Tuesday, July 19, 2022

નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ...્!


નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....!

આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી રાજૂ ગુપ્તા અને વહીવટી માં ભાવના બેન જેની સરકાર સેવા સમાપ્ત અને રિટાયર થયેલ છે.
ડિજિટલ ઇન્ડિયા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,સી આર પાટીલ અને પ્રમુખ શ્રી જીગીશ શાહ શુભ સંદેશ માં પોતાના મંતવ્યો આપેલ છે. અને ખરેખર ડિજીટલ ઇન્ડિયા માં દર રોજ માહિતી અપડેટ કરવા માટે સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. અને વહીવટી માળખું કે દર રોજ દરેક વિભાગો માં થતા તમામ પ્રકારના કામો ને વેબસાઈટમાં મુકવો ફરજીયાત છે. જેની એક ઝલક આજે તારીખ ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ  www navsarivijalporemuncipalty.in પર થી લેવા માં આવેલ છે.



નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે. ડાન્સિગ ફુવારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બ્લોગ હોય કે ગોબરગેસ પ્લાન પહેલા થી જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલ છે. કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ માં હાલ કાર્યરત મુખ્ય અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી પોતે તત્કાલીન ચીફ ઓફિસર શ્રી રમેશભાઈ જોષીને ગુનેગાર સાબિત કરેલ હતા. અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર શ્રી ને કાર્યવાહી માટે કલેકટર શ્રી તપાસ રિપોર્ટ આપેલ હતા આજે એજ અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા પોતે કરી રહ્યા છે. આરટીઆઇ એકટ હેઠળ આપેલ માહિતી માં પોતે માહિતી આપી કબુલ કર્યું છે કે અમે કોઈ પણ તપાસ કરેલ નથી. સરકાર ના એક પરિપત્ર મુજબ નગરપાલિકા હદ માં તમામ બાંધકામો ની મુલાકાત કરી એક રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. પરંતુ જમીની હકીકત માં ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી સાથે ગુજરાત રાજ્ય વિજીલેન્સ કમિશનર શ્રી, એડમીનીસ્ટ્રેશન મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા લેખિત આદેશ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ને કરવામાં આવેલ છે. પરંતુ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત શ્રી અરવિંદ વિજયન સાહેબ પોતાના હોદ્દો ના દુરૂપયોગ કરી રહ્યા છે. અને તમામ હુકમો તપાસ કરી રિપોર્ટ કરવા બદલે જેની સામે આક્ષેપ હોય એમને ક્યા કાયદા મુજબ તપાસ કરવા લખે છે એ આજે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર યુગ માં સમજવો મુશ્કેલ છે. 
આજે નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર ૪૨૦ દિવસ પાછળની માહિતી ઉપલબ્ધ છે. એ બધા જ જ્યારે ભ્રષ્ટાચાર સાથે સંલગ્ન હોય ત્યારે એ લખવા માટે શબ્દકોશ માં શબ્દ જ નથી. 

Tuesday, July 5, 2022

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :




 

  નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર :

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :

નવસારી જિલ્લાના ચીખલી દિનકરભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' શુભારંભ કર્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, 'આઝાદીનો અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન વંદે ગુજરાત રથ યાત્રા ' દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતના વીસ વર્ષના વિકાસની ગાથા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને નવસારી જિલ્લાના ગામેગામ પહોંચી લાભાર્થીઓને લાભો આપવામાં આવશે. ગ્રામજનોને એલ.ઇ.ડી.ના માધ્યમથી માહિતીસભર ફિલ્મો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવશે. વંદે ગુજરાત રથ યાત્રા' માં વ્રુક્ષારોપણ, રોપા વિતરણ,પ્રભાત ફેરી ,પ્રાકૃતિક કૃષિનો પ્રચાર,આરોગ્યલક્ષી કેમ્પો, આયુષ્યમાન ભારત, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, નિબંધ સ્પર્ધા, ખેડૂતોના વીજ જોડાણ,પ્રમાણપત્રો,પશુપાલન વિભાગની યોજનાઓ વિગેરે લાભ/સહાય વિતરણ કરવામાં આવશે. 
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહે સરકારશ્રીની વીસ વર્ષની દરેક ક્ષેત્રમાં કરેલી સિધ્ધિ એટલે વંદે ગુજરાત વિકાસયાત્રા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી બન્યા બાદ આજે સમગ્ર દેશ અને દુનિયામાં વિકાસનો ડંકો વગાડયો છે. 
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રાજય સરકારે વીસ વર્ષમાં દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. પીવાના પાણી, આરોગ્યક્ષેત્રે જેવી અનેક પ્રજાજનોની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ ગામેગામ પહોંચાડી છે. 
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે નવસારી જિલ્લાના ૧૩- ખુંધ જિલ્લા પંચાયત સીટમાં કુલ ૨૬૦.૧૦ લાખના ૮૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૮૭.૭૭ લાખના ૮૦ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૨૦- સમરોલી જિલ્લા પંચાયત સીટના કુલ રૂા.૧૯૬.૧૫ લાખના ૬૩ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂા.૩૧૭.૯૪ લાખના ૭૧ કામોનું લોકાર્પણનો લાભ પણ જિલ્લાને મળવા પામ્યો છે. સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી મયંકભાઇ પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી નલવાયા તેમજ મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપિસ્થત રહયાં હતાં.

Saturday, June 25, 2022

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ લકવા ગ્રસ્ત....!

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ
લકવા ગ્રસ્ત




આજે ગુજરાત રાજયમાં નવસારી જિલ્લા એક ઐતિહાસિક અને સંસ્કારીક નગરી તરીકે પ્રખ્યાત છે. નવસારી જિલ્લા તરીકે આજે ત્રીજો દસકમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જિલ્લા બનવા પહેલા નવસારી એક પવિત્ર અને પારદર્શક મહ્ત્વપુર્ણ જિલ્લા તરીકે પ્રખ્યાત હતું. જિલ્લા બન્યા પછીથી જ નવસારી ઉપર પનોતી હોય તેવો નજરે પડે છે. નવસારી જિલ્લા ગુજરાત રાજયમાં ગુજરાત એક વિશાલ સમ્રુધ્ધ વિકસિત પ્રદેશ હોવા છતાં આજે પણ નવસારી ટ્રાઇબલ જીલ્લા તરીકે નોંધવામાં આવેલ છે. સરકાર નવી – નવી યોજનઓ બનાવી દર વર્ષ કરોડો રૂપિયા ખર્ચ છે. પરંતુ જમીની હકીકતમાં આજે પણ “ ધાક કે તીન પાત “ જેવી જ નવસારી જિલ્લાની હાલત છે. અહીં મોટા ભાગનાં આદિવાસી, દલિત, શોષિત, વચિંત અને આર્થિક પછાત વર્ગનાં લોકો રહે છે. જેનાં ઉત્થાન માટે સરકારની યોજનાઓ અને કરેલ ખર્ચમાં છેલ્લાં દસ વર્ષની આંકડાકીય માહિતી જોઇએ. ત્યારે ફાઇલોમાં થયેલો વિકાસ એક સમ્રુધ્ધ દેશ જેવાં કે અમેરિકા જાપાનથી કોઇ પણ સંજોગે ઓછું ના કહેવાય. પરંતુ જમીની હકીકતમાં એક પણ નજરે પડતો નથી. બીજી તરફ સૌથી વધુ રોજગાર આપનાર નવસારી જિલ્લામાં મફતલાલ, તાતા, નવસારી જિલ્લાથી રૂકસટ કરી ચૂકયા છે.


