Thursday, June 6, 2019

નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી થી નાગરિકો ત્રાહિમામ ...! જવાબદાર કૌણ ..?

નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સુંદર કામગીરી થી નાગરિકો ત્રાહિમામ ...! 
જવાબદાર કૌણ ..? 
નવસારી જિલ્લામાં ઔષધ અને ખોરાક નિયમન તંત્રના કામગીરી થી આમ નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે.પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વ્રારા મદદનીશ કમિશ્નર નવસારી શ્રી ને હાલ માં ચાલતો ગેરકાયદેસર પ્રવિત્તિઓ ઉપર તપાસ અને કાર્યવાહી કરવા જણાવતા નવસારી જિલ્લા મદદનીશ કમિશ્નર શ્રી પોતાની જવાબદારી થી છટકબારી કરતા જોવા મળેલ છે. સદર જાંબાજ અધિકારી શ્રી પાસે અગાઉ પણ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેનો જવાબ આજ દિન સુધી આપી શકેલ નથી. સદર કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હોય લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮, ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ હોય કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ આજ સુધી કોઈ અમલવારી થયેલ નથી. અને મળેલ માહિતી મુજબ કોઈ પણ સંજોગે અમલવારી થવાની પણ નથી.
         સદર કચેરી જિલ્લાના નાગરિકો ના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ વિભાગ છે. નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ માં આરોગ્ય વિભાગ જ્યારે કાર્યરત હતા ત્યારે નવસારી શહેર હોય કે જિલ્લાના અન્ય શહેરો ,નગરપાલિકા દ્વારા કાયદેસર તપાસ અને કાર્યવાહી થતી હતી. પરંતુ નગરપાલિકાઓ હેઠળ થતા તમામ આરોગ્ય લક્ષી તપાસ ના કામો માટે સદર કચેરી જવાબદાર હોવા છતા આજે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર કેરી ના ફ્રેશ જ્યુશ નામે શા નુ જ્યુશ નાગરિકો ને પીવડાવામાં આવે છે એની કોઈ તપાસ માટે અનુભવી મદદનીશ કમિશ્નર શ્રી ફરિયાદ અને પુરાવાની માગણી કરી હતી . જેથી એ કચેરીના નવસારી જિલ્લા માં શા માટે નિમણુંક કરી છે ..? સરકાર લાખો રૂપિયા દર માસે પગાર અને રાજા શાહી જેવી સુવિધાઓ શા માટે આપે છે ..? એનો જવાબ કૌણ આપશે ..? ફરજીયાત દર માસે તપાસ કરવાની કામગીરી અહિં કેમ કરવામાં આવતી નથી..? કાયદેસર અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી જોવા પણ કેમ મળતી નથી ..? અહિં અધિકારીઓ સરકારશ્રી ને બદનામ કરી રહ્યા છે. આજે સુપ્રિમ કોર્ટ દ્વારા આશરે ૩૫૦ ડ્રગો ઉપર બેન લગાડવામાં આવેલ છે. સુપ્રિમ કોર્ટ ના કાયદો  હોય કે હુકમની અમલવારી નવસારી જિલ્લામાં લાગુ પડતી નથી. હોસ્પીટલ હોય મેડિકલ સ્ટોર અહિં તપાસ ફકત ફાઈલો માં જ કરવામાં આવે છે. 
                 નવસારી જિલ્લા માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની તમામ કામગીરીની તપાસ કરવા માટે ગુજરાત માં કોઈ કાયદેસરના અધિકારી છે ખરા ..? સદર કચેરીમાં ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ ની કલમ ૧૯ મુજબ કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મળેલ ફરિયાદ અને જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ મોટો કોભાંડ વહાર આવશે જેમા કોઈ શક નથી.નવસારી જિલ્લાની સદર કચેરીના સર્વોચ્ચ અધિકારી કમિશ્નર શ્રી ગાંધીનગરને ટેલીફોનિક મુલાકાત માં એજ ગીત રિપીટ કરવામાં આવેલ છે.જેથી સાવિત થાય છે કે આજે ગુજરાતના વિકાસ સમ્રિદ્ધિ ગરીબોના ઉત્થાન જમીની હકીકત માં કોઈ પણ સંજોગે થઈ શકે નહિ. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા ગુજરાત સરકાર ને સદર કચેરી માં પણ અન્ય કચેરીઓની જેમ આધુનિક અને ડિઝિટલ સાથે દેખ-રેખ માટે ટુંક સમયમાં ભલામળ કરવામાં આવશે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...