પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) હેઠળ ખેડૂતોને પણ પેન્શન મળશે
(ડો.એ.આર.ગજેરા ખેતીવાડી અધિકારી નવસારી)
આ યોજનામાં જોડાવા માટે નજીકના કોમન સર્વિસ
સેન્ટર ખાતે જઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે. આ માટે ખેડૂતે અરજી કરતી વખતે આધાર કાર્ડ તેમજ બેંક ખાતાની
વિગતો સાથે રાખવાની રહેશે. આ યોજના અંગેની વધુ માહીતી પણ સદર કેન્દ્રો ખાતે મળી
રહેશે.
આ યોજનાનો લાભ નીચેના ખેડૂતોને મળી શકશે નહી
તેની સ્પષ્ટતા પણ કરાઇ છે. જેઓ અન્ય પેન્શન યોજના હેઠળ જોડાયેલ હોય, કોઇ વૈધાનિક પદ ધરાવતા હોય, પુર્વ કે ચાલુ મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મ્યુનિસિપલ
કોર્પોરેશનના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કેન્દ્ર કે રાજ્ય
સરકારના કર્મચારીઓ/અધિકારીઓ, છેલ્લા એક વર્ષ દરમ્યાન
આવકવેરો ભરેલો હોય તેવા ખેડુત, ડોક્ટર, એન્જીનીયર, ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ કે આર્કિટેક્ટ જેવા
પ્રોફેશનલ્સ વગેરે જોડાઇ શકશે નહી.
આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ લેવા માટે સમયસર અરજી કરવા
માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નવસારીએ તેઓની યાદીમાં જણાવ્યુ છે.
No comments:
Post a Comment