Friday, August 13, 2021

નાગરિકોની સુવિધા માટે નવસારી શહેરમાં વિવિધ ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી CNG બસો દોડશે




શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં ૪૨૫ TPને મંજૂરી : નગરપાલિકાઓના વિકાસ માટે જરૂરી તમામ આર્થિક સહાય આપવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી


ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં શહેરી બસ સુવિધાનું ઇ-લોકાર્પણ કરાયું



નાગરિકોની સુવિધા માટે નવસારી શહેરમાં વિવિધ ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી
CNG બસો દોડશે





મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. નાણાના અભાવે શહેરોનો વિકાસ અટકવો જોઇએ નહી, નાણાની ચિંતા કર્યા વિના શહેરો પોતાની વિકાસની યોજના બનાવે, અમારી સરકાર તમને પૂરતા નાણા આપશે. શહેરોના વિકાસ માટે ગુજરાત સરકારે છેલ્લા ૫ વર્ષ ૪૨૫ TP સ્કીમ મંજૂરી કરી છે એટલું જ નહીં પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં એકપણ TP પડતર નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં જ ગુજરાત સરકારે નવસારીની TPને મંજૂરી આપી છે. આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સેવામાં મુકાયેલી વિવિધ ૧૦ રૂટ ઉપરની CNG બસોથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યાતાયતની ઉત્તમ સુવિધા મળશે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની ‘અ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓમાં શહેરી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આજે નવસારી નગરપાલિકાનો સમાવેશ થયો છે. નવસારીમાં છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૩૭ કરોડના વિકાસ કામો થયા છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વિવાદ નહીં સંવાદ અને લઘુત્તમ સાધનો વડે મહત્તમ વિકાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, ૧૫ ઓગસ્ટે આપણે આઝદીના ૭૫ વર્ષ એટલે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક સુવિધાથી આગળ વધીને દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીને કટિબદ્ધ બનીએ તેમ ઉમેરી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નવસારીના નગરજનોને શહેરી બસ સુવિધા માટે શુભેચ્છાઓ આપી હતી. 
આ ઇ-લોકાર્પણ પ્રસંગે નવસારી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી પિયૂષભાઇ દેસાઇ, નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીશભાઇ શાહ, ઉપપ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...