Saturday, December 12, 2020

ગુજરાત રાજ્ય માં મુખ્ય મંત્રી શ્રી આદિવાસી ક્ષેત્રમા વિકાસની સમ્રિદ્ધિ ના દ્વાર ખોલી રહ્યા છે ......નવસારી જિલ્લા માં આદિવાસીઓના આયુર્વેદિક દવાખાના માટે જમીન ઉપર સરકારી અધિકારીઓ માટે બંગલો


ગુજરાત રાજ્ય માં મુખ્ય મંત્રી શ્રી આદિવાસી  ક્ષેત્રમા વિકાસની સમ્રિદ્ધિ ના દ્વાર ખોલી રહ્યા છે .નવસારી જિલ્લા માં આદિવાસીઓના આયુર્વેદિક દવાખાના માટે જમીન ઉપર સરકારી અધિકારીઓ માટે બંગલો 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
 આદિવાસી ક્ષેત્રમા વિકાસની સમૃદ્ધિના દ્વારા ખુલશે ; 
 વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓ વિકાસની નવી તકો સાથે બનશે નંદનવન ;
 આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂ.૩૮૫ કરોડના ખર્ચે ચાર જેટલી નવી પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 
 ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા શેલ્ટર હોમનુ પણ કરાયુ ઈ લોકાર્પણ ;


 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ વાલિયા ખાતેથી અંદાજીત રૂ.૩૮૫ કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમા નંદનવન બનશે તેમ જણાવ્યુ હતુ.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી, આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી. 
“કોરોના” કાળમા રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમનુ આયોજન કરવા સાથે નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા બદલ સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના “જાન ભી, ઔર જહાં ભી” ના મૂળમંત્ર સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે આ સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યુ હતુ. વિકાસની યોજનાઓને કાર્યાન્વિત રાખવા માટે કટિબદ્ધ સરકારે વિકાસની ગતિને થંભવા દીધી નથી તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી રુપાણીએ છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠાને લગતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો ખ્યાલ આપ્યો હતો.
ખાતમુહુર્ત કરાતા કાર્યક્રમોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી બનાવીને આ સરકારે વિકાસની ઠોસ પદ્ધતિ નક્કી કરીને સુવ્યવસ્થિત, સમયબદ્ધ, કાર્ય આયોજનની કાર્યશૈલી વિકસાવી છે તેમ જણાવ્યુ હતુ.
ભૂતકાળની સરકારોની કાર્યશૈલીનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ પાણી વિના વિકાસ શક્ય નથી તેમ જણાવી પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી. નેવ ના પાણીને મોભે ચઢાવીને ગુજરાતે પાણીથી તરસતા ગુજરાતના વિકાસની આડે રહેલા તત્વોને પ્રજાએ જાકારો આપ્યો છે તેમ જણાવ્યુ હતુ.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી પરંપરાને આગળ વધારતા વર્તમાન રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બનાવીને નવા નવા સોર્સ આધારિત યોજનાઓની ભેટ પ્રજાજનોને આપી રહી છે તેમ જણાવી ગુજરાતમાંથી ટેન્કરરાજ ખત્મ કરવા સાથે પાણી પુરવઠા યોજનાઓની ફાઈલોમાંથી “નો સોર્સ” શબ્દને દુર કર્યો છે તેમ જણાવ્યું હતું.
સને ૨૦૨૨ સુધીમા ગુજરાતના દરેક ઘરને “નલ સે જલ” મળે તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અન્ન વિતરણ યોજના, વીજ જોડાણ યોજના જેવા કાર્યોમા રાજ્ય સરકારે હાસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. માં રેવાને તીરે ભાડભૂત યોજનાનુ ભગીરથ કાર્ય પણ રાજ્ય સરકારે હાથ ધાર્યું છે તેમ જણાવી શ્રી રુપાણીએ દરિયાના ખારા પાણીને મીઠુ પીવા લાયક બનાવવાની યોજનાનો પણ ખ્યાલ આપ્યો હતો.
આગામી તા.૧૫ ડિસેમ્બરે દેશના વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પણ ગુજરાતમા વિકાસના નવા આયામો સર કરાશે, તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ “સુજલામ સુફલામ યોજના” નો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતુ.
ગુજરાતની સુખાકારી માટે હરહંમેશ રાજ્ય સરકારના પ્રયાસોનો ખ્યાલ આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ ભરૂચ જિલ્લાના પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂ. ૩૮૪.૭૮ કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ હતુ. જેમા (૧) નેત્રંગ-વાલિયા જૂથ પાણી પુરવઠા યોજના ; પેકેજ-૧, ૨, અને ૩ સહીત, (૨) મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના, (૩) ઝાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના, તથા (૪) રુંઢ-રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે. 