         નવસારી જિલ્લામાં હિરા ઉદ્યોગ જે અહી નવસારી જિલ્લાના સૌથી વધુ રોજગાર આપનાર ઉદ્યોગ હતો. એની પણ હાલત આજે ગભીંર છે. હવે ગરીબો આદિવાસીઓ, દલિત ,શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે સરકારી યોજનાઓ સિવાય કોઇ વિકલ્પ નથી. સરકારી યોજનાઓ જેમાં નાના- નાના લઘુઉદ્યોગ, ગ્રુહઉદ્યોગ વિગેરેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરે છે. પરંતુ એમની સામે માર્કેટ ન હોવાથી દરેક યોજનાઓ ટૂંક સમય માટે ચાલે છે, પછી એક મોટા ભાગે કોઇપણ જગ્યાએ નજરે પડતો નથી. હવે ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે માત્ર સરકારી, અર્ધસરકારી, ખાનગી સંસ્થાઓ દ્વારા રોજગાર મેળવવા માટે માર્ગ અને મકાન આજે એક સારો વિકલ્પ છે. જેમાં સૌથી વધુ ગરીબો, મજુરો, આદિવાસીઓ મહેનત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજી મેળવે છે. જેમાં આજે સરકારશ્રી દ્વારા દેશ આઝાદ થયું, ત્યાર પછી ઘણા બધાં કાયદાઓ અને એ કાયદાના પાલન કરવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મુજબ કચેરી પણ બનાવી છે, અને એવી તમામ કચેરીઓમાં મોટાં ભાગનાં અધિકારીઓ આરક્ષણ કંપની દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે. અને સરકાર શ્રી દ્વારા લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ આજે ૭૪ વા વર્ષમાં કાર્યરત છે. પરંતુ લઘુતમ માસિક વેતનનો કાયદો નવસારી જિલ્લાના એક પણ કચેરીમાં અમલ કરવામાં આવતો નથી. માર્ગ અને મકાન વિભાગ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, કચેરીઓમાં અધિકારીઓ કોઈપણ સંજોગે અમલ કરવા ગુનો સમજે છે જેની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સદર બાબતે માહિતીઓ માંગવામાં આવેલ હતી. જેમાં મળેલ જવાબ મુજબ સદર બાબતે અધિકારીઓને કશું ખબર નથી કે જાણવા માંગતા નથી, અથવા એમને કાયદા કાનુનનો કોઈ ભય નથી. વારંવાર રૂબરૂ મુલાકાત અને લેખિતમાં પણ જાણ કરવા છતાં છેલ્લા છ માસથી અધિકારીઓ સદર બાબતે ગુમરાહ કરી શું સાબિત કરવા માંગે છે એ આજે સમજવું મુશ્કેલ છે. લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ના કાયદા મુજબ તાબા હેઠળ બાંધકામો રોડ હોય કે બિલ્ડિંગ ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી કે સંસ્થાઓના માધ્યમથી કે સીધી ભરતીમાં કામ કરનાર તમામ મજૂરો કર્મચારીઓને લઘુતમ માસિક વેતન ધારા ૧૯૪૮ મુજબ વેતન આપવો ફરજીયાત છે. જેની સંપૂર્ણ જવાબદારી કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ સેટિંગ ડોટ કોમ બાપુ દર્શન કે નેતાઓની પરિક્રમા થી અધિકારીઓને આજે જાણવું જરૂરી છે કે એમને મળતો વેતના રાજાશાહી જેવી સુવિધાઓમાં થતો ખર્ચના એક - એક રૂપિયો ગરીબો, આદિવાસીઓ, મજૂરો, દલિતો, શોષિત આર્થિક પછાત વર્ગના નાગરિકોની ખૂન -પસીના અને મહેનત મશકતની કમાણીના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જે ગમે તે રીતે ખર્ચ કરી શકે. આજે અધિકારીઓ એક સંવેદનશીલ સરકારને બદનામ કરવા કમર કસી હોય એવું નજર પડે છે. કદાચ અધિકારીઓને ખબર નથી કે રાત ગમે એટલી મોટી હોય, પણ એ દિવસને રોકી શકતી નથી. સરકાર આજે આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યો છે. છતાં દર માસે સમય પહેલા એમના ખાતામાં જરૂરથી વધારે સરકાર જમા કરાવે છે. સૂત્રો દ્વારા માહિતી મળેલ મુજબ આજે ભારત દેશ ડિજિટલ ઇન્ડિયામાં સૌથી સારી રીતે વિકાસ કર્યો છે. જેમાં દરેકને દરેકનો પલ - પલની ખબર જાણી શકાય છે. સરકારના તમામ અધિકારીઓ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચાર કરી પોત પોતાની રીતે ગરીબો, આદિવાસીઓ, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના ઉત્થાન માટે પોતાની ફરજ બજાવશે અને સરકારને બદનામ કરવા બદલે મળતો વેતન મળેલ સત્તા અને કાયદા મુજબ કામ કરશે....


