Saturday, January 12, 2019

સાઉથઝોન સુરત નગરપાલિકાઓની કચેરી સાથે તાબા હેઠળની તમામ નગરપાલિકાઓ માં જનહિત માટેના કાયદાઓ લકવાગ્રસ્ત...

સાઉથઝોન સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ની નિયંત્રણ કચેરી સુરત સાથે તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો ની ડિગ્રી શંકાસ્પદ .....! જવાબદાર કૌણ....? 
નવસારી સૂરત વલસાડ રાજપીપલા તાપી ભરૂચ જિલ્લાના તમામ નગરપાલિકાઓ સાથે સાઉથઝોન સુરતની મુખ્ય કચેરી એક જ આરટીઆઇ માં તમામ કામકાજોના પર્દાફાશ થયા છે. એક પણ અધિકારી કાયદેસર જવાબ આપેલ નથી. આરસીપીએસ 2013 ના કાયદાઓની ખબર જ નથી. લઘુતમ માસિક વેતન ધારો 1948 મુજબ ગરીબ નાગરિકોને વેતન આપવા માટે ચીફ ઓફીસરો કાયદા ભુલી ગયા છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 માં જવાબ કાયદેસર ચીફ ઓફિસર શ્રી ઓને  આપશે ત્યારે ધરે બેસવાનું વારો આવી શકે. જેથી આપવો જરૂરી સમજતા નથી . અપીલ કરવામા આવ્યો પ્રથમ અપીલ અધિકારી શ્રી ને હુકમનો કાયદો પણ ખબર નથી. હુકમ  કરેલ છે કે નિવેદન કરે છે કે એક  યાચકની ભુમિકા ભજવેલ એ સમજવું અઘરું છે. એક સામાન્ય કાયદાઓની ખબર નથી એવો ન બને. સાઉથઝોન પ્રાદેશિક કમિશનર શ્રીને લેખિત માં પુરાવો સાથે રજુ કરવા છતા કાર્યવાહી કરવા બદલે અરજદારને જવાબ આપવા યોગ્ય સમજતા નથી. હવે અપીલ સત્તા અધિકારી જ્યારે હુકમ પણ યાચકની ભુમિકા માં કરતો હોય ત્યારે જવાબ કૌણ આપશે.?  ભરુચ નગરપાલિકા માં કાયદેસર એક બોર્ડ પણ લગાવી શકતા નથી. વલસાડ નગરપાલિકા એ આરટીઆઇ ના કલમ 4ખ મુજબ પીએડી ના બદલે નગરપાલિકાના વાર્ષિક ઓડિટ રિપોર્ટ મોકલાવેલ છે.આજે તમામ  નગરપાલિકાઓની હાલત બદથી બદતર છે. નવસારી નગરપાલિકા ના ચીફ ઓફિસર પાસે ભ્રષ્ટાચાર સાવિત કર્યા છતા કાર્યવાહી કરવા માટે સમય નથી. ભ્રષ્ટાચાર બાબતે કાર્યવાહી કરશે એ પહેલા ટ્રાન્સફર થશે .જેથી નવસારી નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી અરજદાર ને તારીખ પર તારીખ આપી રહ્યા છે. અરજદાર દ્વારા તકેદારી આયોગ દ્વારા તપાસ કરાવવામાં આવેલ ગુનો સાવિત થયા પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવ્યું નથી.જેથી ગુજરાત સરકાર ના તકેદારી આયોગ ફકત શોભાના ગાઠીયા સમાન નાગરિકો ને ગુમરાહ કરવા માટે છે. 
વિજલપોર નગરપાલિકા માં રહમરાહે મુકવામાં આવેલ અધિકારી સમય પસાર કરવા માટે આવેલ છે. શાસક પાર્ટીના નગરસેવકો ને ખુશ કરવામાં પ્રવીણ છે. જવાબ આપવાનો ગુનો સમજે છે.વિજલપોર નગરપાલિકા માં રહમરાહે નિમણૂક અધિકારી રૂબરૂ મુલાકાત માં જણાવ્યું છે કે એમની પાસે કોઈ સત્તા નથી એ ફકત શાસક પાર્ટીના થયેલ ઠરાવ ઉપર અમલીકરણ કરે છે.
અને આરટીઆઇ દ્વારા માગેલ માહિતી માએમની શૈક્ષણિક લાયકાત આપી નથી જેથી અગાઉ અધિકારી ઓ ની જેમ જ હશે. અને વિજલપોર નગરપાલિકા ના નાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ આપવા બદલે પોલીસ વિભાગ ને લાખો રૂપિયા દાન  વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. જેથી વિજલપોર નગરપાલિકા માં લોકશાહી ના બદલે હિટલરશાહી ચાલે છે. જરૂર વગરના આરસીસી રોડો અને બ્લોગ વેસાડવામા આવી રહ્યો છે.પાણી આરોગ્ય આપવા માટે ની જરૂર નજરે નથી પડતી. 
ગણદેવી નગરપાલિકા માં કાયદેસર અધિકારી જ નથી. આઉટશોર્સ નો હંગામી કરાર આધારિત અધિકારી છે. બીલીમોરાની હાલત એવી છે. અંકલેશ્વર નગરપાલિકા માં નિરીક્ષણ દરમિયાન અધિકારીઓની હાલત ગંભીર જોવા મળી હતી. વ્યારા નગરપાલિકાને કાયદો ખબર નથી . સોનગઢ નગરપાલિકા માં અધિકારી નથી .દસ ટકા કર્મચારીઓ છે.  સચીન અને કનકપોર કનસાડ નગરપાલિકા માં નવા અધિકારી હોવાથી જવાબ દારી નથી. હવે ગાધીનગર ની ઉચ્ચ કચેરી પાસે અરજી કરવામાં આવશે .પછી વિરોધ પાર્ટી ના નેતાઓ પોતાની ભુમિકા ભજવશે. સરકાર ને બદલવા બદનામ કરવા અધિકારીઓ સંકલ્પ લીધો હોય એવો હાલાત નજરે પડી રહી છે.ગુજરાત  તકેદારી આયોગ  જીએસ એસ એકટ 1971 મુજબ તપાસ કરે ત્યારે  મોટા ભાગ ના ચીફ ઓફિસર શ્રી ઓ ને ઘરે બેસવાનુ વારો આવશે. અને તમામ નગરપાલિકા માં રોજગારીની નવી તકો ઉભી થશે એમાં કોઈ શંકા નથી.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...