ભરૂચ જિલ્લાના કુલ ૩.૬૧ લાખ ગ્રામીણ ઘરો પૈકી ૩.૨૫ લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે. જેમા ૧૧ જેટલી જૂથ યોજનાઓ અંતર્ગત ૩૫૭ કિલોમીટર લાંબી બલ્ક પાઈપ લાઈન, ૬૯૨ કોલોમીટર લાંબી વિતરણ પાઈપ લાઈન, ૧૭૪ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૧ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, ૩૭.૫૧ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૮ ભૂગર્ભ ટાંકાઓ, અને ૭.૮૪ એમ.એલ.ડી. ક્ષમતાની કુલ ૧૮ ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે.
આ ઉપલબ્ધ સુવિધાઓ ઉપરાંત ભરૂચ જિલ્લાને ભવિષ્યમા પણ અવિરત પાણી પુરવઠો મળતો રહે તે માટે આજે અંદાજીત રૂ.૩૮૫ કરોડની પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ છે. આ યોજનાઓ પૂર્ણ થતા જિલ્લાના વધુ ૧૬૨ ગામોની ૩.૪૫ લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલુ પાણી પૂરુ પડી શકાશે. 
પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહુર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ.
              આ પ્રસંગે પાણી પુરવઠા, પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યદક્ષ નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામો સુધી પૂરતી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બને તેવી યોજનાઓ સાકાર થઇ રહી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. તેમણે પીવાના પાણીના એક-એક બુંદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની રાજ્ય સરકારની નેમ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાં હાલના સમયમાં  વધેલી પાણીની જરૂરિયાતની પૂર્તિ ખાતમુહૂર્ત થયેલી ચાર મહત્વની પાણી પુરવઠા યોજનાથી થઈ શકશે તેમજ ભરૂચ જિલ્લાની ૩.૪૫ લાખની વસ્તીને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી સહેલાઈથી પ્રાપ્ત થશે. ભરૂચ જિલ્લાના ૩.૨૫ લાખ ઘરો સુધી નલ સે જલ અભિયાન હેઠળ નળથી પાણી મળી રહ્યું છે. બાકીના ઘરો સુધી ઝડપભેર પાણી મળી શકે એની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, બાકીના ઘરો સુધી નળથી પાણી પહોંચાડવાની કામગીરી પુરજોશમાં શરૂ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.   
               અંતરિયાળ ગામો સુધી પીવાના પાણીનું સુયોગ્ય વિતરણ, સતત મોનિટરીંગ અને આ કાર્યમાં રોકાયેલી કરારની એજન્સીઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું શ્રી શ્રી બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 
             સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં ભૂતકાળમાં પીવાના પાણીની પારાવાર મુશ્કેલીઓ હતી. ટ્રેન ટેન્કરથી પીવાના પાણીનું વિતરણ કરવાના દિવસો રાજ્યની જનતાએ જોયા છે. વર્તમાન સરકારે પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવાનું બીડું ઝડપ્યું છે. નર્મદા, કરજણ અને ઉકાઈ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ થકી પાણીની સમસ્યા નિવારવા સરકાર સતત કાર્યરત છે એમ જણાવી તેમણે ભરૂચ જિલ્લાને પાણી પુરવઠા યોજનાઓથી આવરી લેવા બદલ રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
              આ વેળાએ પાણી પુરવઠાની ચાર યોજનાની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.              
              આ પ્રસંગે સહકાર અને રમતગમત રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરૂણસિંહ રણા, દુષ્યંતભાઈ પટેલ, ઈ.જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર, અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુરભાઈ મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખો-સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

આગ જેવી આપાતકાલીન સ્થિતિમાં નવું ફાયરસ્ટેશન બનશે આધારરૂપ 
ભરૂચ નગરપાલિકા હેઠળ ૧૯.૧૮ યોરસ કિમી વિસ્તારમાં અંદાજિત ૨.૦૦ લાખ જેટલી વસ્તી છે. શહેર વિસ્તારમાં તથા જિલ્લામાં બનતા આગના બનાવોને પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરના પૂર્વ વિસ્તાર મકતમપુર, બોરભાઠા બેટ અને ઝાડેશ્વર ગામ પૈકીના ભાગનો નગરપાલિકામાં હદમાં સમાવેશ થતાં બીજા ફાયર સ્ટેશનની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા દ્વારા રૂ.૮૮.૯૦ લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) આ ફાયરસ્ટેશન બનાવાયું છે. 