Monday, June 20, 2022

નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત


નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત 

    નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસારી થી રૂખસત કરી ચુક્યા છે. સૌથી વધુ લોકપ્રિય રોજગાર હીરા ઉદ્યોગ આજે આખરી શ્વાસ લેવા મજબૂર છે. કોરોના મહામારી માં સરકાર આર્થિક તંગી માં પસાર હોવા છતા કરોડો રૂપિયા ખર્ચ કરી ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના ઉત્થાન માટે નવી નવી યોજનાઓ થકી રાત દિવસ મહેનત કરી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ ખરેખર કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એ તમામ યોજનાઓ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકો ને મળે છે કે કેમ ..? પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ને પ્રાથમિક રૂબરૂ તપાસ માં નવસારી જિલ્લામાં સદર બાબતે સરકાર વર્ષોથી એક ની જગ્યા બે કચેરી અને એક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી એક શ્રમ આયુક્ત કચેરી માં લાખો રૂપિયા વેતન અને રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. અને બન્ને કચેરીઓમાં ખરેખર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણૂંક પણ કરેલ છે. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી માં રૂબરૂ મુલાકાત કરતા ખબર પડી કે અહિં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં નાયબ નિયામક શ્રી ડી કે પટેલ રેગ્યુલર પોસ્ટ કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવેલ છે. પરંતુ સદર અધિકારી શ્રીના ઉપર કોઈ તપાસ અધિકારી નથી. અને ફીલ્ડ માં હોય એના બહાને એ નવસારી જિલ્લામાં પોતાની કચેરીઓમાં એમની મરજી મુજબ આવે છે. અને બાંધકામો માટે પણ એક સર્વોચ્ચ અધિકારી પણ રાઉત સર એવી રીતે કામ કરે છે. પરંતુ ખરેખર એ અધિકારીઓ ક્યારે આવશે એનો કોઈ ગેરંટી નથી. નવસારી જિલ્લામાં આજે ફેક્ટરી હોય કે બહુમાળી બિલ્ડીંગ માં બાંધકામો અહિં સદર અધિકારીઓ કે કચેરી વિશે હજુ નાગરિકોને કે મોટા ભાગના જાગૃત નાગરિકો ને પણ ખબર નથી. બાંધકામો માં આજે ગરીબોની આકસ્મિક રીતે મૌત ફક્ત સેફ્ટીની કમીના આધારે થઈ રહ્યો છે.  દર રોજ થતી ફરિયાદની સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ મુજબ ગુજરાતી ભાષા માં કોમ્પુટર દ્વારા ટાઈપ કરેલ રૂપિયા ૨૦/ ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોંટાડી એક માહિતી માંગવામાં આવી. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી નવસારી માં સદર નાયબ નિયામક શ્રી ડી કે પટેલ અને સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અનુભવી અધિકારી શ્રી રાઉતની આરટીઆઇ કે અન્ય કાયદાકીય જાણકારી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જે અહિં શબ્દો માં લખવો શક્ય નથી. શબ્દ કોશ માં એના માટે શબ્દ જ નથી.
      આરટીઆઇ એકટ ૨૦૦૫ ભારતીય સંસદ માં પારિત અને ભારતના સર્વોચ્ચ હોદ્દા ધરાવતા રાષ્ટ્રપતિની સહી થી એક સર્વશ્રેષ્ઠ કાનૂન છે. જેમાં તમામ સરકારી અધિકારીઓ ને જાણવો ફરજિયાત છે. અને દરેક નાગરિકોના સંવૈધાનિક અધિકાર છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ઉદ્દેશ નાગરિકોને મૂળભૂત અધિકાર અપાવવા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ અને શુસાસન લાવવા માટે એક મહત્વ પૂર્ણ કાનૂન છે. નવસારી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે જાહેર માહિતી અધિકારી શ્રી ડી કે પટેલ નિમણૂંક કરવામાં આવેલ છે. અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી જેમાં પહેલી માહિતી જેમાં સદર માહિતી અધિકારી શ્રી પોતે માહિતી અધિકાર અધિનિયમની કોઈ તાલીમ લીધેલ છે કે કેમ..જેના જવાબ સદર અધિકારી પાસે નથી. અને નિરીક્ષણ દરમિયાન મોખિક રીતે જણાવ્યું કે તાલીમ લીધેલ છે પરંતુ એનો કોઈ પુરાવા નથી. દરેક તાલીમ પછી સ્પીપા એક સર્ટિફિકેટ આપે છે. પરંતુ એ કોઈ જરૂરી નથી. પરંતુ આજે સમૃદ્ધ ગુજરાત પારદર્શક સર્વાંગી વિકાસ માટે અધિકારીઓ ને કાયદેસર શૈક્ષણિક લાયકાત હોવા ખુબજ જરૂરી છે. સદર કચેરી માં આજે ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા માં કચેરી માં હાજરી માટે એક સામાન્ય ઈલેક્ટ્રોનિક મશીન નથી. સુરક્ષા માટે ફરજિયાત સીસીટીવી નથી. પ્રો એક્ટિવ ડિસકલોજર વિશે સદર અધિકારીને કશું ખબર નથી. પીએડી કાયદેસર એન. એ બી માં ઓડિટ કરાવવા જરૂરી છે સદર અધિકારી ને ખબર નથી. નવસારી જિલ્લામાં સદર કચેરી માં શું કામગીરી કરવામાં આવે છે એમની શું જવાબદારી છે એના માટે સદર મહાશય અરજી કરનાર ને એક વેબસાઇટ લખી ને જોઈ લેવા લિખિત જવાબ આપેલ છે. લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ લેનાર અધિકારીઓ ને આજે જાણવો જરૂરી છે કે એમને વેતન પેટે મળતો એક એક રૂપિયા અને સુવિધાઓ માટે સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેની સલામતી માટે એમને પગાર આપવામાં આવે છે એમની જ રાત દિવસ મહેનત મસકકત અને ખુન પસીનાની કમાણીના છે. અને વેબસાઈટ લખી આપવો એ ખરેખર ગુનો છે. જેમાં આઇપીસીની ધારા ૧૬૬, ૧૬૬ એ, ૧૭૩,૧૮૮,૪૨૦,૧૫૩ વિગેરે ઘારાઓ માં સજાની જોગવાઇ છે. અને મધ્યપ્રદેશમાં માહિતી આયોગ કમિશનર શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ને એવી રીતે માહિતી અધિકાર અધિનિયમ માં છટકબારી કરવા થી જેલ માં મોકલી આપી હતી. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ મુજબ ફરજમાં બેદરકારી અને ગુમરાહ કરવા બદલ તત્કાલ ફરજમાં મુક્તિ માટે કાયદેસર જોગવાઈ છે. ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ સુધારેલ ૨૦૧૮ મુજબ એમની સંપત્તિની પણ સાથે સાથે તપાસ કરવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આજે ભારત દેશમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા આરટીઆઇ ની રહી છે. સદર કચેરી ના માહિતી અધિકારી શ્રી સામે આપેલ વેબસાઇટ ખોલવામાં આવી જેમાં એક પણ માહિતી ઉપલબ્ધ નથી. અને બન્ને અધિકારીઓ ના કામો નો કોઈ પણ માહિતી સદર કચેરી માં ઉપલબ્ધ નથી એવો ન બને .. જાણકારો ના મંતવ્યો સદર બાબતે અહિં લખી શકાય નહીં. માહિતી આપતાની સાથે કોઈ એવી માહિતી હશે જે સદર અધિકારીઓની નોકરી જોખમાય જેથી માહિતી આપવામાં આવી નથી. જેથી હવે માહિતી અધિકાર અધિનિયમ માં માહિતી છુપાવવી એક ગુનો છે જેથી શંકા અને માહિતી ન આપવા આધારે ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી પાસે નવસારી વિજલપોર નગરપાલિકા માં અગાઉ કરાવેલ તપાસ ની જેમ સરકાર દ્વારા એક ટીમ બનાવી કાયદેસર તપાસ કરવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે. 
    સદર કચેરી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૪ ક મુજબ દરેક પ્રકારની માહિતી કોમ્પ્યુટર માં વેબસાઇટ ઉપર રાખવો ફરજિયાત છે. જેથી આમ નાગરિકો સહેલાઈથી જોઈ શકે . પરંતુ એવા કાયદાઓ ની સદર નાયબ નિયામક ને જ ખબર નથી. તજજ્ઞો દ્વારા સદર બાબતે મંતવ્ય મુજબ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ કે દર્શન કરાવી નિમણૂંક પામેલ અધિકારીઓની ઓળખ મોટી હોય જેથી એ વધુ કાયદા કાનૂન જાણવા કરતા એમના મોટા અધિકારીઓ અને નેતાઓની સંભાળ કરવો જરૂરી સમજી મોટા ભાગના અધિકારીઓ કાયદાઓ કે કાયદેસર કામ નથી કરતા. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ ક ખ ગ અને ઘ માટે કરેલ કામો વિશે સદર અધિકારી પાસે કોઈ જવાબ મળ્યો નથી ્્
   નવસારી જિલ્લામાં બાંધકામો માં કામ કરતા બે વ્યક્તિ જે દિવસ માં રેકી કરી નવી નવી મોટરસાયકલ મધ્યપ્રદેશ માં લઇ જતા પકડાયેલ હતી. અને બાંધકામો માં રોડ હોય કે મકાન એમાં દરેક નાગરિક ને ખરેખર સરકાર ના ધારાધોરણ મુજબ સલામતી છે કે કેમ ? એ ની જવાબદારી સદર કચેરીની છે. આરસીપીએસ ક્યા પક્ષી નો નામ છે સદર કચેરી ના નાયબ નિયામક શ્રી ને ખબર જ નથી. કેટલી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવેલ છે સદર નાયબ નિયામક ને ખબર નથી. હવે સદર કચેરી ના વડા શ્રી નવસારી જિલ્લામાં આવે છે કે સદર નાયબ નિયામકની જેમ ગુગલ થી મોબાઇલ નંબર થી જ કામ ચાલે છે એની તપાસ કરવા અઘરૂં નથી પણ એવા અધિકારીઓ સાથે મોદી સાહેબના વિશ્વગુરુ નો સપનો એક જુમલો જેવા સાબિત થશે એમાં કોઈ શંકા નથી. એવા કચેરીના અધિકારીઓ સાથે એક સંવેદનશીલ સરકાર ખરેખર બદનામ થઈ રહી છે. આજે સરકારને બદનામ કરવા માટે વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. હવે સમાચાર સરકાર ના ઈમાનદાર અધિકારીઓ સુધી પહોંચે એના માટે પાઠકોને વિનંતી છે. આપની નજીકમાં કામ કરતા મજૂરો પાસે એમની સલામતી અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે સુવિધાઓ દરેક ને પૂછવા આર્થિક તંગી ના માહોલ માં આપણી ફરજ છે. 

