Wednesday, December 30, 2020

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુરૂજનો સાથે સિદ્ધ શાસ્ત્ર પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર સાથે તનાવમુક્ત જીવન સેમિનારની ભવ્ય શરૂઆત ...!..



તીધરા પ્રાથમિક શાળા
મદ્રેસા હાઈસ્કૂલ નવસારી
જમાલપોર પ્રાથમિક શાળા....

              નવસારી જિલ્લામાં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર દ્વારા નવસારી સાથે  મિત્રોના સંયોજનથી નવસારી જિલ્લાના તમામ શાળાઓ માં ગુરૂ જનો સાથે જીવન માં સૌથી સારી ચિકિત્સા પદ્ધતિ  સિદ્ધ યોગ શાષ્ત્ર પદ્ધતિ થી બનાવેલી દવાઓ સાથે નૈસર્ગિક ઉપચારના સેમિનારની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષક મિત્રોના સારો આવકાર મળી રહ્યો છે. શિક્ષકો દેશના ભવિષ્યના ઘડવૈયા છે. દેશની દિશા અને દશા બદલવા માં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જેની કીમત દેશના કોઈ પણ નાગરિક ચુકવી શકે નહિ.  શાષ્ત્રો માં જોઈએ ત્યારે ગુરૂની મહિમા માટે એટલા બધા ઉલ્લેખ છે કે એનો દરેક ધર્મ માં અલગ અલગ એક શાષ્ત્રની રચના થઈ શકે. હકીકતમાં એના સમકક્ષ માં કોઈ શબ્દ નથી. કેમ કે શબ્દોની એક સીમા છે. અને ગુરૂ અસીમિત છે. એ અનુભવ એહસાસ કરી શકાય. પરંતુ આજે વર્ષો થી ગુરુઓ સૌથી વધુ પીડિત છે.તનાવગ્રસ્ત અનુભવી રહ્યા હોય એવો નજરે પડે છે. સરકાર હોય કે સામાન્ય માનવી દરેકે દરેકને શિક્ષક ની ચિંતા કરવી જોઈએ. પરંતુ આજે મોટા ભાગે એ વેપાર માં ફેરવાઈ ગયો છે. ગુરૂની મહિમા ભગવાન કરતા મોટી ફકત જુબાની રહી ગયુ. ભગવાનના મંદિર માં પુજારી બ્રાહ્મણ અને સૌથી મોટું મંદિર જેમાં જીવનનો ઘડવૈયા, દેશના ઘડવૈયા, ભવિષ્યના ઘડવૈયા એવા વિદ્યાધામ મંદિરો માં શિક્ષકો ગુરૂ જનો  વેપારનો એક સાધન માત્ર રહી ગયા છે.
               આજે માનવજીવન આધુનિક વૈજ્ઞાનિક અને પશ્ચિમી સભ્યતાને આવકારી ત્રાહિમામ થવા પામ્યા છે. જેમા આનંદમય જીવન એક સપનુ માત્ર છે. જેથી સદર સેમિનાર માં તનાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય. માનવ શરીર પાંચ તત્વોથી બનેલી છે. અને એમા કોઈ પણ ખામી સર્જાય ત્યારે એ પાંચ તત્વોના ઉપયોગ કરી ફરી એ ખામી દૂર કરી શકાય છે.સેમિનાર માં માટી જલ અગ્નિ વાયુ અને આકાશ દરેકનો મિલન પ્રાક્રૃતિક ચિકિત્સા માં કરવા માં આવેલ છે. જેની સારી સમજ આપવામાં આવે છે. માનવ જીવન તનાવ મુક્ત માટે સત્યમ, શિવમ, સુન્દરમના કેવી રીતે ઉપયોગ કરી ખુશી અને આનંદમય જીવન મેળવી શકાય એ સેમિનારની વિશેષતા છે.ધ્યાનના નાના પ્રયોગો જીવન માં મોટો લાભકારી નિવડે છે. નવ ગ્રહોના પારિતોષિક શુદ્ધ જડી બુટિયોમાં યોગ સિદ્ધ કરી  અસાધ્ય રોગોથી કાયમી છુટકારો મેળવી શકાય છે.દરેક શાળાના મુખ્ય શિક્ષક,આચાર્ય શ્રીઓ કોરોના જેવી મહામારી થી સંરક્ષણ માટે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જેમાં  સૌ એ કોઈ પણ તબીબની કે મોઘી મોઘી દવાઓ કે લેબોરેટરી, એક્સરે,સોનોગ્રાફી,એમઆરઆઇ કે સીટીસ્કેન વગેરેમાં થતો ખર્ચ વગર સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ થી કાયમી છુટકારો મેળવી શકે છે. અને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં કોઈ પણ આડ અસર નથી. નૈસર્ગિક ઉપચાર માં આહાર એજ ઔષધિ સાથે યોગ,પ્રાણાયામ, ઘ્યાન સાથે સકારાત્મક વિચારોના આદાન પ્રદાન મુખ્ય ભૂમિકા ભજવે છે.દાખલા તરીકે કોઈ પણ સામાન્ય કે અસાધ્ય રોગનો મુખ્ય કારણ પાચન ક્રિયાની નબળાઈ એ કેન્દ્ર છે. જેના માટે માટી ચિકિત્સા થી કોઈ પણ આડ અસર વગર નિદાન સંભવ છે. શ્વાસ અને ધ્યાન ના પ્રયોગો થી તનાવમુક્ત જીવન જીવી શકાય છે. સૌથી પહેલો ધન નિર્મળ કાયા એટલે શરીર છે. સ્વસ્થ શરીર માં આત્મા પણ પ્રસન્ન હોય છે. વૈજ્ઞાનિક શોધ માં 98% બીમારીઓ વિચારો થી ઉત્પન્ન થાય છે. જેના માટે અવચેતન મન માં ફરી થી પ્રોગ્રામ કરી વિચારોને સકારાત્મક ઘડવામાં ધ્યાન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આધુનિક પદ્ધતિ માં એના માટે કોઈ ઔષધિ નથી. એલોપૈથી દવાઓ થી ભૌતિક શરીરના રોગો મટાડવા માં હજુ પૂર્ણરૂપેણ સફળતા મેળવી શકાય નહિ.પરંતુ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી સૂક્ષ્મ શરીરની પણ સારવાર કરવામાં સૌથી આગળ છે. નવસારી જિલ્લાના સૌ શિક્ષક ગુરૂજનોના સહકાર સદર અભિયાન માં જરૂરી છે. નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જે શીખી દરેક નાગરિક પોતાની સાથે પરિવાર મિત્ર સમાજ અને ધર્મના દરેકે દરેકને સામાન્ય થી અસાધ્ય બીમારીઓ થી મુક્તિ મેળવવા માં સહભાગી થઈ શકે છે. 
વધુ માહિતી માટે સંપર્ક કરો
લોકરક્ષક હેલ્થ કેર
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી 
મોબાઈલ નં. 9898630756 
9227850786 
(સામાન્ય થી અસાધ્ય રોગો મટાડવા માટે માર્ગદર્શન અને ઉપચાર )
ધ્યાન શીખવા માટે નામ નોધાવો


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...