ઘરવિહોણા લોકો માટે ઘર જેવું આશ્રયસ્થાન એટલે અર્બન હોમલેસ શેલ્ટર 
ભરૂચ નગરપાલિકાએ ઘરવિહોણા લોકો આશ્રય મેળવી શકે, ઠંડી, વરસાદ અને તડકાથી રક્ષણ મેળવી શકે એ માટે નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (NULM) અંતર્ગત પોતાના ઘર જેવું આશ્રયસ્થાન ‘અર્બન હોમલેસ શેલ્ટર (નાઈટ શેલ્ટર) નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.૧.૫૫ કરોડના ખર્ચે નિર્મિત અર્બન શેલ્ટરમાં ૨૧૪ જેટલા ઘર વિહોણાલોકોને આશ્રય આપવામાં આવશે. જેની દેખરેખ તથા સંચાલન ભરૂચની અગ્રણી સામાજિક સંસ્થા સેવાયજ્ઞ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે.
    નવસારી જિલ્લા માં આદિવાસીઓના આયુર્વેદિક દવાખાના માટે 
             જમીન ઉપર સરકારી અધિકારીઓ માટે બંગલો 
નવસારી જિલ્લાના માર્ગ અને મકાન ( સ્ટેટ )ની નાયબ કાર્ય પાલક ઈજનેર ચિખલી વર્ષોથી ભ્રષ્ટાચાર માં સૌથી આગળ છે. નવસારી જિલ્લાના સૌથી ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, બેરોજગારી , ખેડૂતો, મહિલાઓ વગેરેના શોષણ સરકારી અધિકારીઓ જ કરી રહ્યા છે. જેનો ખુલાશો એક આરટીઆઈ થી અગાઉ થયેલ છે. આદિવાસી વિસ્તાર વાસદા માં સ્વાસ્થ્ય માટે કાયદેસર વ્યવસ્થા નથી. જેથી કોરોના જેવી મહામારી માં સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ દસથી વધુ મરીજ ન હોવા છતા ચાર કરોડ રૂપિયા સરકાર દ્વારા ભાડું ચુકવણી કરવામાં આવ્યું હતુ. જે સાબિત કરે છે કે સરકારી અધિકારીઓ આદિવાસી ગરીબો માટે નથી. જાહેર જનતા અને સામાન્ય ગરીબ આદિવાસીઓ માટે આજે ૬ વર્ષ પહેલાં એક આયુર્વેદના હોસ્પિટલ માટે કલેકટરશ્રી નવસારી જગ્યા ફાડવામા આવ્યો હતો. પરંતુ કાયદાકીય વહીવટી તંત્ર થી પસાર થવા માં અજુ સુધી કામગીરી શરૂઆત કરી શકાયુ નહિ.સદર બાબતે ગાધીનગર થી ટેલીફોનિક મુલાકાત માં પીઆઇયુ વિભાગ એ જણાવ્યું હતો કે મોટા ભાગના તાન્ત્રિક વહીવટી કાયદાકીય કામો પુરૂ થયેલ છે.કોરોના માં કામ કાયદેસર ન થવાથી બાધકામો કરી શકાય નહિ. અને ટુંક સમયમાં એક આધુનિક સુવિધાઓ થી ભરપૂર સરકારી આયુર્વેદના હોસ્પિટલના બિલ્ડીંગની બાધકામની શરૂઆત કરવામાં આવશે.અને ગાધીનગર ની કચેરી એ પીઆઇયુ ને મળેલ હુકમની નકલો પણ આપેલ છે જેની એક નકલની ઝેરોક્ષ અહીં દૃશ્યમાન છે. પરંતુ નવસારી જિલ્લાના કરાર આધારિત કાર્યપાલક ઈજનેર અને સુપ્રી ટેન્ડેન્ટ ઈજનેર પણ કરાર આધારિત કાર્યપાલક ઈજનેર અધિકારી જેની પાસે કોઈ પણ વિકાસના કામો માં સહિ કરવાની કાયદેસર સત્તા નથી. પોતાના ફાયદા માટે વાસદા પ્રાન્ત અધિકારી જેની પાસે કોઈ કાયદેસર શૈક્ષણિક લાયકાત નથી. સરકાર દ્વારા રહમરાહે આરક્ષણ માં ભરતી થયેલ પરમોટેડ અધિકારી ગરીબો આદિવાસીઓ, મહિલાઓ, મજુરો, દલિતો,આર્થિક પછાત આદિવાસી મહિલાઓના મફત મળતી સરકારની સ્વાસ્થ્ય માટેની અને આત્મનિર્ભર ભારત