Sunday, June 12, 2022

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુજરાત યોગબોર્ડ દ્વારા મહાયોગ શિબિર સંપન્ન

         




       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના સાનિધ્યમાં ૫૦૦૦ લોકો એ લુંસીકુઈના ગ્રાઉન્ડ પર યોગ કર્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જીલ્લાના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ મેમ્બર યોગ કોચ યોગ ટૈનર મિત્રો અને દરેક સાધકને મિત્રોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નવસારીમાં બે દિવસ થયો હતો યોગ ઉત્સવ જેની વિગત નીચે મુજબ હતી.
તારીખ :11 જૂન ૨૦૨૨
યોગ પર ચર્ચા ૮૦૦ જેટલા લોકો જોડાયા હતા.
સમય: ૩:૦૦ થી ૬:૦૦ બપોરે
સ્થળ: વિદ્યાકુંજ સ્કૂલ
બીજો કાર્યક્રમ
યોગ જાગરણ રેલી નો હતો
સમય: ૬:૦૦ થી ૭:૦૦ સાંજે
એમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. ૧૦૦૦ લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવે એ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલ થી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુનસીકુઈના મેદાન ઉપર રેલી નો અંત કરવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

અને તારીખ: 12 જૂન ૨૦૨૨
મહા યોગ શિબિર
સમય: ૫:૩૦ થી ૭:૩૦ સવારે
સ્થળ : લુનસીકુઈ મેદાન નવસારીમાં
5000 લોકો નવસારી શહેર અને વિવિધ તાલુકામાંથી હાજર રહ્યા હતા જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, jci નવસારી jci નવસારી નારીશક્તિ યોગાસનના અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર , જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી, પ્રભાકુંજ જેવી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારી ના ધારાસભ્ય એવા પીયૂષભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો અને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. નવસારી પધારેલા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા જેમને પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. નવસારી જિલ્લાના યોગ કોડિનેટર ગાયત્રી બેન તલાટી એ દરેકને સંદેશો આપ્યો હતો કે યોગ કરો નિરોગી બનો અને વિશ્વ અને ઉપયોગી બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષા માં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેને ગાયત્રીબેન તલાટી (૯૯૨૫૧૯૦૯૯૭) નો સંપર્ક કરી શકે છે. અને યોગમય બની શકે છે. સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના પ્રસિદ્ધ આ વકીલ એવા પ્રતિમાબેન દેસાઈ એ પણ હાજરી આપી હતી. તદુપરાંત નવસારીના મીડિયા પરિવારે પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો અને આ કાર્યક્રમને દરેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

Monday, June 6, 2022

નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી નયનાબેન પટેલ ના સાનિધ્ય માં પર્યાવરણ દિવસ સંપન્ન

આયુર્વેદ શાખા નવસારી દ્વારા હનુમાનબારી ગ્રામ પંચયત ખાતે વિશ્વ પર્યાવરણ દીવસ ની ઉજવણી કરવામાં આવી





આજે અઢી વર્ષના સમયગાળા બાદ પણ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની થપાટ માંથી બહાર આવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે પુન: આયુર્વેદ તરફ લોકોની શ્રધ્ધા જાગી છે..



વળી પ્રકૃતિનુ જતન જ જીવ માત્રની તંદુરસ્તીનુ મૂળ છે, એ ન્યાયે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી અને ગ્રામ પંચાયત હનુમાનબારીના સંયુક્ત પ્રયાસથી એક વિશેષ પહેલ કરવામા આવી..
હનુમાનબારી ગ્રામ પંચાયતની હદમા આવતા લીમડાઓ પર ગળોના વેલા અને રોપાઓનુ આરોપણ કરવામા આવ્યુ, કાર્યક્ર્મની શરૂઆતમા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી રાકેશભાઇ, ઉપસરપંચ શ્રીમતી પ્રિયંકાબેન, તાલુકા પંચાયત ના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ તથા ઉપસ્થિત સર્વે સભ્યોનુ ગળોનો રોપો આપી અભિવાદન કરવામાં આવ્યું અને સાથે જ વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે ગ્રામ જનોને આયુર્વેદનુ અમૃત એવી ગળો ઔષધિના વિશેષ લાભો થી અવગત કરાયા..જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ચાપલધરાના મે.ઓ વૈદ્ય.પ્રકાશ ચૌહાણે ઘર આંગણે ઉછેર કરી શકાય એવી અન્ય આયુર્વેદ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપ્યુ અને હનુમાનબારી ગામે એક ઔષધિય વાટિકા તૈયાર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વિશેષમાં ગામના સરપંચ શ્રી રાકેશભાઈ દ્વારા વહેલી તકે ગામ પંચાયત દ્વારા જગ્યાની ફાળવણી કરી ગામ ખાતે આદર્શ એક આયુર્વેદ ઔષધીય વાટીકા બનાવવા માટેની તૈયારી દર્શાવાઈ.તાલુકા પંચયતના સભ્યશ્રી યોગેશભાઈ દ્વારા હનુમાનબરી સર્કલપાસે તેમજ આંગણવાડીના પટાંગણમા પણ અરડૂસી જેવી ઔષધિઓ રોપવામાં આવે તો જરૂરીયાત ના સમયે લોકો તેનો ઉપયોગ સહેલાઇ થી કરી શકે અને આ રીતે ઔષધિ નું જતન પણ થાય તેમ જણાવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે લોકોમાં ૨૫ જેટલી ગિલોય અને 150 જેટલા કરિયાતું ના છોડ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો વિજયભાઈ, રાજુભાઈ, અલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Friday, April 22, 2022

