Sunday, January 27, 2019

મફતલાલ મીલના હજારો મજુરો હવે બેરોજગાર.. ! જવાબદાર અધિકારીઓ કયાં છે...?

નવસારી જીલ્લા માં કાયમી ધોરણે ભાજપ અને કોગ્રેસ એક બીજા ના વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ જમીની હકીકતમાં એ ફકત જનતા ને ગુમરાહ કરતા હોય છે. પોતાની કુર્સી અને ગાધી દર્શન માટે ખરેખર ભોળી જનતા નો દુરૂપયોગ કરે છે. આજે નવસારી જીલ્લા માં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. નવસારી જીલ્લામાં મોટા ભાગે યુવાનો પાસે સારા માં સારું લાયકાત છે. છતા બેરોજગારી ચરમસીમા ઊપર હોવાથી મજુરી કામ પણ મળતો નથી. આજે ટુક સમયમાં જ એક જ મીલ મફતલાલ મા હજારો મજુરો ની રોજગારી હિટલરશાહી થી ચંદ નેતાઓ ની મિલીભગત થી છીનવાઈ ગયું. અને પોતાને નેતા કહેવાતા રાજકીય હાલાકિ એવા નેતાઓ ના કોઇ અસ્તિત્વ નથી. આજે નવસારી જીલ્લામાં મફતલાલ મીલ માં હજારો મજુરો બેરોજગાર થઇ ગયા.અને નવસારી જીલ્લા ના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર સરકારી અધિકારીઓ ને ખબર જ નથી. રૂબરૂ મુલાકાત માં સરકારી શ્રમ અધિકારી અને કમિશનર શ્રી સાથે ગુજરાત રાજ્ય ના લેબર કમિશનર શ્રી ને ખબર નથી. સદર અધિકારીઓ પાડોશી દેશ ના હોય એવા જવાબો આપેલ છે. સદર અધિકારીઓ ને પુછપરછ કરતા જણાવ્યું છે કે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે એક માસ પછી એક નોટિસ પણ ન આપતા જાણકારો ના મંતવ્ય મુજબ કાર્યવાહી થયેલ હશે. પરંતુ શાસન ની જેવા કે દારુ  બંધી . માનવ અધિકાર સંસ્થા દ્વારા મફતલાલ મીલ માં ગુજરાત ના  સૌથી મોટો અને સૌથી જૂની યુનિયન ના નામે ગરીબ મજલુમ શોષિત નાગરિકો ને ન્યાય અપાવનાર મજુર મહાજન મંડળના પ્રમુખ શ્રી ને ટેલીફોનિક મુલાકાત માં જણાવ્યું છે કે અમને કઈ જ ખબર નથી. તપાસ કરતા ખબર પડી કે પ્રમૂખ શ્રી કોગ્રેસ માં હારી ગયા છે. હવે એ નાગરિકો કે આમ જનતા સાથે નથી. અને એ એક જમાનામાં ગરીબો ના મસીહા કહેવાતા હતા. હવે એ પોતે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં. અને કોગ્રેસ માં હાર થી પીડિત ગરીબો ના મસીહા પણ આજ સુધી યુનિયન તરફથી પણ એક નોટિસ આપેલ નથી. હવે આજે નવસારી ની ગરીબ મજદૂર જનતા જેને હિટલરશાહી દ્વારા ઘરે બેસવાનો છે.જેની રોજી છિનવાઈ છે. આજે એક અનાથ બેસહારા અપંગ અસહાય તરીકે ઘરે બેસવામાં લાચાર છે. હવે જાયે તો જાયે કહા ...જેવી પરિસ્થિતિ સર્જાયું છે. નવસારી જિલ્લા ના સમાહર્તા અને  જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત શ્રી પાસે ગરીબો એક આસ લગાવી રાહ જોઇ રહ્યા છે.અને નવસારી લેબર કમિશનર મદદનીશ શ્રમ આયુક્ત શ્રી ફરિયાદની રાહ જોઈ રહ્યાં છે...ફરિયાદ કરવા અને વકીલ રોકવા માટે અહીં મજુરો પાસે આર્થિક હાલાત ખરાબ હોવાથી ફરિયાદ કરી શકતા નથી... હવે નવસારી જીલ્લાના મફતલાલ ના બેરોજગાર મજુરો રામ ભરોસે છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...