુધી એક પણ બાંધકામો કાયદેસર નથી.સરકારી નિયમો નવસારી જિલ્લામાં આજે અધિકારીઓ અને નેતાઓની મિલીભગત થી શોભના ગાંઠીયા સમાન છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ષ ૨૦૧૩ ના કાયદા મુજબ ફાયર સેફ્ટી નો એન ઓ સી શોધવા નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ જોવા નિકણયા છે. જેમાં કે દરેક બાંધકામો માં કાયદા મુજબ ફાયર સેફ્ટી હોવુ ફરજીયાત છે. નવસારી વિજલપોર નગરપાલિકા ની પોતાની નગરપાલિકા માં જ ફાયર સેફ્ટી નથી. નવસારી વિજલપોર નગરપાલિકા પોતે નગરપ્રાથમિક સમિતી માં મોટા ભાગના પ્રાથમિક શાળાઓ પોતે સંચાલન કરે છે.હવે એમાં ફાયરસૈફટીની જવાબદારી કોણી છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ વર્ષો થી ચાલી રહ્યો છે. ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી દ્વારા તપાસ કરતા મોટો કોભાંડ વહાર આવેલ હતો પરંતુ જમીની હકીકત માં આજ સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ મોટા ભાગના કોલેજ શાણાઓ નો સંચાલન કર્તા ધરતા નવસારી વિજલપોર નગરપાલિકાના નેતાઓ જ છે.
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર : 'વંદે ગુજ...
-
નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસાર...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
No comments:
Post a Comment