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ફટકારી








નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો માં આકારણી કોભાંડ ઉપર તત્કાલ કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસર ને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ના અધિક કલેકટર શ્રી અને નગર નિયોજક શ્રી દ્વારા વારંવાર કાર્યવાહી કરવા માટે નોટિસ આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી સદર મહાશય એક પણ નોટિસ નો જવાબ આપેલ નથી. ખરેખર નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત નિયંત્રણ અધિકારી છે. અને વારંવાર ફક્ત એક પત્ર લખી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત સંતોષ માની રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જાગૃતિ નાગરિકો અને તજજ્ઞો નો મંતવ્ય મુજબ કાર્યવાહી કરવા માટે સક્ષમ અધિકારીની જરૂર થી પહેલા કાર્યવાહી કરાવવા માટે સક્ષમ અધિકારીઓ ની જરૂર છે. આજે સરકાર નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ મૂકવા અંગે પહેલા જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર કચેરી ની રચના કરી. જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓ નિષ્ફળ જતા સરકાર એ કાયદેસર સર્વોચ્ચ ડિગ્રી ધરાવતા કમિશનર શ્રી સાથે એક ફોજ આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત કરી. પરંતુ જમીની હકીકત માં ભ્રષ્ટાચાર નો પ્રમાણ વધી ગયું. આજે વધુ ભણેલા અધિકારીઓ પોતે એક માલિક સમજી રહ્યા છે. એનો પુરાવો આજે નવસારી વિજલપોર નગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ની મિલીભગત માં જોઈ શકાય છે. કાયદેસર કાર્યવાહી કરવા બદલે આજે અધિકારીઓ છટકબારી અને કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરતા માધ્યમ બની ગયા છે. આજે અમદાવાદ ખાતે બીયુ વગર હજારો બહુમાળી બિલ્ડીંગો ને જમીદોસ અને સીલ કરવામાં આવી છે. પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકામાં કાર્યવાહી નો ક હજુ સુધી થયેલ નથી. જાણકારો નો મંતવ્ય મુજબ અહિં કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ ની જરૂર નથી. અહિં એવા જ અધિકારીઓ ની નિમણૂક કરવામાં માં આવે છે જે કાયદેસર કાર્યવાહી ના બદલે છટકબારી નો માસ્ટર માઇન્ડ ગેમ ચેન્જર હોય. અને એક વાર એવા અધિકારીઓ જેની સાથે સેટિંગ થતો હોય એને જ વારંવાર રિપીટ કરવામાં આવે છે. હજુ સુધી એક આઇએએસ કે આઇપીએસ અધિકારી બીજી વખત રિપીટનો કોઈ મોટા ભાગે ઐતિહાસ નથી. પરંતુ એક સામાન્ય કક્ષાના ચીફ ઓફિસર વારંવાર નવસારી વિજલપોર નગરપાલિકામાં નિમણૂંક થયો છે. અને સરકારમાં કાર્યરત તજજ્ઞો નો માનીએ ત્યારે એવા બધા જ રિપીટર અધિકારીઓ પાસે ભ્રષ્ટાચાર દ્વારા મિલ્કત વધુ છે. જેના ઉપર સરકાર નો એક વિભાગ તપાસ કરી રહ્યા છે. જે હવે ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થતા કાર્યવાહી કરવા માં આવશે. નવસારી જિલ્લામાં આજે કચેરી ના મોટા અધિકારીઓ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા મીડિયા થી દુર ભાગે છે. એક ઇન્ટરવ્યૂ આપવા માટે એમની પાસે સમય નથી. એક પ્રેસ કોન્ફરન્સ હવે ડો સંધ્યા ભુલ્લર પછી કાયદેસર કરવામાં નથી આવ્યા. નવસારી વિજલપોર નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રખ્યાત હોવા છતાં આજે એક ડગલું આગળ વધી શકતા નથી. આજે કોઈ પણ તકલીફ વગર આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના હજારો નાગરિકોને રોજી રોજગાર થી વંચિત કરી નવસારી જિલ્લામાં એક નવો એતિહાસ ની રચના કરી છે.લારી ગલ્લા ઉપર મંજુરી કરતા આદિવાસીઓ ગરીબ દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ ના નાગરિકો આજે દર દર ભટકી રહ્યા છે. મંદિરો અને વિના મુલ્યે ભોજન માટે લાઈનો માં ઉભા રહી પોતાના પેટનો ખાડો પૂરવા માટે પોતાના જમીલ વેચી રહ્યા હોય એવા બાતોં કરતા જોવા મળે છે. નવસારી જિલ્લામાં એ પહેલા ચીફ ઓફિસર છે જે આજે ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ ના રોજી રોજગાર થી વંચિત કરી છે. આજે એવા ગરીબો જે હજુ સુધી મંજુરી કરી પણ ભીખ માગવા કે મફતનો એક રુપિયા લેવા રાજી ન હતા એવાને ભીખ માગવા કે મફત માં ભોજન ક્યાં મળે છે શોધવા માટે મજબૂર કરી છે. 

Monday, April 4, 2022

गुजरात राज्य में RTI लकवाग्रस्त ...! मुख्य सूचना आयुक्त मोदी जी का नाम लेते भड़के ..!

 

             


    गुजरात राज्य आज अधिकारियों ने सूचना अधिकार अधिनियम को सिर्फ एक जुमला बनाकर रख दिया है। यहां नवसारी जिले में तारीख 14/10/2020 को नवसारी जिला पंचायत में सरकार के दिये निर्देश जिसमें तीन से पांच वर्ष तक अथवा उससे अधिक के कर्मचारियों अधिकारियों की सूची मांगी गई थी। कार्यालय एवम वाहनों से एरकंडीशन निकालने का आदेश गुजरात विकास कमिश्नर श्री द्वारा एवम वेतन कहीं और काम कहीं ले रहे कर्मचारियों को उनकी मूल स्थान पर तत्काल रखने का आदेश गुजरात सरकार ने दिये थे। इसी तीन मुद्दे जिसे गूजरात विकास कमिश्नर द्वारा दिया गया था । इस पर अमल करना और करवाना नवसारी जिले के जिला पंचायत का कर्तव्य है। और वैसे सिर्फ सरकार के सभी कानून योजना ओ को जमीनी स्तर तक पालन करवाना ही भारतीय संविधान के अनुसार राष्ट्रपति से लेकर एक सामान्य सरकारी सामान्य कर्मचारी तक है। और भारत के सभी नागरिकों का भी इसमें शामिल होना अनिवार्य है। जब तक शासन प्रशासन से लेकर सामान्य मानवीय तक एक साथ एक जुट होकर काम नहीं करेंगे तब तक विकास समृद्धि पारदर्शिता इसी तरह एक जुमले की भांति देखी जाती रहेगी। सबसे पहले नवसारी जिले में आज लगभग जिला पंचायत के सभी कार्यालयों में जमकर भ्रष्टाचार हो रहा है। जवाबदेही किसकी है यह कोई भी न बताने न लेने को तैयार हैं। नवसारी जिला पंचायत में एक सामान्य  एकाउंटेंट को नायब जिला विकास अधिकारी का पद दे दिया गया। और नायब जिला विकास अधिकारी श्री आज लगभग सभी RTI को सरकार के किसी न किसी कानून से सीधा रद्द कर दिया करते है। जबकि यह सरासर ग़लत है। प्रथम अपीलीय अधिकारी जिला विकास अधिकारी श्री ने तीन से पांच साल के अथवा उससे अधिक वर्षों से काम कर रहे कर्मचारियों की सूची फीस लेकर देने का हुक्म किया। जिसे लोक सूचना अधिकारी नायब जिला विकास अधिकारी ने रद्द किया था यह बताकर कि सभी कचेरीयो में अलग RTI आरटीआई लगाकर मांगे वह सूचना उनके कार्यकाल से निकली । एकाउंटेंट महाशय आज भी अपने कार्यालय से एरकंडीशन नहीं निकाला है। और सरकार के नियमानुसार मांगी गई सूचना को गुजरात राज्य मुख्य सूचना आयुक्त श्री अमृत पटेल ने सरकार के नियम कानून को बनाने और पालन करना जरूरी नहीं होता है। ऐसा कोई नियम न बताकर मांगी गई सूचना जो कि सिर्फ नियमों को पालन के बजाय सिर्फ तीन से पांच अथवा अधिक कर्मचारियों अधिकारियों की सूची को सूचना अधिकार के दायरे में नहीं आती कहकर सूचना खारिज कर दिया। और जब अरजदार ने इसे लिखित में मांग की तब चुप्पी साधी।

Sunday, April 3, 2022

                          नवसारी जिले में सूचना अधिकार लकवा ग्रस्त जवाबदार कौन ..?