માં સ્વદેશી અપનાવો દેશ બચાઓ જેવા જીવનદાયી યોજના જેમાં ખરેખર આજના કોરોના જેવી મહામારી માં આયુર્વેદ જીવન આપી રહ્યો છે. સદર અધિકારીઓ ઓ મિલીભગત કરી હેતુફેર કરાવી કોઈ પણ કાયદાનો પાલન જેવા કે જમીનની માપણી કરાવવી,સ્ટીમેટ બનાવવી,નકશો બનાવવા, ટેન્ડરિગ કરાવવા, વહીવટી મંજુરી મેળવવા, વર્ક ઓર્ડર આપવા વગેરે કાયદાકીય તાન્ત્રિક મજુરી મેળવવા વગર કલેકટર નવસારી દ્વારા સવાલિયા નિશાન વાળી જમીન ગરીબ આદિવાસી નાગરિકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદ હોસ્પિટલના બદલે પ્રાન્ત અધિકારીનો બંગલો માટે હુકમ કરતાની સાથે બાધકામ શરુ કરેલ છે. હવે નવસારી જિલ્લાના કલેકટર શ્રી પોતાના હુકમ માં દર્શાવેલ શરતો મુજબ શરત ભંગ થયેલ સાબિત  હોવાથી સદર બિન અધિકૃત ગૈરકાયદેસર કોઈ પણ વહીવટી મંજૂરી વગર માપણી કરવા પહેલા બાધકામની શરૂવાત કરેલ હોય એ રદ્દ કરશે ખરા..?
નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ચિખલી એ જમીન ની ફાળવણી વગર સ્ટીમેટ નકશો ટેન્ડરિગ માપણી ઓછા માં ઓછુ છ માસની પ્રક્રિયા પહેલા જ કેવી રીતે પુરી કરી .? જમીન કલેકટર નવસારી દ્વારા તારીખ 27/11/2020 ના રોજ ફાડવામા આવી જેના પહેલાં નવસારી આયુર્વેદ વિભાગ અને ગાધીનગર દ્વારા સદર બાબતે તમામ કાર્યવાહી અને મુદ્દત વધારવા માટે અરજીઓ કરવામાં આવી છે.જેનો પુરાવા ઉપરોક્ત તસ્વીર માં નજરે પડે છે. નવસારી કલેકટર શ્રી આયુર્વેદ વિભાગ માં એક વાર પૂછપરછ કેમ કરવામાં કસર રાખી. કલેકટર દ્વારા ફાડવામા આવેલ જમીન જે તે વિભાગની કચેરીના વડા પાસે તપાસ પ્રક્રિયા માં રાખવો ફરજીયાત છે. રાતો રાત પ્રાન્ત અધિકારીનો બંગલો માટે નાગરિકો ના સ્વાસ્થ્ય કરતા જાહેર હિત કરતા અગત્યનું કેવી રીતે ? જમીન જે અગાઉ ડો. સંધ્યા ભુલ્લર જી ફાડવેલ હતા એ જ જમીન ઉપર જ પ્રાન્ત અધિકારીનો બંગલો જ બાધવાની પ્રક્રિયા કેમ ..? રહેવા માટે મકાન માટે શહેરની વચમાં જગ્યા જોઈએ કે સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ..? વાસદા પ્રાન્ત કચેરી માટે ફાડવેલ જગ્યા માં દબાણ અને નિચલા વિસ્તારમાં છે. ત્યારે નવસારી કલેકટર કચેરીની જગ્યા જ અગાઉ ખાડો હતો એ પણ બાધકામો કરવામાં આવેલ છે. હવે નવસારી કલેક્ટર શ્રી સમાચારની ગંભીરતા થી તપાસ કરાવી પોતાના હુકમનો ભંગ અને મળેલ સત્તા મુજબ સમાહર્તા તરીકે પોતાના નવસારી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગનાના કરાર આધારિત કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેર ચિખલી ઉપર શરતભંગ બેદરકારી ભ્રષ્ટાચાર અધિનિયમ 1986 મુજબ બરતરફ કરી શકશે ખરા..? આજે લોક ચર્ચા મુજબ મળેલ માહિતી મુજબ સદર કામ માં મિલીભગત કરનાર તમામ અધિકારીઓના તમામ પ્રકારના સ્થાવર જંગમ મિલકતની પણ તપાસ કરાવશે ખરા.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...