भारत का भविष्य सवारने शिक्षित की मुख्य जवाबदार , कुपोषित बालको के लिये मुख्य जवाबदार तालुका एवम जिला कार्यालय में  जांच प्रकृया सिर्फ एक जुमला ,लोक सूचना अधिकारियो को १७ वर्षो के बाद भी सूचना अधिकार अधिनियम २००५ की जानकारी से किया इंकार - RTI 

नवसारी जिला पंचायत में जिले से लेकर ग्राम पंचायत तक लगभग सभी लोक सूचना अधिकारी आर टी आई कार्यकर्ताओ को ३० दिन में सूचना देना समझते हैं गुनाह - RTI 

नवसारी आयुर्वेदिक होस्पीटल में आरटीआई के नाम पर हिटलरशाही एवम वर्षो से होस्पीटल बंद कर बताया ग़टर भरने एवम ट्युबलाईट पंखा बिगडना वजह जिसे तत्काल नगरपालिका द्वारा किया घंटो मे साफ अब जायें तो जांये कहां - RTI 

नवसारी जिला पंचायत मार्ग और मकान द्वारा बनाया मकान २५ वर्षो की जगह सिर्फ ५ वर्षो में हुआ खंडहर - RTI 

नवसारी विजलपोर नगरपालिका में आरटीआई को बनाया जुमला, नवसारी विजलपोर नगरपालिका में करोडो रूपये का हुए भ्रष्टाचार की सूचना अधिकार अधिनियम २००५ के तहद सूचना देने से आ सकता है भूचाल - RTI


Saturday, April 2, 2022

જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ






જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ
 નવસારીઃમંગળવારઃ રાજય સરકારશ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો મુકતપણે ચર્ચા- વિચારણા માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જલાલપોરના આરક પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ હતી. 
 આ પ્રસંગે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આરક ગામે આદિજાતિના લોકો વધારે હોવાથી કલેકટરશ્રીએ આદિજાતિની વિવિધ યોજનાઓ વિશે જાણકારી તેનો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કુપોષણ મુકત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને સરકારી અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવ્યાં છે. જેમાં રેડઝોન/યલો ઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
 આરક ગામે રાત્રિસભામાં ગ્રામજનોએ પડતી મુશકેલી વિશે રજૂઆત કરી હતી. જેમાં વીજ કનેકશન કામગીરી તથા વીજ અનિયમિતતા, સિંચાઇ , નિયમિત પાણી બાબત, તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવા, વારસાઇને લગતા પ્રશ્નો, ખેતીલક્ષી પ્રશ્નો તેમજ તેમજ અન્ય રજૂઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.


 જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ગ્રામજનોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી, સબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્નોને અગ્રિમતા આપી સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોના પ્રશ્નો તબકકાવાર હાથ ધરી નિયત સમયમાં નિકાલ કરાશે તેમ જણાવ્યું હતું. 
 આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, જલાલપોર મામલતદારશ્રી, સરપંચશ્રી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

Friday, March 18, 2022

नवसारी जिले में उत्तर भारतीय समाज एवम हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत द्वारा होली स्नेह सम्मेलन कार्यक्रम संपन्न






नवसारी जिले में उत्तर भारतीय समाज एवम हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत द्वारा होली स्नेह सम्मेलन कार्यक्रम संपन्न 
नवसारी जिले के सिसोद्रा में हर वर्षों की भांति इस वर्ष भी उत्तर भारतीय समाज एवम् हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत , श्री हरिमोहन तिवारी गुरु जी , गणेश चतुर्वेदी, सुरेश पांडे,मानसिंह, प्रकाश पाण्डेय, मुकेश सिंह,अजय पाठक, रिंकू सिंह,के के तिवारी, मुन्ना भाई, ,डा.आर. आर.मिश्रा , राहुल सिंह हिन्दू युवा वाहिनी के संमानित कार्यकर्ता, पदाधिकारी, उत्तर भारतीय समाज के सभी समाज के सर्वोच्च एवम कार्यकर्ता आज होली के पवित्र त्योहार पर एक साथ मिलकर बड़े हर्षोल्लास पूर्वक भजन कीर्तन के साथ मनाई। सभी मित्रों ने होली को एक विशिष्ट त्योहार के रुप में पूरे वर्ष के गले शिकवे दूर कर एक दूसरे के गले मिलकर मनाई। पूरा माहौल संगीत मय अंत तक बना रहा। होली वैसे उत्तर भारत में सबसे अधिक महत्वपूर्ण माना जाता है। होली के शुभ अवसर पर सभी एक दूसरे से रंग गुलाल लगाया। वैसे वैदिक काल से होली को नये वर्ष के रूप में प्रथम मास  चैत्र हिन्दूओं के पंचांग के अनुसार शुरुआत होने से एक विशिष्ट त्योहार माना जाता है। होलीका माता के दहन में सत्य की जीत प्रहलाद के बच जाने से अधिक प्रभावशाली हो जाता है। वैसे होली मनाने के पीछे सभी क्षेत्रों में अपनी अपनी मान्यताएं हैं। भारत देश कृषि प्रधान देश माना जाता है। और इसी समय नये अनाज आने की शुरुआत होने से होली के त्योहार को एक विशिष्ट स्थान प्राप्त है। भगवान श्री कृष्ण जी के राश रचाने वाले पर्व को भी इसी समय से जोड़ कर देखा जाता है। होली का त्योहार रंगों का त्योहार माना जाता है। इस पवित्र पर्व पर सभी छोटे बड़े एक दूसरे को रंगों एवम गुलाल से रंग देने की परंपरा है। वैसे होली भारत में लगभग सभी धर्मों के लोग एक साथ मिलकर मनाते हैं। दीपावली की तरह होली का एक सर्वश्रेष्ठ महत्वपूर्ण स्थान है। नवसारी जिले में आज होली के इस शुभ अवसर का मजा सभी ने मिलकर मनाई।और पूरा माहौल संगीत मय के साथ बना रहा। 



Saturday, March 12, 2022

उत्तर प्रदेश में बाबा योगी आदित्यनाथ जी के प्रचंड जीत की खुशी में गुजरात के नवसारी जिले में घेलखड़ी के उद्योगपति श्री रामनिहाल मिश्रा जी द्वारा 51 मन लड्डू वितरण कार्यक्रम संपन्न












उत्तर प्रदेश में बाबा योगी आदित्यनाथ (बुलडोजर बाबा) की प्रचंड जीत की खुशी में गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में उद्योगपति श्री रामनिहाल मिश्रा सपरिवार द्वारा 51 मन लड्डू का प्रसाद वितरण किया गया। जिसमें नवसारी जिले के साथ स्थानीय नागरिकों ने इस खुशी के माहौल में अपनी उपस्थिति दर्ज कराई। सभी नागरिकों महिलाओं बच्चों बुजुर्ग भाई बहनों ने बढ़ चढ़कर हिस्सा लिया। सहा के अंत तक अत्यंत खुशी का माहौल बना रहा। ऐसी खुशी का माहौल वारंवार आते और बाबा योगी आदित्यनाथ जी के ऊपर हमेशा इसी तरह बाबा भोलेनाथ की कृपा बनी रहे ऐसी सभी उपस्थित महानुभावों ने प्रार्थना की।

નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે ભવ્ય શરૂઆત




નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઈલેક્ટ્રોપૈથી એક સાથે ભવ્ય શરૂઆત


આજે કોરોના મહામારી અંતે દેશના મોટા ભાગના રોજી રોજગાર બંધ થવા થી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને દર રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવા થી હાલત બદ થી બદતર થવા પામી છે. આજે મોટા ભાગના હવા, પાણી, ખોરાક દૂષિત છે. પીવા લાયક ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી. અને બાઝાર કે મશીન દ્વારા જે પાણીના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ આપણા શરીર માટે સારૂ નથી. કારણ કે એમાં થી મશીન દ્વારા સાફ કરતી વખતે મોટાભાગના ખૂબ જ જરૂરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી એ એસીડિક પાણી આપણા શરીર માં લાંબા સમયે નુકસાન દાયક સાબિત થાય છે. પશ્ચિમી સભ્યતાનો ખોરાક આપણા દેશના હવામાન મુજબ તદ્દન હલકો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ કમજોર સાબિત થાય છે. શહેરો માં રહેનાર નાગરિકોને શુદ્ધ હવા પણ આજે ઉપલબ્ધ નથી. અને આજે મોટા ભાગના નાગરિકો સૂર્ય થી વંચિત રહે છે અથવા જરુર મુજબ સૂર્યની ગર્મીનો ઉપયોગ કરતા નથી. આપણી શરીર પાંચ તત્વો થી ઘડવામાં આવેલ છે. અને આપણે એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં હંમેશા કર કસર રાખતા હોય છે. સૂર્ય આપણી શરીર માં પ્રમુખ ભાગ પાચન માટે ભજવે છે. એના થી જેમ જેમ આપણે દૂર થતા ગયા તેમ તેમ નવી નવી બીમારીઓના શિકાર બનતા ગયા . એક પણ મનુષ્ય મળવો મુશ્કેલ છે જેની શરીર માં કોઈ ન કોઈ બીમારી ન હોય . આધુનિક પૈથી એલોપૈથી માં દવા સારવાર અને તપાસ માં થતો ખર્ચ અને અંતે એ સારવાર થી મળતો ફાયદો કોઈ પણ સંજોગોમાં ને પોષાય એમ નથી. એક બીમારી દૂર થાય એ પહેલા એ દવાઓ કે સારવાર ની પદ્ધતિ માં જ અનેકો બીમારી પહેલા જ જન્મ લે છે. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના સચોટ સારવાર માટે આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સાથે ઈલેક્ટ્રોપૈથી એના માત્ર એક વિકલ્પ છે. જેમાં સામાન્ય મધ્યમ વર્ગ થી સર્વોચ્ચ સુધી દરેકે દરેક સારવાર મેળવી શકાય છે. અને કોઈ પણ પ્રકારના આડઅસર વગર સારવાર હોવાથી આરામ અને કાયમી ધોરણે મુક્તિ મળે છે.અને આર્થિક સ્થિતિમાં પણ ફાયદો અવશ્ય થાય છે. લાખોની પસંદ આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ થી શોધિત અતિ દુર્લભ જડી બૂટીઓનો વિશાલ સંગ્રહ કરી બનાવેલ દવાઓના ચમત્કારિક લાભ જોવા મળે છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર થી શરીર મન આત્માને શાંતિ મળે છે. સાથે સાથે આપણા દેશથી કરોડો અરબો ખરબો રૂપિયા વિદેશ જતા અટકે છે. આપણા શરીર મન આત્માનો વિકાસ થતા જ પરિવારના સમાજ ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય અને દેશનો વિકાસ થાય છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં મોટા ભાગના ફળ સબ્જી અને દેશી વનસ્પતિઓનો ઉપયોગ હોવાથી બહારથી વિદેશી કેમિકલ યુક્ત દવાઓ ઈમ્પોર્ટ આયાત કરવાની જરૂર પડતી નથી.અને આયુર્વેદ નૈસર્ગિક ઉપચારના ઉપયોગ કરવાથી શારીરિક માનસિક રોગોને જડમૂળથી દૂર કરવા માં દરેકે દરેક ને આર્થિક ફાયદો થાય છે.આપ સૌ દરેકે દરેક ને સમાચાર પહોંચાડવા એક બીજા ની મદદ રૂપ થવો આજે ખૂબ જ જરૂરી છે. આપ સૌને નવસારી જિલ્લામાં લોક રક્ષક હેલ્થ કેર નવસારી માં હાર્દિક આમંત્રણ છે. કોઈ પણ પ્રકારના રોગોને મટાડવા માટે આપણો આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સક્ષમ છે. આપ સૌને નવસારી જિલ્લામાં કોઈ પણ રંગ ભેદ જાત પાત ધાર્મિક ભેદભાવ વગર એક વખત અવશ્ય પધારવા વિનંતી.
ડો. આર. આર. મિશ્રા
 અલકાપુરી સોસાયટી શિવાજી  ચોક પાસે વિજલપોર નવસારી -396450 ગુજરાત
મોબાઈલ નંબર
9898630756
9227850786
9328014099
મોબાઈલ થી સમય મેળવીને પધારવા જેથી આપના માટે સારી વ્યવસ્થા કરી શકાય.


Monday, February 28, 2022

" કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ




" કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ



નવસારીઃ સોમવારઃ " કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા સેવા સદન નવસારી ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
           બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૩૦૬ જેટલા બાળકો કુપોષિત છે. નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્યું હતું. લાલ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતુ. ૧ લી માર્ચથી ૩૧ મી મે સુધીમાં તમામ રેડઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાની રહેશે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવશે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
 કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ વહીવટીતંત્ર કામે લાગશે. આ કામગીરી જનઆંદોલનરૂપે હાથ ધરવામાં આવશે. તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરાઇને કુપોષણ મુકત જિલ્લો દૂર કરવા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું.
 જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે કુપોષણ મુકત નવસારી જિલ્લા માટે હાથ ધરવાની કામગીરી વિશે ચિતાર આપ્યો હતો.
 આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.






Saturday, February 19, 2022

અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ




અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા
અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ 

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ
 
 નવસારીઃ- નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. 
 જિલ્લા સંકલન બેઠકમાં રાજય સરકારશ્રીએ આપેલા લક્ષ્યાંક પૂર્ણ કરી સો ટકા સિધ્ધિ હાંસલ કરવા તમામ વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું. નવસારીના ધારાસભ્યશ્રીએ નવસારીના વેરાવળ પુલ પર રેલીંગ, પ્રાયોજના વહીવટદાર વાંસદા, નવસારી તથા બીલીમોરાના એસ.ટી. વિભાગ, નરેગા વિભાગ તેમજ અન્ય પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમાં મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. 


 જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે અરજદારોના પ્રશ્નોના અધિકારીઓએ પોતાની જવાબદારી સમજી હકારાત્મક રીતે નિકાલ કરવા જણાવ્યું હુતું. તેમજ સરકારશ્રીની તમામ યોજનાના લાભાર્થીઓને સમયસર લાભ મળે તે માટે સબંધિત અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી. જનપ્રતિનિધિઓના ફરિયાદોના ઝડપી નિકાલ માટે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.


 બેઠક દરમિયાન પડતર અરજીઓના નિકાલ, તુમાર સેન્સસ, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, સરકારી લ્હેણાંની વસુલાત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. 
 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.



Friday, February 18, 2022

શ્રીપ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ સંપન્ન










શ્રીપ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને 
સારવાર કેમ્પ સંપન્ન
            આજ રોજ઼ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વાંસદા ના સરપંચશ્રી ગુલાબભાઇ તથા વાંસદા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટુભાઈ પાંચાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. સાથે જ઼ સર્વે આમંત્રિત મહેમાનોનું વિક્સ તુલસીનો રોપો આપી સ્વાગત કરવામાં આવ્યું.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારીના વૈદ્ય નયના આઈ પટેલ દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી વિવિધ તાલીમો વિશે અને આયુર્વેદ વિષયક વિગતવાર માહિતી આપવામાં આવી.
           આ કેમ્પ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી હાજર રહી ઉપસ્થિત કિશોરીઓ સાથે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં ચાલતી વિવિધ તાલીમો વિશે સંવાદ કર્યો અને કિશોરીઓ ને પ્રોત્સાહિત કર્યા. કેમ્પ અંતર્ગત કિશોરીઓની આરોગ્ય લક્ષી તપાસ કરી સારવાર આપવામાં આવી તેમજ આયુર્વેદ ઔષધિય રોપા નું વિતરણ કરવામાં આવ્યું. આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ માટે પ્રદર્શન તથા આયુર્વેદ ઔષધિય યુક્ત હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓને પોષણ યુક્ત આહાર આપવામાં આવ્યો.અને કિશોરીઓને વિવિધ રમતો રમાડવામાં આવી.આ કેમ્પ માં વાંસદા કેળવણી મંડળ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ ગાંધી, મંત્રીશ્રી ધર્મેશભાઈ પુરોહિત ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી અને કારોબારી સભ્ય કમલેશભાઈ ઉપાધ્યાય તથા પ્રા. શાળાના આચાર્ય સંદીપભાઈ હાજર રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયુર્વેદ ના મે.ઓ અને સટાફ તથા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી.

आनंदमय जीवन का रहस्य ...! बीमारियों से मुक्ति एकदम सरल और सहज





          मानव जीवन के रहस्य को जानकर आनंदमय जीवन एवम असाध्य बीमारियों से मुक्ति पायें 

        मानव जीवन परमपिता परमात्मा द्वारा दिया गया एक अवसर है । जीवन एक सराय है इसे सराय ही रहने दें। शास्त्रों के अनुसार आपको मनुष्य योनि बड़े भाग्य और आपके कई जन्मों के निरंतर प्रयास से एक अद्भुत भेंट के स्वरूप में मिली है। इसे व्यर्थ न जाने दें। एक एक पल बहुत ही महत्वपूर्ण है। इसका आनंद लें। और यह आनंद भी ऐसे तो बहुत ही सरल है। परंतु क्या हम इसे अभी तक इसके स्वाद को चख पाते हैं। जवाब में अक्सर नहीं ही मिलता है। आखिर क्यों ? इसके लिए तथाकथित धार्मिक शास्त्र धर्म पद प्रतिष्ठा समाज और तथाकथित धार्मिक गुरु ही हैं जो आपको जन्म के साथ अपने फंदे में अपने जाल में कुछ इस तरह फंसा लेते हैं कि यह आधुनिक मनोवैज्ञानिक कहते हैं कि यह आपके अवचेतन मन में घर बना लेता है। और आजीवन इसके बाहर निकल नहीं पाते। और एक कुंए की मेंढक की तरह कूंए को ही अपना संसार मान कर इस विराट जीवन को पूरा कर देते हैं।
       आनंदमय जीवन प्राप्त करना अथवा मिलना आज यदि असंभव नहीं है फिर भी मुश्किल अवश्य है। जैसे एक बिल्ली के ऊपर प्रयोग में बिजली के गरजने की आवाज से डर लगता है। उसके सामने जोर से आवाज सुनाने में वह पूरा घबरा जाती है । एक अच्छी संगीत की आवाज पर ध्यान मग्न होकर नाचने लग जाती है। परंतु जब उसके सामने सभी प्रकार की आवाज अथवा संगीत के साथ बिल्ली के सामने एक चूहा छोड़ दिया गया । बिल्ली सभी आवाज डर नृत्य को इग्नोर कर देती है और चूहे को लपक लेती है। अहिंसा संगीत सभी अलग पड़े के पड़े रह जाते हैं। सभी बंधन टूट जाते हैं। आखिर क्यों? यही हालत आज पूरे मानव जाति की है। पूरे मानव जीवन को आज सदियों से एक तथाकथित सभी धर्म के धार्मिक गुरुओं के द्वारा बांध दिया गया है।यह बंधन इतना गहरा है कि अब तो कभी कभार बुद्ध और महावीर, कृष्ण, कबीर, सूरदास, रैदास, मीरा जैसे परम आत्माओ को ही दिखाई देता है। हालांकि यह बहुत ही आसान और सरल सहज है।
          क्या आप अपने जीवन को आनंदमय बनाना चाहते हैं ? इस भागदौड़ की जिंदगी के रहस्य को जानना चाहते हैं ? स्वस्थ जीवन शैली को अपनाकर आनंदमय जीवन की तलाश में हैं ? देर न करें आज और अभी से शुरूवात करें । इस भव्य विराट जिसे एक भेंट स्वरूप अवसर के रूप में परमात्मा के द्वारा दी गई है। व्यर्थ न जाने दें। सहजता के साथ शुभारंभ करें। और कहीं भी कभी भी कुछ अड़चन दिखाई दे।आप किसी असाध्य बीमारी से पीड़ित हैं। चिकित्सकों ने आजीवन दवा खाने की सलाह दी है। जरा भी चिंता न करें। बीमारी जहां है। सवाल जहां है जवाब भी वही है। बीमारी यदि आपके शरीर के भीतर है फिर उसकी दवा भी वही है। फिलहाल इसे समझना इतना आसान नहीं है। जब तक उसे अंदर से ठीक न किया गया बाहर की सभी पद्धति दवा बेकार है। आइये जिसने दर्द दिया है जहां से यह बीमारी पैदा हुई है। सबसे पहले उसे वहीं से ठीक करने की कोशिश करें।
संपर्क करें
डा आर आर मिश्रा
लोकरक्षक हेल्थ केयर
एवम आध्यात्मिक चिकित्सा केंद्र
अलकापुरी सोसायटी विजलपोर नवसारी
संपर्क सूत्र +91 9898630756




નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...